ઝારખંડના લાલુ પ્રસાદનો કોરોના રિપોર્ટ નેગેટીવ સામે આવ્યો છે, પરંતુ તેના ત્રણેય સેવકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ત્રણેય સેવકોને તેમની ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. જો કે, લાલુ પ્રસાદનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, તેમની તપાસ ત્રણથી પાંચ દિવસ પછી ફરી પુનરાવર્તન કરવામાં આવશે. આરજેડીના પ્રદેશ પ્રમુખ પણ બે દિવસ પહેલા સકારાત્મક મળ્યા હતા. લાલુ યાદવને શનિવારે કોરોના વાયરસ ઇન્ફેક્શન સ્ક્રીનીંગ માટે નમૂના લેવામાં આવ્યા હતા. આરઆઇએમએસમાં દાખલ લાલુ યાદવની સારવારનો હવાલો સંભાળતા ડોક્ટર ઉમેશ પ્રસાદે શનિવારે કહ્યું હતું કે સાવચેતી પગલા તરીકે કોરોના વાયરસની તપાસ કરવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલમાં કોવિડ -19 નાં…
Author: Satya-Day
સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં 97 દિવસમાં ફકતને ફકત 34 કોરોનાના કેસો નોંધાયા છે. જેમાંથી છેલ્લા પંદર દિવસમાં ફકત બે જ કેસ આવ્યા છે. વહીવટીતંત્ર શા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું વારંવાર કહે છે, તે આ તાલુકા ના કેસો પરથી જોઇ શકાઇ છે. કોરોનાની સુરત જિલ્લામાં માર્ચ મહિનામાં એન્ટ્રી માંગરોળ તાલુકામાંથી થઇ હતી. ત્યારબાદ કોરોનાના કેસો તબક્કાવાર બીજા તાલુકામાં પ્રસરતા જ ગયા છે. જેમાં જુલાઇ મહિનાથી તો સુરત જિલ્લામાં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો હોય તેમ કેસોમાં ધરખમ વધારો જ થઇ રહ્યો છે. આ વધારા વચ્ચે સુરતથી દૂર જંગલોથી ભરપૂર ઉમરપાડા તાલુકામાં કોરોના વધુ લોકોને સ્પર્શી શકયો નથી. ઉમરપાડા તાલુકામાં તા.21મી…
બેંગ્લુરૂમાં કોરોના સંક્રમણે માઝા મૂકી છે, જેમાં શહેરમાં ૩,૩૩૮ કોરોના સંક્રમિતો લાપતા થતાં ખળભળાટ મચી ગયો છે. લાપતા થયેલા બૃહત બેંગ્લુરૂ મહાનગરપાલિકાના કમિશનર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું હતું કે, અમે ઘણા પ્રયાસ કર્યાં છતાં લાપતા સંક્રમિતોને શોધી શક્યાં નથી. અમે પોલીસની મદદથી કેટલાક પોઝિટિવ દર્દીઓને શોધી કાઢયા છે તેમ છતાં હજુ ૩,૩૩૮ કોરોના દર્દીઓ લાપતા છે. તેમાંના કેટલાકે સેમ્પલ આપતા સમયે ખોટા મોબાઇલ ફોન નંબર આપ્યા છે તો કેટલાકે ખોટાં સરનામાં નોંધાવ્યાં છે. કોરોના ટેસ્ટના પોઝિટિવ રિઝલ્ટ આવ્યા પછી તેઓ લાપતા થઇ ગયા છે. અમે તેમની કોઇ એક્ટિવિટી ટ્રેક કરી શકતાં નથી. તેઓ જાતે ક્વોરન્ટાઇન થઇ ગયા છે કે કેમ…
: નવસારી (Navsari) જિલ્લામાં રવિવારે વધુ 18 કેસ વધતા જિલ્લામાં કુલ કેસનો આંકડો 481 પર પહોંચ્યો છે. જ્યારે આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. નવસારી જિલ્લામાં કોરોના (Corona Virus/ Covid-19) ના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. છતાં પણ લોકો સોશ્યિલ ડિસ્ટનસિંગ (Social Distancing) નું પાલન કરી રહ્યા નથી. હાલ તહેવારોની સિઝન (festival season) ચાલી રહી છે. શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે. જેથી લોકો પૂજા કરવા માટે મંદિરોમાં જઇ રહ્યા છે. પરંતુ ત્યાં પણ લોકો સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરવાનું ચુકી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લા તંત્ર લોકોને કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. પરંતુ…
દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારી (The epidemic of corona) થી દેશનાં તમામ ઔધોગિક ક્ષેત્ર (Industrial sector) પર વિપરીત અસર થઈ છે. એમાં એક ક્ષેત્ર રેલ્વે પરિવહન છે. કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ (Railway situation) એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારી (Railway employees) ઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલય (Union Finance Ministry) ને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ સ્ટાફ છે. જણાવી દઈએ કે રેલ્વે સરકારનાં નિયંત્રણ હેઠળ…
