અમદાવાદ માં કોરોના ને લઈ અરાજકતા નો માહોલ છે ત્યારે એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કોરોના કાળ માં ઘરેઘરે જાણીતી બની ગઈ છે ત્યારે અહીંના કિડની વિભાગ માં કોરોનાના શંકાસ્પદ સાથે સારવાર માટે દાખલ કરાયેલી મહિલાના મૃત્યુનાં 3 દિવસ બાદ પણ કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી. મહિલાના પરિજનો દ્વારા છેલ્લાં 3 દિવસથી કિડની હોસ્પિટલમાં વારંવાર ફોન કરીને પુછવા છતાં હજુ રિપોર્ટ બાકી હોવાનું જણાવી રહ્યા છે. અહીંના વેજલપુરમાં રહેતી એક મહિલાને ફેફસામાં પાણી ભરાવાની સાથે ઓક્સિજનની ઉણપ વર્તાતા કિડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, 4 જૂને મહિલાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, મહિલાનો કોરોનાનો રિપોર્ટ 5…
Author: mohammed shaikh
આ એજ ચાઈના છે જેણે વડાપ્રધાન નહેરુ વખતે છેતરીને અચાનક હુમલો કર્યો હતો અને ફરી એવું કરવા મોકો જોઈ રહ્યું છે ,ચાઈના અને ભારત ના અધિકારીઓ વચ્ચે શાંતિ મંત્રણા ની વાર્તા સમાપ્ત થયા બાદ પણ ભારત સાથે પૂર્વી લદ્દાખમાં તણાવ વચ્ચે ચીનનું સરકારી મીડિયા ભારત પર દબાણ લાવી રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે રવિવારે હજારો સૈનિકોના યુદ્ધ અભ્યાસનો વીડિયો શેર કરી ભારત સામે યુદ્ધ માટે તૈયારી નો આભાસ ઉભો કરી રહ્યું છે. ચીનનું મીડિયા એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ચીન કોઇ પણ સમયે તેમના સૈનિકો અને હથિયાર સાથે સરહદ ઉપર ત્રાટકી શકે છે. ભારતીય એક્સપર્ટે કહ્યું છે કે આ…
કોરોના મહામારી વચ્ચે પ્રથમવાર શાળાઓમાં વર્ષ 2020-21ના નવા શૈક્ષણિક સત્રનો કેટલીક સ્કૂલો દ્વારા ઓન લાઇન પ્રારંભ થયો છે, જોકે શાળામાં તારીખ 8 જૂનથી 13 જૂન સુધી ધોરણ-1 અને 9માં પ્રવેશ, પાઠ્યપુસ્તકોનું વિતરણ, પરિણામ તૈયાર કરવું સહિતની કામગીરી માટે જરૂરિયાત મુજબના શિક્ષકોને શાળામાં બોલાવાયા બાદ તારીખ 15 જૂનથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. કોરોનાના સ્થિતિ હેઠળતા. 8 જૂનથી રાજ્યભરની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોશી દ્વારા કરાયેલા આદેશ મુજબ નવા શૈક્ષણિત સત્રના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં 8થી 13 જૂન સુધી શાળાઓમાં ધોરણ-1 અને…
વડોદરા માં વારસીયા ખાતે આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજી થી આશાસ્પદ સાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડતા યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીનું આજે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપીકાર્યવાહી હાથ ધરી છે. યુવતી ના પરિવાર જનો એ હોસ્પિટલ સામે આક્ષેપો કરી પોતાની દીકરી ખોવી પડી હોવાનું મીડિયા ને જણાવ્યુ હતું. 1 જુનના રોજ યુવતીને માત્ર ગૂમડું થતા નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. આજવા રોડ ઉપર સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપસિંહ રાવત એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા શાહ લોકડાઉનના…
સ્વાદ રસિયાઓ ઘર નું ખાઈને કંટાળી ગયા છે એવા લોકો માટે આજનો દિવસ સોનાનો સૂરજ ઉગ્યો છે કારણ કે છેલ્લા 3 મહિનાથી બંંધ રહેલી હોટલો, રેસ્ટોરાં અને મોલ આજથી શરૂ થઇ ચુક્યા છે. જોકે સરકારની ગાઇડલાઇન રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ અમલી બનતો હોવાથી સાંજે 7 વાગ્યા પછી ઓર્ડર નહિ લઈ શકાય, આ સાથે શહેરમાં આવેલા મોટા ભાગના મોલમાં માસ્ક, ગ્લોવ્ઝ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ગન ટેમ્પરેચર સહિતના નિયમોનું ખાસ પાલન કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત મોલમાં નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ આપવામાં નહિ આવે. હાલ સ્ટાફની તંગી હોવાથી હોટલો પહેલા ની જેમ ધમધમાટ જોવા નહીં…
