Dang: ડાંગમાં શ્રીકાર વર્ષા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, વહીવટી તંત્ર રાખી રહ્યું છે ચાંપતી નજર Dang: ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ, તારીખ ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારના છ કલાકથી લઈને સાંજે ૪ વાગ્યા સુધી પુરા થતાં દસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૧૫૭ મી.મી.વરસાદ નોંધાયો છે. જેને પગલે અહીની લોકમાતાઓ ફરી એકવાર બન્ને કાંઠે વહેવા લાગી છે. વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો, આહવા તાલુકામાં આ દસ કલાક દરમિયાન ૧૦૭ મી.મી (મોસમનો કુલ ૨૩૩૭ મી.મી), વઘઇમાં ૧૯૧ મી.મી (મોસમનો કુલ ૨૪૪૬ મી.મી), અને સુબીરમાં ૧૭૪ મી.મી (મોસમનો કુલ ૨૧૫૧ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૧૫૭ મી.મી (મોસમનો કુલ…
કવિ: Shakil Saiyed - Political Editor
Valsad: વલસાડ જિલ્લામાં દૈનિક ધોરણે મેટલ, જે.એસ.બી. અને વેટમિક્સ મટિરીયલથી રસ્તા પેચવર્કથી રાહત Valsad: વલસાડ જિલ્લામાં દૈનિક ધોરણે મેટલ, જે.એસ.બી. અને વેટમિક્સ મટિરીયલથી રસ્તા પેચવર્કથી રાહત થઈ છે. ૩૫થી વધુ જીસીબી, ૪૪ થી વધુ ડમ્પર-ટ્રેક્ટર અને ૧૨૫ લેબરો દ્વારા નિયમિત કામગીરી શરુ કરવામાં આવી છે.ઓવરટોપિંગથી બંધ ૧૪૬ રસ્તાઓ પૈકી ૧૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુમાં વલસાડ જિલ્લામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ વલસાડ હસ્તકના કૂલ ૨૬૩ જેટલા રસ્તાઓને તેમજ ૪૨ જેટલા ડૂબાવ કોઝવે/નાળાના એપ્રોચ સ્લેબ/વેરીંગ કોટને નુકશાન થયું હતું. જેને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડના તાબા હેઠળની પેટા વિભાગીય…
Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળસંગ્રહ થયો, ગુજરાતભરનાં 113 જળાશયો 100 ભરાયા ગુજરાત રાજ્યમાં ર૦૬ જળાશયોમાં ૭૮ ટકા જળ સંગ્રહ થયું છે. જેમાં સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકા જળ સંગ્રહ છે. તેમજ રાજ્યના ૧૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના ૧૩ર જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના ૧પ જળાશયો એલર્ટ પર મુકાયા તો ૯ જળાશયો વોર્નિંગ પર મૂકાયા છે. ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થયા પછી રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. રાજ્યમાં મેઘમહેરના પરિણામે ર૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા…
Iran: બાપ રે બાપ…! 82.2 ડિગ્રી ગરમી! ઈરાનમાં એક જગ્યાએ આટલી બધી ગરમી કેમ પડી? જાણો શું થયું Iran: 28 ઓગસ્ટના રોજ, દક્ષિણ ઈરાનના ડેરેસ્તાન એરપોર્ટ નજીકના વેધર સ્ટેશને પૃથ્વીનો અત્યાર સુધીનો સૌથી વધુ 82.2°C (180°F) હીટ ઈન્ડેક્સ નોંધ્યો હતો. જ્યારે ઝાકળનું બિંદુ 97°F (36.1°C) નોંધાયું હતું. અમેરિકન હવામાનશાસ્ત્રી કોલિન મેકકાર્થીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. જો કે, આ વાંચન સચોટ છે કે કેમ તેની સત્તાવાર રીતે તપાસ કરવાની બાકી છે. મેકકાર્થીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે “આ રીડિંગ્સ સચોટ છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે સત્તાવાર તપાસ પૂર્ણ કરવાની જરૂર છે.” તેમણે…
Caste Census: ચૂંટણીના ફાયદા માટે જાતિની વસ્તી ગણતરી ન કરવી જોઈએ, હિન્દુ ધર્મમાં આ સંવેદનશીલ બાબત, RSSનું મોટું નિવેદન Caste Census: લાંબા સમયથી જાતિની વસ્તી ગણતરીની માંગ ઉઠી રહી છે. કોંગ્રેસ, આરજેડી અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોએ આ મુદ્દો અવાજ ઉઠાવ્યો છે. પરંતુ સરકારનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ સોમવારે (02 ઓગસ્ટ) જાતિની વસ્તી ગણતરી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે માત્ર રાજકીય લાભ માટે જાતિની વસ્તી ગણતરી ન થવી જોઈએ. આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે હિંદુ ધર્મમાં જાતિ એક સંવેદનશીલ બાબત છે. આને ચૂંટણીથી આગળ વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે જો…
