રાજ્યમાં 74માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ તકે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, આજે રાજયમાં ઠેરઠેર પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે બોટાદમાં રાજયકક્ષાના ગણતંત્ર દિવસ ની ઉજવણી થઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહયા હતા. આજે 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહ્યા અને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સાથેજ આજે સમગ્ર રાજયમાં તમામ જિલ્લામાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે…
Author: mohammed shaikh
આજે ગાયો માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે, ગાયો ને ચરવા માટેની જમીનો ખાઈ જવાનું પાપ કરનારા સામે પગલાં ભરવામાં આવતા નથી અને ગાયો ને ડબ્બામાં પૂરવામાં આવતી હોવાની વાત સામે ગૌ રક્ષકોમાં આક્રોશ છે. અગાઉ રાજાશાહી વખતે ગાયોને ચરવા માટે જમીન દાનમાં આપવામાં આવતી હતી અને અનેક વીર ગાયો માટે શહીદ થયા છે પણ આજે ગૌચર છીનવાઈ જતા ગાયો કચરો ખાવા મજબૂર બની છે આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કર્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં હાલની સ્થિતિએ કુલ 17 ગામની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કરી લેતા ગાયોના મોઢાનો…
જયપુરના રાજમહેલ ખાતે યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પુત્ર હરીશ નડ્ડાનાં લગ્નમાં મોટી સંખ્યામાં વીઆઈપી મહેમાનો ઉમટ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યપાલ કલરાજ મિશ્રા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી હરીશ ચૌધરી, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ પ્રકાશ માથુર, વિપક્ષના ઉપનેતા. જયપુરમાં પેલેસ રાજેન્દ્ર રાઠોડ, બીજેપી સાંસદ દિયા કુમારી, સીપી જોશી, દુષ્યંત સિંહ, ઘનશ્યામ તિવારી, રામચરણ બોહરા, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી, ધારાસભ્ય નરપત સિંહ રાજવીએ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ નેતાઓ હરીશ અને રિદ્ધિને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના પુત્ર હરીશના…
ઓસ્ટ્રેલિયામાં તાજેતરના દિવસોમાં હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે,જેના પર ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય હાઈ કમિશને એક નિવેદન જારી કરીને હિંદુ મંદિરો પર હુમલાની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈ કમિશને કહ્યું છે કે ‘અમે મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોની તોડફોડની સખત નિંદા કરીએ છીએ. આ સ્પષ્ટપણે શાંતિપૂર્ણ અને બહુધાર્મિક ભારતીય ઓસ્ટ્રેલિયન સમાજમાં નફરત અને વિભાજન કરવાનો પ્રયાસ છે. હાઈ કમિશને કહ્યું કે ‘એવા સંકેતો છે કે ખાલિસ્તાન તરફી તત્વો ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે અને તેમને શીખ ફોર…
દેશના 74માં પ્રજાસત્તાક પર્વ દીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9:51 વાગ્યે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સલામી ડાયસ પર સ્વાગત કર્યુ અને રાષ્ટ્રપતિ મુર્મુએ સવારે 10:30 કલાકે ધ્વજ ફરકાવ્યો હતો આ પછી ફરજ માર્ગ પર પરેડ શરૂ થઇ ગઈ છે. આ પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો અને દારૂગોળો પણ સ્વદેશી પ્રદર્શિત કરાયો છે. ભારતમાં બનેલી 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનમાંથી પ્રથમ વખત 21 તોપોની સલામી આપવામાં આવી હતી. મહત્વનું છે કે અત્યાર સુધી આ સલામી બ્રિટિશ 21 પાઉન્ડર ગનથી આપવામાં…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો ,આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી સાથેજ પરેડ શરૂ થઈ હતી જેની તેઓએ સલામી ઝીલી હતી. આ પહેલા આજે 74માં ગણતંત્ર દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વતંત્રતા સેનાનીઓના સપના પૂરા કરીએ. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ…
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ઘાટિયા રોડ પર સિટી સ્ટેશનની સામે આજે ગુરુવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એકજૂની ધર્મશાળાના ખોદકામ દરમિયાન પાંચ મકાનો અને આસપાસમાં એક મંદિર ધરાશાયી થયું હતું. એક ઘરમાં રહેતા પિતા, પુત્રી અને પુત્ર સહિત પાંચ લોકો દટાયા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો. માહિતી મળતા પોલીસ પહોંચી હતી. લગભગ એક કલાકની કવાયત બાદ પોલીસે તમામને બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક બાળકીની હાલત ગંભીર છે. હરિ પર્વત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે અકસ્માત સવારે 7.30 વાગ્યે થયો હતો. જૂની ધર્મશાળામાં ઘણા…
ભાવનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે અહીં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે. રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ભાવનગરમાં પણ કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહયા છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભાવનગર શહેરમાં છેલ્લાબે દિવસથી સુસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાતા લોકો રીતસર ઠુઠવાઈ ગયા છે. સવારના સમયે 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા દિવસભર લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. મહત્તમ તાપમાન ઘટીને 25.7 ડિગ્રી અને લઘુત્તમ 13 ડિગ્રી નોંધાયું હતું. સવારે 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાથી પવન ફુંકાતા વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે. આગામી તા.29…
આજે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દીને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર મળ્યા બાદ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે અને શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈ અને તપાસ શરૂ થઈ છે. અમદાવાદ પોલીસને કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પત્રમાં એટલે કે તા.26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ અમદાવાદના ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાળુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલ અમદાવાદ શહેર કરામ બ્રાંચ દ્વારા આ અંગેની…
વડોદરાથી સુરત,ભરૂચ,નવસારી,મુંબઈ સુધીમાં આઈફોન માર્કેટમાં મોટાપાયે દાણચોરી થઈ રહ્યાની વાત સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ભરૂચ અને નવસારી સહિત સુરતના કેટલાક મોટા નામો ભારે ચર્ચામાં છે જેમાં ઇબ્રાહિમ કાપડિયા (ઇબુ) અને મોહંમદ અલી સુરત IA TELECOM , અસલમ નવસારી, સેલ પેસિફિક (ભરૂચ),આલોક નવસારી,સેલ વર્લ્ડ (સુરત),દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ), ધ્રુવ શાહ (એપલ વર્લ્ડ),મોબાઈલ વર્લ્ડ,વગરે નામો ભારે ચર્ચામાં આવ્યા છે અને થોડા સમય બાદ ધંધો ફરીથી ચાલુ થઈ ગયો હોવાની વાત ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે. સુરતના…