સંસદના ચોમાસુ સત્રના ૧૬મા દિવસે દેશના બેંકિંગ અને કાનૂની ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સુધારાત્મક બિલને મંજૂરી આપવામાં આવી છે. લોકસભા બાદ સોમવાર, ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ રાજ્યસભાએ પણ “બેંકર્સ બુક્સ ઓફ એવિડન્સ બિલ, ૨૦૨૬” ને સર્વાનુમતે પસાર કરી દીધું છે. આ સાથે જ બ્રિટિશ કાળના ૧૩૫ વર્ષ જૂના કાયદાને સ્થાને નવો આધુનિક કાયદો અમલી બનવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલને દેશના આર્થિક અને ડિજિટલ વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યું હતું, જ્યારે ચર્ચા દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વોકઆઉટ અંગે તેમણે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
These are the kind of Bills (The Bankers' Books Evidence Bill, 2026) on which the Opposition should actually take interest and participate. These are very reformatory.
These are going to help the country move forward fast. And these are steps on which no one can have a… pic.twitter.com/rojVOTgCdc
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) August 10, 2026
કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ ગયા અઠવાડિયે ૩ ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેને બીજા જ દિવસે ૪ ઓગસ્ટે નીચલા ગૃહે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તેને ઉચ્ચ સદનમાં ચર્ચા માટે લાવવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલ પર વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ એક અત્યંત સુધારાત્મક અને દેશને ઝડપી ગતિએ આગળ લઈ જનારૂ બિલ છે. વિપક્ષે આવા મહત્વપૂર્ણ વિષય પર વિરોધ દર્શાવીને બહાર નીકળી જવાને બદલે સકારાત્મક ચર્ચામાં ભાગ લેવો જોઈતો હતો. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે આવા આર્થિક સુધારાઓનો હેતુ દેશની ન્યાયપ્રણાલી અને બેંકિંગ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવાનો છે.