અમદાવાદમાં કોરોના ની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અને અહીં મૃત્યુનો આંક 1 હજારને વટાવી 1015એ પહોંચી ચુક્યો છે. અમદાવાદ માં કોરોના થી એક દર્દી નું પ્રથમ મોત તા.25 માર્ચે થયા બાદ માત્ર 75 દિવસમાં એક હજારથી વધુ દર્દીઓ ના મોત થયા છે. તાજા અહેવાલો માં છેલ્લા 24 કલાકમાં જ વધુ 21 લોકોના મોત થતા હાહાકાર મચ્યો છે, ગતરોજ 318 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં 15 એપ્રિલથી એક પણ દિવસ એવો નથી ગયો કે કોરોનાથી મૃત્યુ ન થયું હોય. અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા મધ્ય ઝોનના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરા, ઉત્તર ઝોનના સરસપુર, પૂર્વ ઝોનના ગોમતીપુરમાં 500થી…
કોરોના મહામારી માં સરકાર મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં સુધારા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, લોકો અને લઘુ ઉદ્યોગો (MSME)ને રોકડ નહિ આપી સરકાર દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે. આ ડિમોનેટાઇઝેશન 2.0 છે. રાહુલ ગાંધી એ પોતાના ટ્વિટ માં ભારતના અર્થતંત્ર પર લોકડાઉનની થનારી અસરો વર્ણન પણ કર્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જરૂરિયાતમંદ અને MSMEને રોકડ સહાયની માંગ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર પાસે માંગ કરી છે કે આવતા છ મહિના માટે દેશના નબળા વર્ગને દર મહિને રૂ. 7500 આપવામાં આવે. રાહુલે અગાઉ…
મુંબઈ. ફિલ્મ જગત માં આજકાલ અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘XXX અનસેન્સર્ડ 2’માં આપત્તિજનક સીન્સ બતાવવા મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદને અંગે એકતા કપૂરે ‘ધ બિગ ડિબેટ વિથ શોભા ડે’ની સાથે એક વેબિનારમાં આ અંગે ચર્ચા કરી હતી. એકતાની સાથે ગુલ પનાગ, નંદિતા દાસ, માલિની અગ્રવાલ તથા ગુરદીપ પુંજ વગેરે પણ સામેલ હતાં. એકતાએ કહ્યું કે ‘આ સીરિઝમાં સેક્સ્યૂઅલ કન્ટેન્ટ છે. મારાથી પણ ભૂલ થઈ કે મેં જાતે એપિસોડ જોયો નહીં. અહીંયા એક આર્મી ઓફિસરની પત્ની છે, આ પાત્ર ફિક્શનલ છે. તેના સંબંધો અન્ય કોઈ સાથે છે. જ્યારે તેનો પતિ બહાર જાય છે ત્યારે તે પોતાના બોયફ્રેન્ડને બોલાવે છે અને જે…
ગુજરાત માં લોકડાઉન માં અપાયેલી છૂટછાટ વચ્ચે આજે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્ય ના અમદાવાદ ૩૧૮, સુરત ૬૪, વડોદરા ૩૫, ગાંધીનગર ૧૯, મહેસાણા ૬, બનાસકાંઠા ૬, પાટણ ૫, ખેડા ૪, સુરેન્દ્રનગર ૪, રાજકોટ ૩, આણંદ ૩, ભાવનગર ૨, ભરૂચ ૨, વલસાડ ૨, અરવલ્લી ૧, કચ્છ ૧, દાહોદ ૧, નવસારી ૧, અમરેલી ૧, અન્ય રાજ્ય ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજય માં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 480 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. અને એક દિવસમાં 319 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 20097 નોંધાયા છે. અને મોતનો કુલ…
કોરોના એ ભારત માં હાહાકાર મચાવી દીધો છે અને હાલમાં કોરોના પોઝીટીવ ની સંખ્યા 2 લાખ 46 હજાર 394 થઇ ગઇ છે. ગતરોજ શનિવારે માત્ર એક દિવસમાં જ સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે વીતેલા છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના કોરોના ને કારણે મોત થયા છે. સાથેજ દેશમાં કોરોના ના ખપ્પરમાં હોમાયેલા લોકો ના મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે. મહારાષ્ટ્રમાં ગતરોજ વધુ 2739 નવા કેસ નોંધાયા હતા.માત્ર મુંબઇ ની વાત કરવામાં આવે તો કોરોના…