એક મહત્વ ના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદ મનપા ના વિકાસ ખાતા દ્વારા આજે પરિપત્ર બહાર પાડી અમદાવાદ ની જૂની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની સરળ પ્રક્રિયા જાહેર કરતા ઇમારતો પડવાની ઘટનાઓ માં ઘટાડો થશે. પરિપત્ર માં જણાવ્યા મુજબ રિ-ડેવલપમેન્ટમાં આવતી સોસાયટીના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો રિ-ડેવલપમેન્ટની સમંતિ આપેલી હોય અને સોસાયટી ૨૫ વર્ષથી જુની હોય અથવા સક્ષમ સત્તા દ્વારા તેને ભયજનક ઘોષિત કરવામાં આવેલી હોય તો રિ-ડેવલપમેન્ટની મંજુરી મળી શકશે. હવે સોસાયટીના ૧૦૦ ટકા સભ્યોની સમંતિનો આગ્રહ રાખ્યા વિના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો સમંત હશે તો રિ-ડેવલપમેન્ટને મંજુરી મળી શકશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં આવેલી ૨૫…
કવિ: Halima shaikh
હાલ કોરોના ની હાડમારી ના કારણે અને લોકડાઉન માં ધંધા રોજગાર અને નોકરીઓ ને અસર થતા લોકો બેરોજગાર થઈ ગયા છે અને પૈસા ની તંગી છે બીજી તરફ સ્કૂલો પણ બંધ છે અને ઓનલાઇન સ્ટડી ચાલુ થયું છે ત્યારે લોકો ને ફી ભરવાના પણ ફાંફા છે ત્યારે ઘણી સ્કૂલો ફી માફ કરી રહી છે તેવા સમયે વલસાડ માં પણ એક સ્કૂલે ફી માફ કરી છે. વલસાડ તાલુકાના ઊંટડી વિભાગ કેળવણી મંડળે કે.જી અને ધો.1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની જૂનથી શરૂ થતાં નવા સત્રની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ દ્વારા ફી માફ કરવાનો નિર્ણય કરતાં વાલીઓને મોટી રાહત ની…
વલસાડ માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા દીને તિથલ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની કોરોના ના નિયમો ને ધ્યાને લઇ સાદગી સાથે ઉજવણી શરૂ થઈ છે. હરિ ભક્તોને સ્વામિનારાયણ મંદિરે સરકારના તમામ નિર્ણયનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગુરૂના આશીર્વાદ મેળવી રહ્યા છે. હરિ ભક્તો સવારે 8થી 11 અને સાંજે 4થી 7 સુધી ભક્તો દર્શન ઠાકોરજીના અને ગુરૂના આશીર્વાદનો લાભ લઇ શકશે. જોકે,અગાઉ દર વર્ષે ગુરૂપૂર્ણિમા પ્રસંગે સંતવાણી, ગુરૂ પૂજાના વગેરે ધામધૂમ થી ઉત્સવ ઉજવવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોના ની હાડ મારી વચ્ચે આ ઉત્સવ ની સાદગી થી ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. એટલુંજ નહિ સાંજે…
અમેરિકા ના 244 માં સ્વતંત્રતા દિન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પીએમ મોદીને જવાબ આપતા કહ્યું હતું કે, થેંક્યૂ મારા દોસ્ત અમેરિકા પણ ભારતને પ્રેમ કરે છે. પીએમ મોદીએ અમેરિકાને સ્વતંત્રતા દિન પ્રસંગે લખ્યું હતું કે, હું અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે અમે આઝાદી અને લોકશાહી ને મહત્વ આપીએ છીએ અને તે મૂલ્યોને લઈને તેની ઉજવણી કરીએ છીએ. આ તકે અભિનંદન…
વડોદરામાં સ્થાનિક કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ને સમર્થન કરવાના મામલા માં કરણી સેના ના આગેવાન રાજ શેખાવતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વડોદરા માં ઓઈલ ચોરી પ્રકરણમાં ગાજેલા ભાજપના પૂર્વ નેતા અને કરણી સેનાનાં આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં વડોદરા ભડકે ભળશે તેવું નિવેદન આપવા મામલે રાજ શેખાવત ની ધરપકડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વડોદરાના જવાહર નગર પોલીસ અને પીસીબીએ નરેન્દ્ર રોડ લાયન્સના ગોડાઉનમાં દરોડો પાડી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાની ફરિયાદ નોંધી ગોડાઉન કીપર તેમજ ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગોડાઉનના માલિક અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું…
