“મુંબઈ ઈન્ડિયન્સમાં સૂર્યકુમારને કેપ્ટન ન બનાવવો એ ચિંતાનો વિષય”: અશ્વિનનું મોટું નિવેદન

3 Min Read

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપનો વિવાદ: સૂર્યકુમાર યાદવને નજરઅંદાજ કરવા પર અશ્વિને વ્યક્ત કરી ચિંતા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આઈપીએલ (IPL) 2026ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સના નેતૃત્વને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું માનવું છે કે પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હવે સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈએ. અશ્વિનના મતે, સૂર્યકુમારની આગેવાનીમાં ભારત જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તેને જોતા મુંબઈ ઈન્ડિયન્સમાં તેને કેપ્ટન તરીકે ન જોવો એ ‘ચિંતાનો વિષય’ છે.

aswin.jpg

- Advertisement -

સૂર્યકુમારના સફળ નેતૃત્વની અવગણના?

સૂર્યકુમાર યાદવ (SKY) ના નેતૃત્વમાં ભારતીય ટીમે તાજેતરમાં શાનદાર સફળતા મેળવી છે, જેમાં ટી-20 વિશ્વકપના ખિતાબનો પણ સમાવેશ થાય છે. અશ્વિને પોતાના યુટ્યુબ શો ‘એશ કી બાત’ (Ash Ki Baat) માં જણાવ્યું હતું કે, “સૂર્યકુમાર યાદવનું મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન ન હોવું એ સમજની બહાર છે. તેને જ કપ્તાની મળવી જોઈએ. જે રીતે આ બાબતને ટાળવામાં આવી રહી છે, તે ખરેખર વિચારવા જેવી વાત છે.” અશ્વિને એ વાત પર ભાર મૂક્યો કે જુલાઈ 2024 માં સૂર્યકુમારને ભારતીય ટી-20 ટીમના કેપ્ટન બનાવ્યા બાદ ભારત એક પણ સિરીઝ હાર્યું નથી.

હાર્દિક પંડ્યા માટે આગામી સીઝન પડકારજનક

IPL 2024 પહેલા જ્યારે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો, ત્યારે તેને ચાહકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાર્દિકે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરીને ફરીથી લોકોનું દિલ જીત્યું છે. તેમ છતાં, અશ્વિન માને છે કે હાર્દિક માટે 2026ની સીઝન કપરી સાબિત થઈ શકે છે. અશ્વિને કહ્યું, “હાર્દિક સામે અત્યારે મોટો પડકાર એ છે કે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર પાસે છે, જ્યારે મુંબઈની કમાન હાર્દિક પાસે. આ સ્થિતિ હાર્દિક માટે માનસિક રીતે મુશ્કેલ હોઈ શકે છે.”

- Advertisement -

surya.jpg

ગજની કપ્તાની ક્ષમતા અને મેનેજમેન્ટનો સાથ

જોકે અશ્વિને હાર્દિક પંડ્યાની કપ્તાની પર સંપૂર્ણ અવિશ્વાસ નથી વ્યક્ત કર્યો. તેણે યાદ અપાવ્યું કે હાર્દિકે ગુજરાત ટાઇટન્સને પોતાના પહેલા જ વર્ષમાં ચેમ્પિયન બનાવી હતી. અશ્વિનના મતે, જો હાર્દિકને મેનેજમેન્ટ અને ખેલાડીઓનો પૂરો સહયોગ મળે અને તે બહારના દબાણને બાજુ પર રાખે, તો તે હજુ પણ મુંબઈ માટે શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન ક્રિસ શ્રીકાંતે પણ અગાઉ કહ્યું હતું કે હાર્દિકે પોતે જ સૂર્યકુમારને કપ્તાની સોંપી દેવી જોઈએ.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે કરશે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પર આંતરિક સમીકરણો કેવા રહે છે.

- Advertisement -
TAGGED:
Share This Article