ગુજરાત હાઈકોર્ટના 8 કર્મીઓને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ જોવા મળી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારના રોજ 712 કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતા સુરતમાં સતત વધારો જોવા મળ્યો છે, જેના કારણે સુરત મહાનગરપાલિકાએ કેટલાક વિસ્તારોમાં 7 દિવસ સુધી પાનના ગલ્લા બંધ રાખવા માટેના આદેશ આપી દીધા છે. જો કે, ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાની એન્ટ્રી જોવા મળી હતી. ગુજરાત હાઈકોર્ટના કર્મીઓમાં કોરોનાના લક્ષણો દેખા દેતા ફફડાટ જોવા મળ્યો હતો. આ કર્મીઓના ટેસ્ટ કરાવતા 8 લોકોને પોઝિટિવ આવ્યો હતો. આ કોરોનાની ચપેટમાં વધુ લોકો આવી શકે…
Author: Satya-Day
પુલવામા હુમલાની જેમ જ આ વખતે ફરીથી એક વખત CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે આ માટે આતંકવાદીઓએ હાઈવે પર એક IED બ્લાસ્ટ લગાવ્યો હતો. જેમાં ઓછી તિવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેની અડફેટમાં CRPF કાફલાનું એક વાહન આવી ગયું હતું. જો કે આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હોવાના કારણે વધારે નુક્સાન નથી થયું, પરંતુ એક જવાન ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી હુમલા બાદ પુલવામામાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. હાલ ઘટના સ્થળે સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ મોટાપાયે સર્ચ અભિયાન શરૂ કર્યું છે.
રાજ્ય સરકારે શિક્ષકોનાં ગ્રેડ પેમાં ઘટાડો કર્યો છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં 9 વર્ષ બાદ જે 4200 ગ્રેડ પે મળતો હતો. તે હવે ગુજરાત સરકારે વર્ષ 2019માં કરેલા એક પરિપત્ર મુજબ હવેથી વર્ષ 2010 બાદ જે શિક્ષકો ભરતી થયા હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. જેથી ગુજરાત સરકારે ગ્રેડ પેમાં ઘટાડો કરતા રાજ્યભરનાં 65,000 શિક્ષકોને અસર થશે. જેને લીધે શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરનાં શિક્ષકોએ પોતાનાં હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat Whatsapp Campaign શરૂ કર્યું છે. શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મામલે શિક્ષણ સંઘ આ…
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પ્રવેશ પ્રક્રિયાનો મોસમ ચાલી રહ્યો છે જેમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્ર લેવામાં અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સુરત યુથ કોંગ્રેસ અને કોર્પોરેટર શૈલેષ રાયકા દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને પ્રમાણપત્રો મેળવવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવા માંગ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહ બાદ સામાન્ય પ્રવાહમાં પ્રવેશ પ્રક્રીયાની શરૂઆત થઈ ગઈ છે. પ્રવેશ પ્રક્રિયામાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને અનામત ક્વોટાનો લાભ લેવા માટે જાતિના પ્રમાણપત્રો અને આવકના દાખલા અપલોડ કરવા ફરજીયાત છે. જેના માટે વિદ્યાર્થીઓએ ડિજીટલ ગુજરાત નામની વેબસાઈટ પરથી ઓનલાઈન અપોઈન્મેન્ટ લેવાની હોય છે, પરંતું ડિજીટલ ગુજરાત…
આવકવેરા વિભાગે (Income Tax Department) નાણાકીય વર્ષ 2019-20 (Financial Year FY 2019-20) માટે આઇ-ટી રિટર્ન (IT Return) ભરવાની મર્યાદા હવે 30 નવેમ્બર સુધી વધારી દેવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આ પગલું કોરોના (Corona Virus)ના સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ છે કે, ‘આશા છે કે સમય મર્યાદાનો આ વધારો કરદાતા (tax payers) ઓને વસ્તુઓની વધુ સારી યોજના બનાવવામાં મદદ કરશે’. પહેલા આ મુદ્દત 31 જુલાઈ સુધી વધારવામાં આવી હતી જેમાં થોડા જ દિવસો બાકી હતા. આઇ-ટી રિટર્ન ભરવાની મર્યાદા હવે 30 નવેમ્બર સુધી વધારી દેવાતા કરદાતા હવે કપાત (tax deduction)ની દાવેદારી…
