મુકેશ અંબાણીએ ‘બુદ્ધિના યુગ’માં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ખર્ચશે ₹૧૦ લાખ કરોડ.

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

મુકેશ અંબાણીના વિઝનરી રોકાણથી ગૂગલ અને માઇક્રોસોફ્ટના ગઢમાં ભારત આપશે સીધી ટક્કર.

ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિના જનક ગણાતા મુકેશ અંબાણીએ ફરી એકવાર ઇતિહાસ રચવાની તૈયારી કરી લીધી છે. ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’માં સંબોધન કરતા અંબાણીએ જણાવ્યું હતું કે, “જેમ જિયોએ ડેટાને સસ્તો બનાવીને દરેક ભારતીયના હાથમાં મોબાઇલ પહોંચાડ્યો, તેમ હવે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લોકશાહીકરણ (Democratize) કરીશું.”

“બુદ્ધિ ભાડે લેવાનું જોખમ ભારત ન લઈ શકે”

અંબાણીએ પોતાના ભાષણમાં સાર્વભૌમત્વ (Sovereignty) પર ભાર મૂકતા એક અત્યંત મહત્વની વાત કહી. તેમણે જણાવ્યું કે ભારત જેવા વિશાળ દેશે પોતાની ટેકનોલોજીકલ જરૂરિયાતો માટે વિદેશી કંપનીઓ કે ‘ભાડાની બુદ્ધિ’ પર નિર્ભર ન રહેવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત પાસે ડેટા અને ટેલેન્ટ બંને છે, હવે જરૂર છે તો માત્ર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, જે રિલાયન્સ પૂરું પાડશે.

- Advertisement -

mukesh ambani.jpg

રોકાણના ત્રણ મુખ્ય સ્તંભો

રિલાયન્સ અને જિયો આગામી સાત વર્ષમાં ₹૧૦ લાખ કરોડના રોકાણ દ્વારા ત્રણ સ્તરીય માળખું ઊભું કરશે:
૧. જામનગરમાં ગ્રીન AI ડેટા સેન્ટર: જામનગર, જે અત્યારે વિશ્વની સૌથી મોટી રિફાઈનરીનું ઘર છે, તે હવે AI નું પાવરહાઉસ બનશે. અહીં ૧૦ ગીગાવોટની ગ્રીન એનર્જી (સૌર અને પવન ઉર્જા) થી ચાલતું ‘ગીગાવોટ-સ્કેલ AI ડેટા સેન્ટર’ સ્થાપવામાં આવશે. આ સેન્ટર પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ભારતનો ડેટા ભારતમાં જ પ્રોસેસ કરશે.

- Advertisement -

2. રાષ્ટ્રવ્યાપી એજ-કમ્પ્યુટ લેયર: જિયોના ફેલાયેલા 5G અને 6G રેડી નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરમાં ‘એજ-કમ્પ્યુટિંગ’ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે. આનાથી યુઝર્સને પલકવારમાં (Zero Latency) AI સેવાઓ મળશે. એટલે કે, અંતરિયાળ ગામડામાં બેઠેલો ખેડૂત પણ પોતાના ફોન પર સેકન્ડોમાં પાકના રોગનું નિદાન AI દ્વારા મેળવી શકશે.

૩. સાર્વભૌમ કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને અનુરૂપ સ્વદેશી AI મોડલ્સ વિકસાવવામાં આવશે. આ ટેકનોલોજી કરિયાણાની દુકાનો, સ્થાનિક ક્લિનિક્સ અને સરકારી શાળાઓ સુધી પહોંચશે, જેથી સામાન્ય નાગરિકના જીવનધોરણમાં સુધારો આવે.

Artificial Intelligence

- Advertisement -

રાષ્ટ્ર નિર્માણ માટે ધીરજવાન મૂડી

મુકેશ અંબાણીએ આ રોકાણને માત્ર વ્યાપારી લાભ તરીકે નહીં, પણ ‘રાષ્ટ્ર નિર્માણની સેવા’ તરીકે ગણાવ્યું છે. તેમણે કહ્યું કે રિલાયન્સ આમાં ‘પેશન્ટ કેપિટલ’ (ધીરજવાન મૂડી) રોકી રહી છે, જેનો ઉદ્દેશ્ય નફો કમાવા કરતાં ભારતને ભવિષ્યની ટેકનોલોજીમાં અગ્રેસર કરવાનો છે.

ભારત બનશે વિશ્વનું AI હબ

નિષ્ણાતો માને છે કે અંબાણીની આ જાહેરાત બાદ વૈશ્વિક ટેક કંપનીઓ જેમ કે ઓપન-એઆઈ, ગૂગલ અને મેટા માટે ભારત એક મોટો પડકાર બનશે. જો ભારતમાં AI સેવાઓ લોકલ ભાષામાં અને અત્યંત સસ્તી કિંમતે (કદાચ મફત અથવા ટોકન દરે) ઉપલબ્ધ થશે, તો તે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્રે ચમત્કાર સર્જશે.

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬નો આ દિવસ ભારતની ટેકનિકલ આઝાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. મુકેશ અંબાણીના આ વિઝનથી ભારત માત્ર ‘બુદ્ધિના યુગ’માં પ્રવેશ જ નહીં કરે, પણ વિશ્વનું નેતૃત્વ પણ કરશે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.