મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મહિનાના એકવીસમા રમઝાન રોજાના દિવસે શહાદતે સૈયદના હઝરત મૌલા અલી શેરે ખુદા (ર.અ.) મોકા ઉપર વડોદરાના ડભોઇ જામા મસ્જિદ ખાતે તકરીર જલસો અને સમૂહમાં ઇફતારી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
21માં રમજાન રોજાના દિવસે શહાદતે હઝરત સૈયદ મૌલા અલી રદી અલ્લાહો અનહો ના મોકા ઉપર ડભોઇ જુમ્મા મસ્જિદ ખાતે મૌલાના અનવર અશરફી દ્વારા તકરીર જલસો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઈફતારી સમયે રોજદારો માટે ઈફતારી પાર્ટીનું સુંદર રીતે મૌલાના અનવર અશરફી અને તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સમૂહમાં ઈફતારી પાર્ટીમાં રોજદારો જોડાયા હતા