ગુજરાતમાં અમદાવાદ સહિત ના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે.જોકે,વડોદરા પંથક માં ચાલુ વર્ષે ખાસ વરસાદ થયો નથી અને આજેપણ હજુપણ સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો પણ આકાશ માં વાદળો જોવા મળ્યા હતા રાજ્યમાં વીતેલા 24 કલાક માં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા માં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વખતે ચોમાસુ ખાસ જામ્યું નથી અને વરસાદ ની આગાહીઓ ખોટી પડી હોવાની વાસ્તવિકતા સામે આવી છે સુરેન્દ્રનગર ના ઘણા ગામડાઓ માં વાવણી પણ થઈ નથી અને રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ તો વરસાદ…
અમદાવાદ માં દારૂની હેરફેર હવે સામાન્ય બની ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં દારૂ ની રેલમછેલ જોવા મળી રહી છે આવોજ એક બનાવ સામે આવ્યો કે જ્યાં અકસ્માત બાદ ખબર પડી કે અકસ્માત સર્જનાર કાર દારૂ નો ફેરો મારી રહી હતી. અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડે ધસી આવેલી કારે એક રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને રીક્ષાનો આગળનો ભાગને મોટું નુકસાન થયું હતું. જોકે અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુનો અને પ્રોહિબિશનનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી હતી…
હાલ કોરોના ની મહામારી માં શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું છે ત્યારે આવી રહેલા સમાચાર માં રાજ્યની યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થવા સાથે સપ્ટેમ્બરથી કોલેજોની શૈક્ષણિક કાર્યવાહી શરૂ કરવાની ક્વાયત શરૂ થઈ છે, ઉપરાંત કોલેજોમાં 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઇન રાખવા સહિત તમામ કોલેજો અને યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગ ફરજિયાત સુવિધા ઉભી કરવા ભાર મુકાશે સાથેજ કોરોના ને ધ્યાને લઇ દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19નો ખાસ સેલ પણ ઉભો કરવા જણાવાયું છે. ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ…
રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા એલઆરડી પ્રકરણમાં ઉકેલ આવ્યો છે અને હમણાંજ મળી રહેલા અહેવાલો મુજબ LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા હતા તેઓને આજે 4 જુલાઈ એ નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવતા આવા ઉમેદવાર ના આંદોલન ની જીત થઈ છે. આ આદેશ રાજ્ય પોલીવડા શિવાનંદ ઝાએ કર્યો છે.નોંધનીય છેકે ગુજરાત પોલીસની ભરતીમાં મહિલાઓને રાજ્ય સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેમની પસંદગી શક્ય બને. એટલે…
હવે રેલવે પણ ઝડપથી ખાનગી કરણ ના માર્ગે દોડી રહ્યું છે અને અત્યાર સુધી ના સરકારી ઇજારા નો ધીરેધીરે અંત આવી રહ્યો છે , જે રીતે સરકારી એસટી વિભાગ અને ખાનગી ટ્રાવેલ્સ ની સેવા છે તેજ મુજબ હવે ખાનગી અને વધુ સુવિધાઓ ધરાવતી ખાનગી ટ્રેનો ટ્રેક ઉપર દોડતી થઈ ગઈ છે. દેશમાં ખાનગી ટ્રેનો દોડાવવાના પ્રોજેક્ટના ભાગરૂપે હાલના રેલ નેટવર્ક પર દેશભરમાં 109 જોડી રૂટ પર ખાનગી કંપનીઓને ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ખાનગી કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવનાર ટ્રેન ઓછામાં ઓછી 16 ડબ્બાની રહેશે અને તેની મહત્તમ સ્પીડ કલાક દીઠ 160 કિલોમીટરની રહેશે. આ તમામ ખાનગી ટ્રેનો માટે મોટાભાગના…