હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળી રહી છે, તો આ શઆક હેલ્દી હોવાની સાથે બાળકોના માનસિક વિકાસ અને આરોગ્ય માટેના વરદાનથી ઓછા નથી. લીલા શાકભાજી માં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે તંદુરસ્ત શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખુલાસો તાજેતરના સંશોધન દરમિયાન કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ 1,500 બાળકો અને કિશોરોના મગજમાં આયરનના સ્તરની માપણી કરી છે. આ બાલકોનીઉંમર 8 થી 24 વર્ષની વચ્ચે હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, જે લોકોના મગજમાં આઇરનની ઉણપ હોવાનું જોવા મળ્યું છે, તે બીજા લોકોની તુલનામાં ઘણા પ્રકારના કાર્યોમાં સારુ પ્રદર્શન કરી…
કવિ: Satya Day News
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે મોડી રાતે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ચાલુ થયો છે. મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો છે. પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકથી સાડાત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે તેમજ હેમાળ ગામે મોબાઈલના ટાવર પર વીજળી પડી હતી. આ દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે.
બિહારનાં માઉન્ટેન મેન દશરથ માંઝીના નામથી દરેક પરિચિત છે. તેમણે એક ઘણ અને છીણીની મદદથી એકલા હાથે એક 360-ફુટ લાંબો, 30-ફુટ પહોળો અને 25-ફુટ ઉંચો પર્વત કાપીને એક રસ્તા બનાવી નાખ્યો હતો, આ કામમાં તેમના જીવનનાં 22 વર્ષો લાગ્યા હતા.આવા જ એક 70 વર્ષીય વૃદ્ધ લૌંગી ભુઇયાંએ તેમની મહેનતથી ગામડાઓમાં સેંકડો લોકોની સમસ્યાઓનું સમાધાન કર્યું. ત્રીસ વર્ષની મહેનતથી તેમણે પર્વત કાપીને પાંચ કિમી લાંબી નહેર બનાવી. હવે પર્વત અને વરસાદી પાણી નહેરમાંથી ખેતરો તરફ જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ ગામના લોકો લાભ થઇ રહ્યો છે. બિહારના ગયાના રહેવાસી લૌંગી ભુઇયાંએ સખત મહેનતનું ઉદાહરણ રજૂ કર્યું છે, જે હંમેશા યાદ…
ગાંજા વિશે તમે જાણતા જ હશો કે જેનો ઉપયોગ નશા માટે ઘણા લોકો કરે છે. ગાંજાનો નશો માત્ર માણસોને જ નહીં પ્રાણીઓને પણ આનંદદાયક લાગતો હોય છે. એક ઉંદર તેનો એટલો વ્યસની થઈ ગયો કે તે વધારે માત્રામાં તેનું સેવન કરવાને કારણે તે ત્યાં બેભાન થઈ ગયો. ઉંદરે ગાંજાના પાન ખાઈને થઈ ગયો બેહોશ ખરેખર આ ઘટના કેનેડાની છે. જ્યાં કોઈ વ્યક્તિના ઘરમાંથી ગાંજાના પ્લાન્ટની સતત ચોરી થઈ રહી હતી. એક દિવસ તેણે જોયું કે તેના નાના ખેતરમાં જ ઉંદરે ગાંજાના ઘણા બધા પાંદડા ખાધા અને નશાથી બેહોશ થઈ ગયો. જણાવી દઈએ કે, કેનેડામાં લોકો નિશ્ચિત માત્રામાં તેમના ઘરના આગળ બગીચાઓમાં…
વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત 40 વર્ષ જૂના DNA થી પ્રજેવાલ્સકી પ્રજાતિનો ઘોડો તૈયાર કર્યો છે. તેનું નામ કર્ટ રાખવામાં આવ્યું છે. આ જંગલી ઘોડાની છેલ્લી પ્રજાતિ છે. કર્ટનો જન્મ સરોગસી ટેક્નિકની મદદથી 6 ઓગસ્ટે ટેક્સાસના ટિમ્બર ક્રિક વેટરનરીમાં થયો છે. પ્રજેવાલ્સકી વિલુપ્તિના આરે રહેલી પ્રજાતિ છે. કર્ટના પૂર્વજ કૂપરોવૉઈસનું DNA સેમ્પલ વર્ષ 1980માં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કર્ટ તેની પ્રજાતિના વિકાસમાં મદદ કરશે અને તેની જિનેટિક ડાયવર્સિટીને વેગ મળશે. આશરે 40 વર્ષ પહેલાં આ પ્રજાતિના ઘોડા પ્રાણીસંગ્રહાલય અને વાઈલ્ડ લાઈફ પાર્કમાં જોવા મળતા હતા. દુનિયાભરમાં આ પ્રજાતિના 2 હજારથી પણ ઓછા ઘોડા છે. આ પ્રજાતિના ઘોડાને જંગલોમાં છેલ્લે…
