હાલ જયારે શાળાઓનું ખાંનગીકરણ થઇ રહયું છે અને ત્યારે બાળકોનું સરકારી શાળાઓમાં વધુમાં વધું નામાંકન થાય માટે લીંબડી ખાતે શિક્ષકો દ્વારા ચિતન શિબર અને સ્નેહમિલન યોજાયું હતું.
હાલ જયારે ગુજરાતભરમાં શાળાનું ખાનગીકરણ થઇ રહયું છે અને ગરીબ બાળકોનું શાળામાં એડમીશનનો રેશીયો ઘટી રહયો છે તે અર્તગત શાળા નંબર છ લીંબડી પરિવાર દ્વારા શાળા નંબર ૩ માં ચિતન શિબીર અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શિબીરમાં શિક્ષકોના વ્યવસાયિક સજજતા આવે અને આવનાર સમયે સરકારી શાળાઓમાં વધુમાં વધું બાળકોનું નામાંકન થાય, ડ્રોપ આઉટનો રેશિયો ઘટે તેમજ બાળકોના શિક્ષણ ઉપર ચિતન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયે બાળકો અને વાલીઓ સરકારી શાળાઓ પ્રત્યે આર્કિષત થાય તેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ શિબિરમાં ડી.પી.ઓ પટેલ સાહેબ, ઇન્ચાર્જ ટી.પી.ઓ. જગદિશભાઇ બી.આર.સી અશોકભાઇ , તેમજ શિક્ષક સંઘના પ્રમુખ ભીમાભાઇ મીર અને મંત્રી જીવણભાઇ વાઘેલા અને લીંબડી તાલુકાની ૧૦ શાળાઓના આચાર્યો અને આશરે ૯૦ થી ૧૦૦ શિક્ષકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં હાજરી આપેલ તમામ પત્રકારોને બુકકે અને સ્વામી વિવેકાનંદની બુક આપી સન્માનીત કરવામાં આવ્યા હતા