ISROમાં સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની ૧૭૫ જગ્યાઓ માટે ભરતી શરૂ, ૧૬ સપ્ટેમ્બર સુધી કરો અરજી

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
5 Min Read

ISROમાં સાયન્ટિસ્ટ અને એન્જિનિયર બનવાની સુવર્ણ તક, ૧૬ સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા દેશના હોનહાર અને ટેક્નોલોજી ક્ષેત્રે દક્ષ યુવાનો માટે નોકરીની એક શાનદાર તક બહાર પાડવામાં આવી છે. ઇસરોએ સાયન્ટિસ્ટ-એન્જિનિયર ‘એસસી’ (Scientist/Engineer ‘SC’) ની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર રીતે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો તમે પણ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં તમારું ભવિષ્ય બનાવવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ ૧૭૫ ખાલી જગ્યાઓ પર યુવાનોની નિમણૂક કરવામાં આવશે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. ચાલો આ ભરતી સાથે જોડાયેલી તમામ જરૂરી બાબતોને વિગતવાર જાણીએ.

ISRO Recruitment

- Advertisement -

કઈ બ્રાન્ચમાં કેટલી જગ્યાઓ પર થશે ભરતી?

ઇસરો સેન્ટ્રલાઈઝ્ડ રિક્રૂટમેન્ટ બોોર્ડ હેઠળ બહાર પાડવામાં આવેલી આ વેકેન્સીમાં અલગ-અલગ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે:

  • ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: આ વિષય માટે કુલ ૧૦૦ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં ઇસરો સેન્ટર હેઠળ ૯૯ જગ્યાઓ અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) હેઠળ ૧ જગ્યા સામેલ છે.

  • મેકેનિકલ એન્જિનિયરિંગ: આ બ્રાન્ચ માટે કુલ ૫૩ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં ઇસરો સેન્ટરની ૫૨ અને PRL ની ૧ જગ્યા સામેલ છે.

  • કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ: આ ક્ષેત્ર માટે કુલ ૨૨ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઇસરો સેન્ટરની ૨૧ અને PRL ની ૧ જગ્યા છે. ઇસરોએ તેની સત્તાવાર સૂચનામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ ખાલી જગ્યાઓ હાલ પૂરતી અસ્થાયી છે અને અવકાશ વિભાગની તાત્કાલિક જરૂરિયાતો અનુસાર આ જગ્યાઓની સંખ્યામાં ઘટાડો કે વધારો પણ થઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય છે. સાયન્ટિસ્ટ-એન્જિનિયરની જગ્યાઓ માટે ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં બી.ટેક અથવા તેના સમકક્ષ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. જેમ કે- ઇલેક્ટ્રોનિક્સ પદ માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, મેકેનિકલ માટે મેકેનિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ માટે કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી જરૂરી છે. આ સાથે જ, ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ૬૫% ગુણ હોવા જોઈએ.

- Advertisement -

વય મર્યાદા અંગે, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજદારોની ઉંમર ૨૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, ભારત સરકારના નિયમો અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને બેન્ચમાર્ક ડિસેબિલિટી (PwBD) ધરાવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ISRO Recruitmentઅરજી ફી અને છૂટછાટ

આ ભરતી માટે અરજી ફીનું માળખું નીચે મુજબ છે: તમામ ઉમેદવારોએ શરૂઆતમાં ૭૫૦ રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ઓનલાઈન જમા કરવા પડશે. આ ઉપરાંત, સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ૨૫૦ રૂપિયાની અરજી ફી પણ નક્કી કરવામાં આવી છે, જે નોન-રિફંડેબલ (પાછી ન મળે તેવી) રહેશે. રાહતની વાત એ છે કે મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), દિવ્યાંગો અને એક્સ-સર્વિસમેનને અરજી ફીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાનું પૅટર્ન

ઇસરોમાં સાયન્ટિસ્ટ અને એન્જિનિયરના પદ પર પસંદગીની પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને કડક હોય છે. ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે બે તબક્કાના આધારે કરવામાં આવશે:

- Advertisement -

૧. કોમ્પ્યુટર આધારિત લિખિત પરીક્ષા: પ્રથમ તબક્કામાં દેશના ૩૭ મુખ્ય શહેરોમાં ઓનલાઈન લિખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા કુલ ૧૦૦ ગુણની હશે, જેને બે ભાગમાં વહેંચવામાં આવી છે:

  • પ્રથમ ભાગ: તેમાં સંબંધિત એન્જિનિયરિંગ વિષય સાથે જોડાયેલા ૮૦ બહુવિકલ્પીય પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે, જેને હલ કરવા માટે ૯૦ મિનિટનો સમય મળશે. આ ભાગમાં ખોટો જવાબ આપવા પર એક તૃતીયાંશ (૧/૩) ગુણની નેગેટિવ માર્કિંગની જોગવાઈ છે.

  • બીજો ભાગ: તેમાં એપ્ટિટ્યુડ અને તાર્કિક ક્ષમતા (Aptitude & Ability) સાથે જોડાયેલા ૧૫ સવાલો હશે. આ વિભાગ ૨૦ ગુણનો હશે અને તેના માટે ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે. રાહતની વાત એ છે કે આ બીજા ભાગ માટે કોઈ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવી નથી.

૨. ઇન્ટરવ્યુ: લિખિત પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનારા ઉમેદવારોને આગામી તબક્કા એટલે કે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ડ કરવામાં આવશે. આખરી પસંદગી યાદી તૈયાર કરતી વખતે લિખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બંનેને સમાન એટલે કે ૫૦-૫૦ ટકાનું વેટેજ આપવામાં આવશે.

અરજી કરવાની અંતિમ તારીખ અને જરૂરી સૂચનાઓ

આ ભરતી માટે માત્ર ઓનલાઈન માધ્યમથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોસ્ટ કે ઈમેલ દ્વારા પોતાની અરજી મોકલે છે, તો તેને રદ કરવામાં આવશે. અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની તમામ શૈક્ષણિક ડિગ્રીઓ, વ્યક્તિગત વિગતો સાચી ભરી દેવાની રહેશે અને નિર્ધારિત સાઈઝમાં પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો તથા સહી અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવાની આખરી તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ છે, તેથી છેલ્લી ઘડીની ટેક્નિકલ મુશ્કેલીઓથી બચવા માટે સમયસર ફોર્મ ભરી દેવું.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.