શહેરમાં MD ડ્રગ્સનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. પોલીસથી બચીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમદાવાદમાં લાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CTM વિસ્તારમાંથી રૂ. 1 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાં એક આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફિરોઝ પણ છે. આરોપી ASI ડ્રગ્સ ડીલરોની સાથે રહેતો એ દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી. પોલીસે શહેજાદ તેજાબવાલા સહિત પાંચની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદમાં MD ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે, ખાસ કરીને વટવા, દાણીલીમડા, શાહઆલમ, રિલીફ રોડ, શાહપુર અને ઈસનપુર વિસ્તારમાં આ ડ્રગ્સના પેડલરો અને ડીલરો છે, જેઓ…
જાફરાબાદના નાગેશ્રી ગામે ગત રાત્રે રહેણાંક વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો. સિંહ રસ્તા પર રઝળતા એક પશુનો શિકાર કર્યો હતો. સિંહ મિજબાની માણી રહ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે જીવંત વીજ વાયર તેની બાજુમાં જ પડ્યો હતો. આથી સિંહને બચાવવા માટે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના ટ્રેક્ટર વડે સિંહને ખસેડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોએ PGVCLને પણ જાણ કરી હતી. પરંતુ PGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળે ડોકાયા પણ નહોતા. વન વિભાગની ટીમે ટ્રેક્ટર વડે સિંહને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો ત્યારે જ જીવંત વીજ વાયર સિંહ મિજબાની માણી…
મિસૌરીના એક ઝૂમાં બૉલ પાઈથને કેટલાય ઈંડાને જન્મ આપ્યો છે. જેને જોઈ ઝૂ કીપર્સ પણ હેરાન થઈ ગયા છે. સેંટ લૂઈસ પોસ્ટ ડિસ્પૈચના જણાવ્યા અનુસાર સેંટ લૂઈસ ઝૂમાં 62 વર્ષિય ફિમેલ બૉલ અજગર છેલ્લા 15 વર્ષથી કોઈ મેલ અજગરના સંપર્કમાં આવી નથી. તેમ છતાં પણ તેણે ઈંડા આપ્યા છે. આ ઘટનામાં હૈરાન કરનારી વાત એ છે કે, બૉલ પાઈથન 6 વર્ષની ઉંમરમાં જ ઈંડા આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમરે આવતા આવતા તે ઈંડા આપવાનું બંધ કરી દે છે. આ ઘટના બાદ જૂલોજિકલ મેનેજર માર્ક વાનનેર કહે છે કે, આ દુનિયાની સૌથી વૃદ્ધ માદા અજગર છે. જેને આટલી…
પિતૃપક્ષ પછી 18 સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. આ મહિનાના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ શરૂ થશે નહીં. અધિકમાસને અધિમાસ, મળમાસ, પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિકમાસના કારણે ઋતુ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાયેલો રહે છે. હિંદુ ધર્મમાં તહેવારોની વ્યવસ્થા પણ ઋતુઓના આધારે બનાવવામાં આવી છે. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે છે. દિવાળી ઠંડીની ઋતુની શરૂઆતમાં આવે છે. મકર સંક્રાંતિ ઠંડીના છેલ્લાં દિવસોમાં આવે છે. ઋતુઓના સંધિકાળમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. અધિકમાસના કારણે જે તહેવાર જે ઋતુમાં આવવો જોઇએ, તે ઋતુમાં આવે છે. ભગવાન વિષ્ણુએ મળમાસને પોતાનું નામ પુરૂષોત્તમ આપ્યું છે. સાથે જ, વિષ્ણુજીએ…
કેબિનેટની નિયુક્તિ સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ત્રણ આઈએએસ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી છે. જે ત્રણ અધિકારીઓ છે તેમાં ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ધિલ્ડિયાલ, મધ્યપ્રદેશ કેડરના આઈએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રન અને આંધ્ર પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાનો સમાવેશ થાય છે. PM મોદીની મહત્વની યોજનાઓ ઉપર ધ્યાન રાખી રહ્યાં છે આ અધિકારીઓ ઉત્તરાખંડના ટિહરીના ડિએમ મંગેશ ધિલ્ડિયાલે પીએમઓમાં અંડર સેક્રેટરી પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યાં છે. જ્યારે મધ્ય પ્રદેશના કેડરના આઈએએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રનને પીએમઓમાં ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાને ડેપ્યુટી સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે. મંગેશ ધિલ્ડિયાલ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ડિએમ હતા અને હાલ તે કેદારનાથના પૂનઃનિર્માણ અને ચાર…