“ખિસ્સા પર વધશે બોજ”: ૧ એપ્રિલથી બદલાશે આ ૫ નિયમો, ATM ઉપાડથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી બધું મોંઘું થશે

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

“ખિસ્સા પર વધશે બોજ”: ૧ એપ્રિલથી બદલાશે આ ૫ નિયમો, ATM ઉપાડથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી બધું મોંઘું થશે.

નવું નાણાકીય વર્ષ (૨૦૨૬-૨૭) શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ભારત સરકાર અને વિવિધ બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો ૧ એપ્રિલથી લાગુ થઈ જશે. આ ફેરફારોની સીધી અસર મધ્યમ વર્ગના પરિવારો, નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓ પર પડવાની છે. ખાસ કરીને પાન કાર્ડની સુરક્ષા અને બેંકિંગ વ્યવહારોમાં થયેલા ફેરફારો નોંધપાત્ર છે.

૧. પાન કાર્ડ માટે વધારાના દસ્તાવેજોની જરૂરિયાત

અત્યાર સુધી પાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ પૂરતું હતું, પરંતુ ૧ એપ્રિલથી સરકારે નિયમો કડક કર્યા છે. હવે પાન કાર્ડ મેળવવા માટે આધારની સાથે જન્મ પ્રમાણપત્ર, વોટર આઈડી, પાસપોર્ટ કે ૧૦માની માર્કશીટ જેવા દસ્તાવેજો પણ ફરજિયાત બનશે. આ પગલાથી પાન કાર્ડની સુરક્ષા વધશે, પરંતુ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી શકે છે.

- Advertisement -

૨. HRA ક્લેમ પર આકરી નજર

જો તમે ભાડાના મકાનમાં રહો છો અને ટેક્સમાં છૂટ મેળવવા HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરો છો, તો હવે સાવધ થઈ જજો. જો વાર્ષિક ભાડું ૧ લાખ રૂપિયાથી વધુ હશે, તો મકાનમાલિકનો PAN નંબર આપવો જ પડશે. આ ઉપરાંત, જો મકાનમાલિક તમારા પરિવારના સભ્ય હોય, તો તેની જાણકારી પણ નવા ફોર્મમાં આપવી પડશે. આ નિયમનો હેતુ બોગસ રેન્ટ રિસીપ્ટ દ્વારા ટેક્સ ચોરી રોકવાનો છે.

atm43.jpg

- Advertisement -

૩. ATM અને કેશ વિડ્રોઅલ મર્યાદામાં ઘટાડો

ઘણી મોટી બેંકોએ તેમના ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડી દીધી છે.

  • HDFC બેંક: મેટ્રો શહેરોમાં માત્ર ૩ અને નોન-મેટ્રોમાં ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે.

  • PNB: ડેબિટ કાર્ડ પર રોકડ ઉપાડની દૈનિક મર્યાદા ૧ લાખથી ઘટાડીને ૫૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે.

  • બંધન બેંક: દર મહિને માત્ર ૫ ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપશે, ત્યારબાદ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

૪. ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ખર્ચ પર નજર

૧ એપ્રિલથી ક્રેડિટ કાર્ડ દ્વારા વર્ષમાં ૧૦ લાખથી વધુના ડિજિટલ વ્યવહારો અથવા ૧ લાખથી વધુની રોકડ ચુકવણી કરવામાં આવશે, તો તેની સીધી જાણકારી આવકવેરા વિભાગને પહોંચશે. જોકે, રાહતની વાત એ છે કે હવે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ટેક્સ ભરી શકશો, પરંતુ તેના પર ટ્રાન્ઝેક્શન ફી લાગી શકે છે.

itr 1

- Advertisement -

૫. ITR ફાઈલિંગની નવી તારીખો

ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખોમાં પણ ફેરફાર થયો છે. ITR-1 અને ITR-2 ફાઈલ કરનારાઓ માટે ૩૧ જુલાઈ છેલ્લી તારીખ છે, જ્યારે ITR-3 અને ITR-4 (નોન-ઓડિટ કેસ) માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

૧ એપ્રિલથી અમલમાં આવતા આ ફેરફારો તમારી નાણાકીય શિસ્તની કસોટી કરશે. આવતીકાલે ૨૬ માર્ચે રામ નવમીની રજા છે, તેથી બેંકિંગ કે ટેક્સ સંબંધિત જે પણ પેન્ડિંગ કામ હોય તે આ અઠવાડિયામાં જ પતાવી લેવા હિતાવહ છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.