દેશ માં કોરોના ની સ્થિતિ ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બીજા તબબકા માં 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ત્યારે શરૂઆત માં જ ભારત -ચીન સરહદ ઉપર થયેલા લોહિયાણ જંગ મામલે પીએમ મોદી એ ભારતીય જવાનોની શહાદતને સલામ સાથે નમન કર્યું હતું આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય. તેમણે કહ્યું કે, આપણા દેશ ના વીર જવાનો પર ગર્વ છે. તેઓ શહીદ થયા પણ મારતા-મારતા મર્યા છે. બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાનાનાં મુખ્યમંત્રી સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો.…
Author: mohammed shaikh
હાલ માં ભારત અને ચાઈના વચ્ચે વોર નો માહોલ છે ત્યારે લોકો ચાઈના ની વસ્તુઓ નો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે ત્યારે ચીન ની મોટર્સ કંપની ગ્રેટ વોલ મોટર્સ ભારત માં પોતાનું પ્રોડક્શન શરૂ કરવા મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે. ચીન ની આ કંપની મહારાષ્ટ્ર ના તેલગાવ માં એક અદ્યતન પ્રોજેકટ ઉભો કરશે, હાલ માં મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ચીન ના રાજદૂત સન લિડોંગ ની હાજરી માં સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર થયા હતા. કંપની તેલગાવ પ્લાન્ટ માં એક અબજ ડોલર નું રોકાણ કરશે. જેમાં નવા રોજગાર માટે આશા બંધાઈ છે અહીં અદ્યતન વિશાળ પ્લાન્ટ બનાવાશે તેમ…
લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ચાલેલા ધમાસાણ માં 20 થી વધુ ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી ચુપકીદી તોડવામાં આવી છે અને સતાવર નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે તા.19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે. લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ માં ચીનને પણ નુકસાન થયું છે, ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે ગાલવનમાં સૈનિકો શહીદ થયા તે ખૂબજ દુ:ખદ બાબત છે પરંતુ સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું…
ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત સિંહ આત્મહત્યા કેસ મામલે સુશાંત ને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર લોકો ની તપાસ ચાલુ છે ત્યારે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહનીઆત્મહત્યાના મામલે કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCનીસેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી હાંકી…
ભારતીય સૈનિકો ની જિંદગી હણી લેનાર ચાઈના સામે ભારત ના લોકો માં આક્રોશ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે અને સોશ્યલ મીડિયા માં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે . વિગતો મુજબ ભારત-ચીન સરહદ પર ચાલુ વર્ષે પ્રથમવાર તા. 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ તળાવ નજીક બંને દેશોની સૈન્ય વચ્ચે વિવાદ થયો હતો , ત્યારબાદ 9 મેના રોજ સિક્કિમમાં બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ બંને દેશ વચ્ચે લશ્કરી કમાન્ડર-સ્તરની વાતચીત 6 જૂનથી શરૂ થઈ હતી અને જાણાવાતું રહ્યું કે બધું ઑકે છેઅને આ દરમિયાન બંને દેશો વચ્ચે અત્યારસુધી માં કુલ ચાર બેઠક યોજાઈ ચુકી છે. આ અતિ ગંભીર કહી શકાય…
ચાઈના દ્વારા કરાયેલા ક્રુર હુમલામાં કુલ 23 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા ની વાત બહાર આવી છે. જેમાં 16 બિહાર રેજિમેન્ટનાં કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ નો પણ સમાવેશ થાય છે અને જે ભારતીય સૈનિકો પાસે હથિયાર નહોતા તેમને ટાર્ગેટ કરાયા હતા. ઓચિંતા હુમલા બાદ કેટલાક જીવ બચાવવા માટે ગલવાન નદીમાં કૂદી પડ્યા હતા. સરકારી સૂત્રો એ આપેલી માહિતી મુજબ હાલ 12 જેટલા ગંભીર રીતે ઘાયલ જવાનો સિરિયસ છે અને અન્ય 110થી વધારે નાની મોટી ઇજાઓ ધરાવતા સૈનિકો ની સારવાર ચાલુ છે. મોતની સંખ્યા વધી શકે છે. આ હુમલો ભારતીય સેના દ્વારા ચીની ટેન્ટ ( કોડનેમ પેટ્રોલ પોઇન્ટ – 14)…
હાલ માં રાજ્યસભા ની ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. જોકે ,આ અગાઉ પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. પબુભા માણેકનો દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6943 મતથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએપબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે એપ્રિલ 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે દ્વારકા વિધાનસભા…
લોકડાઉન માં છૂટછાટ બાદ લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળી રહ્યા છે ત્યારે તેઓ મહાનગર પાલિકા ના કર્મચારીઓ ને ગણકારતા નહિ હોવાથી આખરે આ અભિયાન પોલીસ ને સોંપી દેવામાં આવ્યુ છે. આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણઆપી દીધી છે. મંગળવારે સાંજે અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર…
કોરોના ની હાડમારી વચ્ચે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગન ના નિયમો પાળીને કાઢવામાં આવનાર છે. અને માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓ જ રથ ખેંચશે, રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે રોકાણ કરશે. દર વર્ષે રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસીઓ સામાન્યરીતે જોડાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના…
ચાઈના એ દગો કરીને ભારત ના આશાસ્પદ 20 જવાનો ને ક્રૂરતા પુર્વક મારી નાખ્યા છે અને કેટલાક ગૂમ થઈ ગયા હોવાની ખબર વચ્ચે ભારતીયો માં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે મોદીજી કરારો જવાબ આપવામાં જીરો સાબિત થયા હોવાની જનતા માં બૂમ ઉઠી છે ત્યારે હવે લોકો ના ઉઠેલા વિરોધ બાદ મોદી માત્ર નિવેદનો કરે છે કે કોઇ નક્કર કાર્યવાહી કરે છે તેના ઉપર દેશ ની નજર છે. બીજી તરફ ચાઈના ના જવાનો માર્યા ગયા હોવાની વાતો માત્ર વાતો જ છે તેનું કોઈ પ્રમાણ નથી ત્યારે ભારત ના જવાનો શહીદ થયા તે વાત હકીકત છે. જવાનો ની શહીદી બાદ લોકો…