પુરાણની મોકાણ, પુરનું કમઠાણ (સૈયદ શકીલ દ્વારા) : Gujarat માં ચોમાસાના પ્રારાંભિક વરસાદમાં જ રસ્તાઓ તૂટ્યા અને નદીઓ પણ રસ્તા પર રેલાઈ જવા પામી છે. આ ગુજરાત સરકાર માટે મોટી ચેતવણી છે. ગુજરાત સરકાર ગમે તેટેલા હોકાટા પાડે પણ વાસ્તવિક્તા દિવસે દિવસે લોકોના જાન માલ માટે મોટો ખતરો આણનારી હોવાનું ડોકાઈ રહ્યું છે. સામાન્ય રીતે ભારે વરસાદમાં નદી, સરોવરો, તળાવો છલકાય છે પરંતુ એ પાણી આવી રીતે રસ્તાઓ પર ધસમસતી નદીની જેમ વહેતું જોવા મળતું ન હતું. હવે આ સ્થિતિનું આકલન ગુજરાત સરકાર કે લોકલ બોડીઓ કરે છે કે કેમ તે માલૂમ પડી રહ્યું તી પણ સ્થિતિ ભયાવહ બની રહી…
National: દેશમાં બહેનો-દીકરીઓને ‘હવસખોરો’થી બચાવવા માટે 5213 કરોડ રૂપિયા ખર્ચાયા, છતાં પણ ચિત્ર બદલાયું નથી. National: દિલ્હીમાં બળાત્કારની હૃદયદ્રાવક ઘટના બાદ 11 વર્ષ પહેલા રચાયેલ નિર્ભયા ફંડ પણ હજુ સુધી બહેનો અને દીકરીઓને નિર્ભય બનાવવામાં અસરકારક સાબિત નથી થયું. જાહેર સ્થળોએ મહિલાઓ માટે સલામત વાતાવરણ ઊભું કરવાના ઉપાયો માટે બનાવવામાં આવેલા આ ફંડમાંથી રાજ્યોને રૂ. 5213 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિમાં બહુ ફેરફાર થાય તેવું લાગતું નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, છત્તીસગઢમાં આ ફંડથી થયેલા કામોની જમીની વાસ્તવિકતા તપાસી. જાહેર પરિવહનની બસોમાં મહિલાઓ માટેના પેનિક બટનો કાં તો લગાવવામાં આવ્યા નથી અથવા કામ કરતા નથી,…
SEBI: IPOમાં રોકાણ કરતા પહેલા આ સમાચાર જાણી લો, નિયમોમાં આ મોટો ફેરફાર કરવા જઈ રહી છે નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) ના IPO ને લઈને રોકાણકારોમાં ઉન્માદ છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં લૉન્ચ થયેલા 180 કરતાં વધુ SME IPOનું સરેરાશ સબ્સ્ક્રિપ્શન 200 ગણા કરતાં વધુ છે, જ્યારે મેઇનબોર્ડ IPOનું સરેરાશ સબ્સ્ક્રિપ્શન 48 ગણું છે. SME IPO પાછળ રોકાણકારોના ગાંડપણ પાછળનું કારણ ગ્રે માર્કેટમાં ભારે પ્રીમિયમ અને લિસ્ટિંગના દિવસે જંગી નફો છે. જો કે, આ વર્ષે લોન્ચ કરાયેલા SME IPOમાંથી 50 ટકાથી વધુએ લિસ્ટિંગના દિવસે જંગી નફો આપ્યા બાદ રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમના શેર હાલમાં લિસ્ટિંગ દિવસના…
Delhi Excise Policy Case : જ્યારે AAPના અન્ય એક નેતાને જામીન મળ્યા ત્યારે મનીષ સિસોદિયાએ કહ્યું- ‘અરવિંદ કેજરીવાલ…’ Delhi Excise Policy Case: મનીષ સિસોદિયાએ કહ્યું કે બીજેપીના બનાવટી દારૂ કૌભાંડની વાર્તામાં આજે વધુ એક બલૂન ફૂટ્યો. વિજય નાયરને 23 મહિના સુધી કોઈપણ પુરાવા વગર અને કોઈપણ વસૂલાત વગર જેલમાં રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કોમ્યુનિકેશન હેડ વિજય નાયરને જામીન આપ્યા છે. આ અંગે AAP નેતા મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા આવી છે. મનીષ સિસોદિયાએ કહ્યું સત્યમેવ જયતે. બીજેપીના બનાવટી દારૂના કૌભાંડનો આજે વધુ એક પરપોટો ફૂટ્યો. મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે “કોઈપણ પુરાવા…
Nitin Gadkari: કંપનીઓ ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દે, વેચવું મુશ્કેલ બનશે’, નીતિન ગડકરીએ કેમ આપી આ ચેતવણી? Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી ઈંધણનું પ્રદૂષણ અને તેની આયાત ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો તેઓ આ વાહનો…