વલસાડમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા લોકો સ્થળાંતર કરી રહયા છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે પરિણામે ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બની ગયુ છે. વલસાડમાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી 300થી વધુ લોકો સ્થળાંતર કરી ચુક્યા છે.
વલસાડમાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કાશ્મીરનગર, દાણાબજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પર અસર વર્તાઇ રહી છે, જ્યારે બીજી તરફ, જિલ્લાનાં અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યાં છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતનાં ગામોમાં નદીના પાણી ઘુસી જતા પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વલસાડમાં જળબંબાકાર સર્જાતા નીચણવાળા વિસ્તારના લોકો અન્યત્ર જવા મજબુર બન્યા છે તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં મદદ મળી રહી છે જોકે,ભારે વરસાદ અને નદીઓના પાણી શહેરમાં ઘૂસતા સ્થિતિ કફોડી બની હોવાના અહેવાલ છે.