BCCI એ કોચિંગ પદ માટે જાહેર કરી ભરતી; ૧૦ નવા નિષ્ણાતોની થશે પસંદગી, જાણો સંપૂર્ણ વિગત
ભારતીય ક્રિકેટના માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી BCCI એ સોમવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બોર્ડ હવે બેંગલુરુમાં આવેલા અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (COE) માટે ૧૦ નવા નિષ્ણાતોની નિમણૂક કરવા જઈ રહ્યું છે. આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય કક્ષાએ ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ અને સુવિધાઓ પૂરી પાડવાનો છે.
કયા પદો માટે કેટલી જગ્યાઓ?
BCCI એ ટેકનિકલ અને મેદાન પરની ટ્રેનિંગ માટે કુલ ૧૦ જગ્યાઓ જાહેર કરી છે:
૦૨ બેટિંગ કોચ: જેઓ સેન્ટર ઓફ એક્સેલન્સના મુખ્ય કોચ સાથે મળીને બેટ્સમેનોની ટેકનિકલ ક્ષતિઓ દૂર કરવાનું કામ કરશે.
૦૩ ફાસ્ટ બોલિંગ કોચ: ઝડપી બોલરોનો કૌશલ્ય વિકાસ અને ઈજા વ્યવસ્થાપન (Injury Management) પર ધ્યાન આપશે.
૦૪ ફિલ્ડિંગ કોચ: જેમાં ૩ પુરુષો અને ૧ મહિલા કોચનો સમાવેશ થાય છે. આ કોચ ખેલાડીઓની ફિટનેસ, કેચિંગ સ્કીલ્સ અને ડાઈવિંગ ટેકનિક સુધારશે.
૦૧ પરર્ફોમન્સ એનાલિસ્ટ: આધુનિક ટેકનોલોજી અને ડેટાની મદદથી ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરશે.
🚨 News 🚨
BCCI invites applications for Coaching and Performance Staff positions at the Centre of Excellence.
The following positions are open for applications:
1. Batting Coach (2 positions)
2. Fast Bowling Coach (3 positions)
3. Fielding Coach (4 positions –…
— BCCI (@BCCI) February 9, 2026
અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ
ક્રિકેટમાં લાંબો અનુભવ ધરાવતા અને યોગ્ય કોચિંગ સર્ટિફિકેટ (Level 2 અથવા Level 3) ધરાવતા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી છે. જે ઉમેદવારો શોર્ટલિસ્ટ થશે તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ફેરફાર: રોહિત-વિરાટને મોટો આંચકો
નવી ભરતીની સાથે BCCI એ ૨૦૨૫-૨૬ ની સીઝન માટે ખેલાડીઓના ‘સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ’ ની યાદી પણ જાહેર કરી છે. આ વખતે બોર્ડે સૌને ચોંકાવતા મોટો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના બે સૌથી મોટા દિગ્ગજ, રોહિત શર્મા અને વિરાટ કોહલી ને ગ્રેડિંગ સિસ્ટમમાં મોટું નુકસાન થયું છે.
તાજેતરના ફોર્મ અને ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને, બોર્ડે આ બંને ખેલાડીઓને તેમના અગાઉના ગ્રેડ (A+) માંથી ‘ડિમોટ’ કરીને નીચેના ગ્રેડમાં મૂક્યા છે. આ નિર્ણય પાછળ યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની અને સિનિયર ખેલાડીઓના કાર્યભાર (Workload) ને સંતુલિત કરવાની નીતિ હોવાનું માનવામાં આવે છે. જોકે, આ નિર્ણયથી ક્રિકેટ ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
COE ની મહત્વની ભૂમિકા
બેંગલુરુમાં બનેલું આ નવું સેન્ટર ઓફ એક્સેલન્સ ભૂતકાળના નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) નું આધુનિક સ્વરૂપ છે. અહીં માત્ર ઈજાગ્રસ્ત ખેલાડીઓ રિહેબ માટે જ નહીં, પણ ઘરેલુ ક્રિકેટના તેજસ્વી તારલાઓને વિશ્વસ્તરીય કોચિંગ આપવા માટે આ નિમણૂકો કરવામાં આવી રહી છે.
BCCI હવે સંપૂર્ણપણે પ્રોફેશનલ એપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે. એક તરફ સિનિયર ખેલાડીઓને શિસ્ત અને પ્રદર્શનનો સંદેશ આપવા કોન્ટ્રાક્ટમાં ફેરફાર કર્યા છે, તો બીજી તરફ પાયાના સ્તરેથી પ્રતિભાઓને નિખારવા માટે ૧૦ નવા કોચની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. ભારતીય ક્રિકેટના આગામી પ્રકરણ માટે આ એક મોટું કદમ સાબિત થઈ શકે છે.
