PPP મોડલથી બનેલું 82 કરોડનું બસ પોર્ટ આગામી વર્ષોમાં શહેરનું મુખ્ય આકર્ષણ બનશે
કોરોના પછી લાંબા સમયથી શહેરવાસીઓ જે આધુનિક બસ સ્ટેશનની રાહ જોઈ રહ્યા હતા, તે હવે પૂર્ણ થઈ ગયું છે. નવસારીના હૃદયસ્થાને બનેલું આ નવું બસ પોર્ટ મુસાફરોને અંદર પ્રવેશતા જ એરપોર્ટ જેવી આધુનિકતા અને વ્યવસ્થા અનુભવે છે. કુલ 82 કરોડના ખર્ચે થયેલા આ પ્રોજેક્ટમાં મુસાફરોની સુવિધા માટે એકથી વધુ તકનીકી અને સુખાકારી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ સાથે કોમર્શિયલ હબનું નિર્માણ, હજારો લોકો માટે ફૂડ કોર્ટ
આ બસ પોર્ટ માત્ર ડેપો નથી, પરંતુ એક વિશાળ કોમર્શિયલ તેમજ ટ્રાન્સપોર્ટ સેન્ટર તરીકે ઉભર્યું છે. અહીં ત્રણ મલ્ટિપ્લેક્સ સિનેમા, 11 ફૂડ કોર્ટ અને ભોજન માટે 3,000 જેટલા લોકો એકસાથે બેસી શકે તેવી સુવિધા છે. રોજિંદા મુસાફરો ઉપરાંત સ્થાનિક નાગરિકોને પણ શોપિંગ, મનોરંજન અને ભોજન માટે એક જ જગ્યાએ દરેક સુવિધા ઉપલબ્ધ થશે.
હોટેલ, સ્વિમિંગ પૂલ, માર્કેટ અને બેન્ક્વેટ હોલ જેવી મહત્ત્વની સુવિધાઓ
આ હાઈટેક બસ પોર્ટમાં 67 રૂમવાળી આકર્ષક હોટેલ અને સ્વિમિંગ પૂલ સહિતનું ગેસ્ટ-હૉસ્પિટલિટી ઝોન પણ બનાવાયું છે. ખરીદદારો માટે ગ્રાઉન્ડ + ટુજી + ટુ હાઈપર માર્કેટ સાથે બે સુપર માર્કેટ ઉપલબ્ધ છે. સામાજિક, કોર્પોરેટ કે લગ્ન જેવા કાર્યક્રમો માટે ચાર વિશાળ બેન્ક્વેટ હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે આ સ્થળને નવા ઇવેન્ટ હબ તરીકે સ્થાપિત કરે છે.
વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગથી શહેરમાં રહેલા જંઝાવાતનો અંત
મુખ્ય સમસ્યા રહેલા પાર્કિંગ માટે 1,17,000 સ્ક્વેર ફૂટનું મહાકાય અંડરગ્રાઉન્ડ એરિયા બનાવાયું છે. અહીં 753 બાઈક અને 252 ફોર વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે છે. મુસાફરી કરવા આવેલા લોકો હવે પાર્કિંગ માટે ચક્કર ન ખાવું પડે અને વાહનો સુરક્ષિત પાર્ક રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
એસટી સ્ટાફ માટે વિશેષ રેસ્ટ રૂમ અને રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ
માત્ર મુસાફરો નહીં, ડ્રાઈવર અને કન્ડક્ટરો માટે પણ ઉચ્ચ સ્તરની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. લાંબા રૂટ પછી આરામ મળે તે માટે એર કન્ડિશન્ડ રેસ્ટ રૂમ અને ગુણવત્તાયુક્ત રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જૂના ડેપોમાં આવી સુવિધા ઓછી જોવા મળતી હતી, પરંતુ નવસારીનું નવું મોડેલ સમગ્ર ગુજરાત માટે ઉદાહરણરૂપ બન્યું છે.
PPP મોડલ હેઠળ બનાવાયેલ પ્રોજેક્ટ, 30 વર્ષ સુધી સંચાલન ખાનગી કંપની કરશે
આ સૌકિયાસભર બસ પોર્ટ PPP મોડલ હેઠળ અમદાવાદની દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લિ. દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. આગામી 30 વર્ષ સુધી મેન્ટેનન્સ સહિત કોમર્શિયલ વિભાગોનું સંચાલન કંપની પાસે રહેશે. જ્યારે બસ ઓપરેશન, સ્ટાફ અને રૂટ સિસ્ટમ જીએસઆરટીસી દ્વારા જ પુરુ પાડવામાં આવશે.
30 વર્ષ પછી પ્રોજેક્ટ સરકારને હસ્તાંતરિત, નવસારીને મળ્યું નવું લેન્ડમાર્ક
નક્કી કરેલા સમયગાળા પછી આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય સરકારના અધિકાર હેઠળ આવી જશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી મનોજ પીઠવાએ જણાવ્યું કે મુસાફરોને અહીં ઘર જેવી તમામ સુવિધાઓ મળશે અને એક જ સ્થળે તમામ જરૂરિયાતો પૂરી થશે. કંપની પણ દાવો કરી રહી છે કે આ ગુજરાતનું સૌથી આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટ છે, જે નવસારીનું નવું આઈકન બનશે.