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે લોકોની માનસિક સ્થિતિ પર પણ અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને 70% જુના સાજા થઇ ગયેલા માનસિક બિમાર દર્દીઓ ફરી ઓબ્સેસિવ કમ્પલવીવ્ઝ ડિસઓર્ડર (Obsessive compulsive disorder -OCD) નો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનાથી શહેર કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ લોકડાઉન જાહેર કરાયું હતું. હવે કોરોનાની તીવ્રતા વધતાં નવા કેસ અને મોતનો આંકડો વિસ્ફોટક બન્યો છે. આ પરિસ્થિતિમાં કોરોના નહીં પણ કોરોનાનો ડર કેટલાય લોકોને મારી નાખશે. શહેરમાં અંદાજે ૫૦ જેટલા સાઇકિયાટ્રિસ્ટ સેવા આપી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ.કમલેશ દવેના જણાવ્યા મુજબ કોરોનાના વધતા ભયની વચ્ચે વર્ષો પહેલા સાજા થઇ ગયેલા માનસિક બિમાર…
શહેરમાં એક બાજુ કોરોના (Corona Virus/ Covid-19) ના દર્દીઓ સતત વધી રહ્યાં છે. આ દર્દીઓને હોસ્પિટલાઇઝ કરવા માટે સ્મીમેર (SMIMER Hospital) અને સિવિલ (Civil Hospital, Surat) તેમજ સમરસ હોસ્ટેલમાં સરકાર અને મનપા (Surat Municipal Corporation-SMC) સંચાલિત વ્યવસ્થાની સાથે સાથે મનપાએ 45 થી વધુ હોસ્પિટલો સાથે પણ કરાર કરીને તેના 50 ટકા બેડ (bed) મનપા દ્વારા દાખલ કરાતા દર્દીઓ માટે અનામત રાખવાની જોગવાઇ કરી છે. સાથે સાથે હવે તો કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરો (Community Isolation Centers) પણ ઉભા થઇ રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી કયા હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી તે જાણવા માટે કોઇ ઓનલાઇન સુવિધા ન હતી જેથી શહેરીજનોને બેડ માટે ફાંફા…
જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 98 કેસ નોંધાતા કોરોના પોઝિટીવ કેસનો આંક 2338 પર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા 557 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે સાથે 73 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરી ઘરે પરત મોકલી દેવાયા છે. હાલ જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા 808 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં નવા 5 મોત નોંધીાતા તંત્રમાં ફફડાટ મચી ગયો છે. જિલ્લામાં આજ રોજ નોંધાયેલા મરણમાં બારડોલીના બાબેનના 63 વર્ષના પુરુષ, માંગરોળ કોસંબાના 55 વર્ષના પુરુષ, બારડોલી સુરાલીના 70 વર્ષના પુરુષ, બારડોલી પરષોત્મ નગરના 70 વર્ષના પુરુષ અને માંડવીના 69 વર્ષના પુરુિષનું…
ખાનગી શાળાઓ અને સરકાર વચ્ચે ફી મુદ્દે શરુ થયેલા ઘમાસાણા બાદ અંતે રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરુ કરવા નિર્ણય કર્યો છે. સોમવાર અને 27 જુલાઈથી શાળાઓમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ શરુ થઈ જશે. ખાનગી શાળાના સંચાલકોને શાળા ખુલે નહીં ત્યાં સુધી ફી વસુલવી નહીં તેઓ આદેશ સરકારે કર્યા બાદ ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ સરકારે પણ સત્તાવાર રીતે જણાવી દીધું કે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ સરકાર શિક્ષણ પુરું પાડશે અને તેના માટે તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી હતી. જો કે આ બધી જ ઊથલપાથલ વચ્ચે રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકોએ…
દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવી ગયો છે. દેશમાં કોરોનાનો આવો પહેલો કેસ સામે આવતા જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન એ ઇમરજન્સી જાહેર કરી દીધી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ગેરકાયદેસર સરહદ પાર કર્યા બાદ દક્ષિણ કોરિયા પરત ફરનાર એક કોવિડ શંકાસ્પદની માહિતી મળતા જ ઇમરજન્સી પોલિત બ્યુરોની બેઠક બોલાવી અને ઇમરજન્સી જાહેર કરી દીધી. રિપોર્ટના મતે જો આ કેસની પુષ્ટિ થાય છે તો આ ઉત્તર કોરિયન અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે સ્વીકાર થનાર કોરોના વાયરસનો પહેલો કેસ હશે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ કહ્યું કે એક વ્યક્તિ જે ત્રણ…