એસિડિટી અને ગેસથી તરત મળશે રાહત: રોજ માત્ર 5 મિનિટ કરો આ 5 યોગાાસન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

એસિડિટી અને ગેસની સમસ્યામાંથી મુક્તિ: રોજ કરો આ ૫ અસરકારક યોગાસન

આજના સમયમાં ખોટી ખાનપાનની ટેવો, અસંતુલિત દિનચર્યા, બેઠાડુ જીવનશૈલી અને માનસિક તણાવને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે. જમ્યા પછી પેટમાં ભારેપણું લાગવું, છાતીમાં બળતરા કે એસિડિટી થવી અને પેટમાં ગેસ ભરાવો એ દર્શાવે છે કે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. દવાઓ ખાવાને બદલે જો તમે રોજિંદા જીવનમાં માત્ર થોડી મિનિટો યોગાસન માટે ફાળવો, તો પાચનતંત્ર મજબૂત બને છે અને ગેસ-એસિડિટી જેવી તકલીફોમાંથી કાયમી રાહત મેળવી શકાય છે.

આવો જાણીએ એવા ૫ સરળ અને અત્યંત અસરકારક યોગાસનો વિશે, જે તમારા પાચનને સુધારીને પેટની તમામ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે.

- Advertisement -

૧. અર્ધમત્સ્યેન્દ્રીયાસન (Ardhambatsyendrasana)

આ આસન પાચનતંત્રને સક્રિય કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેને કરવા માટે ટટ્ટાર બેસીને એક પગને બીજા પગના ઘૂંટણની બહારની તરફ રાખીને શરીરને ટ્વિસ્ટ (મરોડવું) કરવામાં આવે છે.

લાભો: આ આસન પેટના આંતરિક અંગો જેવા કે લીવર અને કિડનીને મસાજ આપીને સક્રિય કરે છે. તે ખોરાકનું પાચન ઝડપી બનાવે છે અને કબજિયાત જેવી જૂની તકલીફોમાંથી છુટકારો અપાવે છે. આ ઉપરાંત, કમરના નીચલા ભાગના સ્નાયુઓનો તણાવ ઓછો કરીને શરીરનું પોશ્ચર (શરીરની સ્થિતિ) સુધારવામાં પણ તે ખૂબ મદદરૂપ છે.

- Advertisement -

Ardhambatsyendrasana.jpg

૨. ભુજંગાસન (Cobra Pose)

ભુજંગાસન એ પાચનક્રિયાને વેગ આપવા માટેનું શ્રેષ્ઠ આસન છે. ઊંધા સુઈને હાથના ટેકે શરીરના આગળના ભાગને ઉપરની તરફ ઊંચકવામાં આવે છે, જેનાથી પેટના સ્નાયુઓ ખેંચાય છે.

લાભો: જ્યારે તમે પેટના બળે સુઈને આગળનો ભાગ ઊંચો કરો છો, ત્યારે પેટના તમામ અંગો પર સારો ખેંચાણ (સ્કેચ) આવે છે. આ ખેંચાણ પાચન રસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જેથી એસિડિટી, ગેસ અને કબજિયાતમાં તુરંત રાહત મળે છે. તેને દરરોજ સવારે નરણા કોઠે (ખાલી પેટે) ૩૦-૩૦ સેકન્ડ માટે હોલ્ડ કરીને ૩ થી ૪ વાર કરવું જોઈએ.

૩. પવનમુક્તાસન (Wind-Relieving Pose)

નામ પ્રમાણે જ આ આસન પેટમાં અટવાયેલા કે ફસાયેલા ગેસને બહાર કાઢવા માટે અચૂક ઉપાય છે. જો તમને અવારનવાર પેટમાં ગેસના કારણે દુખાવો કે અફારો ચડવાની ફરિયાદ રહેતી હોય, તો આ આસન રોજ કરવું જોઈએ.

- Advertisement -

લાભો: આ આસન કરતી વખતે પીઠના બળે સુઈને ઘૂંટણને છાતી તરફ લાવવામાં આવે છે અને હાથ વડે પકડવામાં આવે છે. આ સ્થિતિમાં પેટના સ્નાયુઓ પર હળવું દબાણ આવે છે, જેના કારણે પેટમાં જમા થયેલો વાયુ (ગેસ) સરળતાથી બહાર નીકળી જાય છે અને પેટ હળવુંફૂલ થઈ જાય છે.

૪. માર્જરીઆસન-બિટિલાસન (Cat-Cow Pose)

માર્જરીઆસન અને બિટિલાસનનો સમન્વય એ શ્વાસ અને શરીરની ગતિવિધિનું સુંદર મિશ્રણ છે. ઘૂંટણ અને હાથના ટેકે ઊભા રહીને કરોડરજ્જુને ઉપર-નીચે વાળીને આ આસન કરવામાં આવે છે.

લાભો: આ યોગાસન માત્ર તમારી કરોડરજ્જુને લવચીક અને મજબૂત નથી બનાવતું, પરંતુ પીઠના દુખાવામાંથી પણ મુક્તિ અપાવે છે. માનસિક તણાવ ઓછો કરવાની સાથે સાથે તે પેટના અંગોને ઉત્તેજિત કરે છે, જેથી પાચનક્રિયા સુધરે છે અને ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે.

Thunderbolt Pose.jpg

૫. વજ્રાસન (Thunderbolt Pose)

પાચન શક્તિ વધારવા માટે વજ્રાસન સૌથી સરળ અને અનોખું આસન છે. સામાન્ય રીતે યોગાસનો ખાલી પેટે જ કરવામાં આવે છે, પરંતુ વજ્રાસન એકમાત્ર એવું આસન છે જેને જમ્યા પછી તરત જ કરી શકાય છે.

લાભો: જો તમને જમ્યા પછી ચાલવા જવાનો સમય ન મળતો હોય કે આળસ આવતી હોય, તો જમ્યા પછી ૫ થી ૧૦ મિનિટ વજ્રાસનમાં બેસી જવું જોઈએ. આ સ્થિતિમાં બેસવાથી પેટ તરફ લોહીનો પ્રવાહ વધે છે, જેથી જમેલો ખોરાક ઝડપથી પચી જાય છે. જમ્યા પછી થતું પેટનું ભારેપણું, એસિડિટી કે ગેસ જેવી સમસ્યાઓ આ આસનના નિયમિત અભ્યાસથી ગાયબ થઈ જાય છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.