ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મુખ્યત્વે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ દેખાઈ રહ્યો છે આવા સમયે કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમીના વધતા જતા પ્રભાવ સામે ભાજપ ગભરાઈ ગયું છે અને આપ ના કવરેજ રોકવા મિડિયા ને ધમકાવવામાં આવી રહ્યું છે. કેજરીવાલે વડાપ્રધાન કાર્યાલયમાં સંચાર અને આઈટી પ્રમુખ હિરેન જોશી સામે ગંભીર આરોપો લગાવી જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સલાહકાર અને PMOમાં OSD એવા હિરેન જોશી ગુજરાતની અનેક સમાચાર ચેનલ્સના માલિકો અને એડિટર્સને ‘આપ’નું કવરેજ ન કરવા માટે ચેતવણી આપી રહ્યા છે. સાથે જ કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે, હિરેન જોશી ચેનલના…
કવિ: Halima shaikh
રાજસ્થાનના નાગૌર કોર્ટ બહાર જ શૂટરોએ ગેંગસ્ટર સંદીપ બિશ્નોઈને પોલીસની સામેજ ગોળી મારી ઢીમ ઢળી દીધું હતું. સંદીપ નાગૌર જેલમાં જ બંધ હતો નાગૌર પોલીસ બપોરે ગેંગસ્ટર સંદીપને લઈને કોર્ટ પહોંચી હતી. આ દરમિયાન કારમાં આવેલા શૂટરોએ ગેંગસ્ટર સંદીપને ગોળી મારી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનારાઓ હરિયાણાના હતા. બદમાશોએ 9 વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો હતો. તમામ શૂટર્સ બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા. સંદીપ હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર અને સોપારી કિલર હતો. તે સેઠી ગેંગ સાથે સંકળાયેલો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે દારૂની હેરાફેરી અને હત્યાકેસમાં સામેલ હતો. તેણે નાગૌરમાં એક વેપારીની પણ હત્યા કરી હતી.
અમદાવાદ માં તા.30 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જેમાં લોકોને ખાનગી વાહનમાં ચૂકવવા પડતા મોટા ભાડામાંથી મુક્તિ મળશે અને સસ્તી મુસાફરી નો લાભ મળશે. 21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જાવ તો રૂ.325 ભાડું અને કેબમાં ભાડું 360 થાય છે.…
આતંકવાદના કારણે કાશ્મીર ખીણમાં લોકો ફિલ્મ જોવાનું ભૂલી ગયા હતા પણ હવે લગભગ ત્રણ દાયકા પછી, લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું આજે મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા કરશે. મલ્ટિપ્લેક્સમાં આમિર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢાની ફિલ્મ રજૂ થશે. નિયમિત શો 30 સપ્ટેમ્બરથી રિતિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધાના સ્ક્રીનિંગ સાથે શરૂ થશે. કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલમાં સ્થાનિક લોકો ફિલ્મ માણી શકશે. સ્થાનિક ભોજનને પ્રોત્સાહન આપવાના હેતુથી પરિસરમાં ફૂડ કોર્ટ પણ હશે.
છત્તીસગઢ હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારના 2012ના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત વધારીને 58 ટકા કરવાના નિર્ણયને રદ કર્યો હતો અને 50 ટકાની મર્યાદાથી વધુ અનામતને ગેરબંધારણીય ગણાવ્યું હતું. અરજદારોમાંના એકના વકીલ મતિન સિદ્દીકીએ જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ અરૂપ કુમાર ગોસ્વામી અને જસ્ટિસ પીપી સાહુની ડિવિઝન બેન્ચે 2012માં અનામત નિયમોમાં સુધારો કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો હતો. રાજ્યના એડવોકેટ જનરલ સતીશ ચંદ્ર વર્માએ કહ્યું કે છત્તીસગઢ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચે 50 ટકાથી વધુ અનામતને ગેરબંધારણીય ગણાવી છે. વર્માએ કહ્યું કે આ મામલો 2012માં સરકારી નિમણૂંકો અને મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય કોલેજોમાં એડમિશનમાં 58…
