Gujarat: દ્વારકા સિગ્નેચર પુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે. ઘણાં લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયો હોવા છતાં વડાપ્રધાનના કારણે તેને પ્રજા માટે ખુલ્લો મૂકાયો ન હતો. આ પુલ પાછળ 1 હજાર કરોડનું ખર્ચ તો થઈ ગયું છે. જેના અનેક વિવાદો જાહેર થયા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 51 સાથે જોડાયેલો બેટ દ્વારકાનો સિગ્નેચર પુલ પહેલાંથી જ વિવાદમાં છે. 2017-18થી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બન્યો હતો. દ્વારકાથી 33 કિ.મી. દૂર બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં રાણીવાસ માનવામાં આવે છે. બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર 25-30 ચોરસ કિલોમિટર છે. વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100…
Author: દિલીપ પટેલ
Gujarat: મહિસાગર જિલ્લાના બાલાસિનોરના જેઠોલી ગામના અશોકકુમાર 9428153303 મરચા ઉગાડવા માટે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. તેઓ મરચીની સતત 5 વર્ષ સુધી નીશા, શિકારા, ઓમેગા જાતના લાંબા અને મોટા મરચાની ખેતી કરી હતી. પછી બજારમાં માલ પહોંચાડવાની સમસ્યાના કારણે મરચા ઉગાડવાનું બંધ કરી દીધું હતું. બજાર 22 કિલોમિટર બાલાસિનોર થાય છે. દૂર વેચવા જવું પડતું હતું. તમાકુની ખેતી કરી હતી. ફરી તેઓએ નવો અખતરો કર્યો છે. 2023માં મધ્ય પ્રદેશની 1049 નંબરની જાતની મરચીનું બિયારણ લાવીને મરચા વાવ્યા છે. ટપક સિંચાઈ કરતાં હોવાથી સારું ઉત્પાદન મળે છે. બેક્ટેરિયાથી ખેતી અશોકભાઈ અમદાવાદથી ગાયના છાણના 250 જાતના બેક્ટેરિયાની બોટલ લઈ ગયા હતા. તેનાથી…
ગુજરાતમાં 80 લાખ બળદોની હત્યા મોદી રાજમાં થઈ Gujarat:વારાણસીના સંસદસભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. 22 ફેબ્રુઆરી 2024માં સવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતો. તેમણે અમૂલના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે, સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા વાવેલું વૃક્ષ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. પશુપાલકોની શક્તિનું પ્રતીક બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા,…
Modi : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા અમદાવાદના મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજકીય કાર્યક્રમ હતો. મોદી જ્યાં હોય ત્યાં વિવાદ હોય છે. ગુજરાતમાં આજે પણ સરદાર પટેલનું નામ ભૂંસીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા સામે 33 જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી કરવામાં આવતી હતી. માત્રને માત્ર આંકડાકીય રમત હતી. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ રૂ.700થી 1200…
Gujarat: ભારતના ખેડૂતો પોતાની ચીજોના ભાવ નક્કી કરવા આંદોલન કરી રહ્યાં છે. તેઓ દિલ્હી જઈને ધરણાં કરવા માંગે છે. નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને ભાવ નક્કી કરી આપવા તૈયાર નથી. પણ ગુજરાતમાં ઘણાં ખેડૂતો એવા છે કે જે પોતે પોતે પોતાના ખેતરમાં પેદા કરેલી ચીજોનાં ભાવ જાતે નક્કી કરીને વેચે છે. આવા એક ખેડૂતની વાત સમજવા જેવી છે. જામનગરના ધ્રોલના ખારવાના ગામના 53 વર્ષના મહેશ રામજી ઘેટીયા 2008થી શરૂ કરી પ્રાકૃતિક ખેતી કરે છે. 15 વર્ષથી કુદરતી ખેતી કરે છે. જ્યારે આંગળીના વેઢે ગણાય એટલા સજીવ ખેતી કરતાં ખેડૂતો હતા ત્યારથી તેઓ ખેતી કરે છે. તેઓ 10 વીઘામાં પ્રાકૃતિક મગફળી ઉગાડે…
