વલસાડ જિલ્લાના વાપી માં કન્ટ્રક્શન ના વ્યવસાય સાથે સંકળાયેલા સઈદ શેખનું અપહરણ કરીને તેની પાસેથી રૂ. ૫૦ કરોડની ખંડણી વસૂલવાના કાવતરું ઘડનાર પાંચ બદમાશો ગુના ને અંજામ આપે તે પહેલાજ અમદાવાદ થી ઝડપાઈ ગયા બાદ આ વેપારી ની ટીપ આપનાર અલ્તાફ મન્સૂરીની પણ પોલીસે વાપીથી ધરપકડ કરી લીધી હતી. અલ્તાફ મન્સૂરીએ વેપારીનું અપહરણ કરીને ખંડણી વસૂલવામાં આવે તો 50 કરોડ જેટલી રકમ મળી શકે તેમ હોવાની ટીપ આપી હતી. આ ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરેલી આગવી પૂછતાછ દરમિયાન ટીપ આપનાર અલ્તાફ વેપારીની ઓફિસમાં કામ કરતો હોવાથી તેને પોતાના માલિક ની તમામ ગતિવિધિ ની ખબર હતી અને નાણાકીય વ્યવહારો ની પણ ખબર હોય કેટલો સધ્ધર છે તે વાત થી જાણકાર હોઈ અન્ય આરોપીઓ સાથે મળીને અપહરણ-લૂંટ અને ખંડણી ના ગુનાને અંજામ આપવાનું કાવતરું રચ્યું હોવાની વિગતો બહાર આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
Saturday, May 4