સુપ્રીમ કોર્ટે એસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (AMC)ની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ, 2020 અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એક્ટ, 2020ની માન્યતાને પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ દુલિયાની બેન્ચે કેન્દ્રનો જવાબ માગીને સુનાવણી 4 નવેમ્બર સુધી મુલતવી રાખી છે. મુંબઈ સહિત પશ્ચિમ ભારતના લગભગ 11,000 ડૉક્ટરો AMCના સભ્ય છે. AMCએ પિટિશનમાં સેક્શન 34 (પ્રેક્ટિશનર્સના અધિકારો)માં કરાયેલા ફેરફારોને રદ કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી છે. આ સાથે આયુર્વેદિક ચિકિત્સામાં પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબોને 58 પ્રકારની સર્જિકલ પ્રક્રિયાઓ કરવા માટે આપવામાં આવેલી પરવાનગી રદ કરવાની પણ…
આજે મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચમાં વરસાદને કારણે ખલેલ પડી શકે છે. ચંદીગઢ હવામાન વિભાગે મંગળવારે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી જારી કરી છે. જો કે, ભારે વરસાદની સંભાવના ઘણી ઓછી છે. ચંદીગઢ હવામાન વિભાગે સોમવારે પણ વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી હતી, જેની અસર શહેર પર પડી હતી. બપોરના 4 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં હળવા ઝરમર ઝરમર વરસાદ સાથે મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેની અસર ચંદીગઢના તાપમાન પર પણ જોવા મળી હતી. સોમવારે ચંદીગઢમાં મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સરેરાશ કરતાં 3 ડિગ્રી વધારે છે.…
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે ચાર વખત પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ આ વાતની કબૂલાત કરી છે. જેકલીને સોમવારે પૂછપરછ દરમિયાન સુકેશ પાસેથી મળેલી કિંમતી ભેટોની યાદી સોંપી હતી. જેમાં કિંમતી બેગ તેમજ જ્વેલરી અને કાર્ડનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જેકલીન તપાસમાં સહકાર આપી રહી છે. બુધવારે પ્રથમ પૂછપરછ દરમિયાન પોલીસે જેકલીનને સુકેશને મળેલી ભેટની યાદી લાવવા કહ્યું હતું. ઉપરાંત, પોલીસે તેને વર્ષ 2020 અને 2021 માટે તેના બેંક ખાતાની વિગતો આપવા કહ્યું હતું. સોમવારે બપોરે પૂછપરછ માટે આર્થિક અપરાધ શાખાની ઓફિસે પહોંચેલી જેકલીન તમામ માહિતી સાથે પહોંચી હતી. પોલીસ…
સરકાર ટૂંક સમયમાં તા.30 સપ્ટેમ્બરથી ગરીબોને મફત રાશન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ને લંબાવવાનો નિર્ણય લેશે. આ પગલાથી લગભગ 80 કરોડ ગરીબોને ફાયદો થશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સોમવારે કહ્યું કે, સરકારે નક્કી કરવાનું છે કે યોજનાની અવધિ લંબાવવી કે નહીં. જોકે, આ અંગે ક્યારે નિર્ણય લેવામાં આવશે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. માર્ચ, 2020માં શરૂ થયેલી આ યોજનાની અવધિ ઘણી વખત લંબાવવામાં આવી છે. અત્યારે તે 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે. સરકાર ટૂંક સમયમાં ઓક્ટોબરથી શરૂ થતા આગામી માર્કેટિંગ વર્ષ માટે ખાંડના નિકાસ ક્વોટાની જાહેરાત કરશે. સરકારે મે મહિનામાં 100 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી…
કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવનાર ધાર્મિક નેતાઓ અને ઉલેમાઓના કથિત ઉશ્કેરણીજનક નિવેદનોના આધારે છેલ્લા કેટલાક દિવસોથી ધરપકડોનો દૌર શરૂ થતાં પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં, તેમણે લખ્યું, “ધાર્મિક વિદ્વાનોને જેલમાં ધકેલી દેવા, જામા મસ્જિદને બંધ કરવી અને અહીંના શાળાના બાળકોને હિંદુ ભજન ગાવા માટે નિર્દેશિત કરવા એ કાશ્મીરમાં ભારત સરકારના વાસ્તવિક હિન્દુત્વના એજન્ડાને છતી કરે છે.” આ કહેવાતા બદલાતા જમ્મુ અને કાશ્મીર માટે આપણે આ કિંમત ચૂકવી રહ્યા છીએ. વાસ્તવમાં, મહેબૂબાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર સરકારી હાઈસ્કૂલ નાગામ (કુલગામ)ના એક વાયરલ વીડિયો સાથે સામે આવી છે જેમાં શિક્ષકો બાળકોને મહાત્મા ગાંધીના…