Gujarat : દિલીપ પટેલ દ્વારા :- આણંદના પેટલાદના બોરિયા ગામમાં ખેડૂત કેતનભાઈ જશભાઈ પટેલ 9429034710 કેળના થડનો ઉપયોગ ખેતરમાં તો ઉત્પાદન વધારવા અને ખાતરની બચત કરવામાં કરે છે. જો કેતનભાઈની કેળાંના થડની તકનીક ગુજરાતના ખેડૂતો અપનાવે તો 30 કરોડ કિલો રાસાયણિક ખાતરની બચત થઈ શકે તેમ છે. તે માટે ગુજરાત સરકાર કંઈ કરવા આજ સુધી તૈયાર થઈ નથી. હવે તેઓ કેળના થડનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવા માંગે છે. જે અગાઉ થડને કાઢીને ખેતર બહાર ફેંકી દેતા હતા. હવે તેનું ખાતર બનાવીને ઉત્પાદન અને રોગને અંકુશમાં રાખે છે. થડના ટ્રાટલ કરેલા હતા. નવસારી કૃષિ વિશ્વ વિઘાયે કેટલાંક સંશોધનો કર્યા છે. તેમના…
Nal Se Jal Yojna : ગુજરાતના દરેક ઘરમાં નળનું પાણી આપીને સ્વર્ગ ઉતારી દીધું હોવાનો સરકાર દાવો કરે છે. જેને ચૂંટણી મુદ્દો પણ બનાવતી આપી છે. પણ હવે લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં આ દાવો ગુજરાતમાં ટકે એવો લાગતો નથી. ઉનાળો આવતાં જ પાણીની તંગી ઊભી થઈ છે. તો પછી જે નળ નાંખ્યાં હતા તેમાં પાણી કેમ આવતું નથી. કે પછી નળ નાંખવામાં આવ્યા નથી. ગુજરાતમાં 92 લાખ પાકા મકાનો અને 8 લાખ કાચા મકાનો અથવા ખેતરમાં મકાનો છે. આમ લઘભગ 1 કરોડ મકાનોમાંથી 75 લાખ મકારોમાં નળ હતા. બાકીના 25 લાખમાં મકાનો ન હતા. જેમને તમામને નળ આપી દાવાયા હોવાનો…
Green House Technology: ગુજરાતમાં ખેડૂતો દ્વારા ભારે મહેનત પછી ઊભા કરેલાં ગ્રીનહાઉસ બંધ થઈ રહ્યાં છે ખેડૂતો ગ્રીનહાઉસ શરૂ કરતાં પહેલાં જેમણે ગ્રીનહાઉસ બનાવેલાં હતા તેમનો અનુભવ જાણીને પછી જ રોકાણ કરવું જોઈએ. કારણે છેલ્લાં 20 વર્ષમાં ખેડૂતોના રૂ. 300 કરોડ આ ટેકનોલોજીમાં ડૂબી ગયા છે અને કરોડો રૂપિયાની ખેતીની ખોટ ખમવી પડી છે. ગુજરાતમાં સૌથી પહેલાં ગ્રીનહાઉસમાં વર્ટીકલ ખેતી કરનારા ખેડૂત નીરવ જસવંતલાલ પટેલ હતા. તેઓ બીએસસી એગ્રીકલ્ચર સુધી અભ્યાસ કરીને ગ્રીનહાઉસ બનાવ્યું હતું. પણ તેમણે પોતાનું ગ્રીનહાઉસ ત્રણ વર્ષની ખોટ બાદ બંધ કરી દેવું પડ્યું છે. ખેતીવાડીમાં નિષ્ણાત નીરવ પટેલ જો આ રીતે ગ્રીનહાઉસ બંધ કરી દેતાં હોય…
Gujarat: સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું. સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત યોજના તૈયાર કરી હતી. 2012માં યોજના બની અને 2013માં સૌની યોજનાની જાહેરાત કરી હતી. 7 વર્ષ પહેલાં ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રના ડેમમાં નર્મદાનાં નીર લાવવાની ‘સૌની’ યોજનાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના છેલ્લી 6 ચૂંટણીમાં મત અવતરણ યોજના બનાવી દેવામાં આવી છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર જાણે છે કે સૌની યોજના માટે નર્મદા બંધમાં પાણી જ નથી અને પાઈપલાઈનમાં પાણી ચઢાવવા રૂ.1 હજાર કરોડનું ખર્ચ…
Gujarat રાજકોટના 55 વર્ષના ઉદ્યોગપતિ ભરત પરસાણા અને કચ્છ માધાપરમાં 56 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટીને અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ દોહેલું દૂધ છાંટતા ઉત્પાદનમાં 25 ટકાનો વધારો અને ખર્ચમાં પણ એટલો જ ઘટાડો થાય છે. તમામ પાક પર શ્રેષ્ઠ પરિણામ મળે છે. અત્યારે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે. સૌથી પહેલાં આ પદ્ધતિની શોધ કચ્છનાં એક ખેડૂતે કરી અને તેનો પ્રચાર ભરત પરસાણા કરી રહ્યાં છે. વેલજીભાઈ ભુડીયા દૂધનો છંટકાવ…