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી CM Vijay Rupani શનિવારે સુરત પહોંચ્યા હતા. તેમણે શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરત આવ્યા છે. તેમણે આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે હાલ સુરતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ યોજના નથી. પરંતુ સુરતની સ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખશે. તેમણે કહ્યું હતું કે સુરતમાં 100 કરોડ રુપિયાના ખર્ચે બે કોવિડ હોસ્પિટલોનું નિર્માણ કરાશે. એટલું જ નહીં બે જ દિવસમાં સુરતમાં 200 વેન્ટીલેટર પહોંચાડવામાં આવશે. ઉપરાંત હવે સુરતની કોરોનાની સ્થિતિ અંગે દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થિતિ પર નજર રાખી…
સુરતમાં કોરોના વાયરસના કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ છેલ્લા ચાર દિવસથી સુરતમાં છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અધિકારીઓના કાફલા સાથે સુરત દોડી આવ્યા છે અને બે કલાક કરતા વધુ સમયથી સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સુરતમાં ગતરોજ કોરોનાના રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યાં હતાં જ્યારે 12 જેટલા દર્દીઓ મોતને ભેટ્યા હતા. સુરત ગ્રામ્યમાં પણ અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા હતા
લોકડાઉન સમયે સુરતથી ઓડિશા ઉપડી ગયેલા ઓડિશાના કામદારો હવે સુરત આવવા કેટલીક શરતો મૂકી રહ્યા છે. પોતપોતાના ગામે પહોંચી ગયેલા કામદારોને સુરતથી જ ઓડિશા ગયેલા કામદારા અગ્રણીઓ કામદારોનું સંગઠન બનાવી રહ્યા છે અને પરત આવવા માટે સરકાર કેટલીક શરતો માન્ય રાખવામાં આવે તો જ પરત આવશે તે રીતનું આયોજન કરી રહ્યા છે. જાણવા મળેલી માહિતી મુજબ લોકડાઉન દરમિયાન લૂમ્સ કારખાનાં તેમજ એમ્બ્રોઇડરી કારખાનાં બંધ રહેતાં આર્થિત હાલત ખરાબ થઇ જવાના લીધે લાખો ઓડિશાવાસી શ્રમિકો તેમના વતન પરત ઉપડી ગયા હતા. એ દરમિયાન કેટલાક શ્રમિકોને કારખાના માલિકો તરફથી કડવો અનુભવ થતાં તેમજ પ્રશાસન તરફથી કોઇ મદદ નહીં મળી શકતાં તેમનામાં નારાજગી…
સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીના એકસાથે મોત નીપજતાં ખળભળાટ મચી ગયો છે. એકબીજાની બાજુના બેડમાં દર્દીઓનાં એકસાથે જ મોત નીપજતાં પરિવારજનોએ ઓક્સિજન સપ્લાય બંધ થયો હોવાના આક્ષેપ કર્યા છે. ડોક્ટરોની બેદરકારી કહો કે પછી તેની નાલાયકી? ડોક્ટર હાજર નહીં હોવાના કારણે તેમજ ઓક્સિજન ઓછો મળવાને કારણે પાડોશમાં રહેતા બે વૃદ્ધનાં મોત નીપજ્યાં હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ બાબતે ડોક્ટરો ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. દરમિયાન ઓક્સિજન ઘટ્યો ત્યારે સ્થળ પર ડોક્ટર ગેરહાજર હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. હવે પોત પ્રકાશતાં આ ડોક્ટરો પોતે કેવી રીતે બચી શકે? તે માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાની વિગતો સાંપડી છે.…
લક્ષણો વિનાના કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હોમ આઇસોલેશનને લઇને પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે જેમાં હળવા લક્ષણોવાળા, પ્રિ સિમ્પ્ટોમેટિક અને અને લક્ષણ વગરના દર્દીઓનો સમાવેશ થાય છે. જો કે, ઇમ્યુનિટીને અસર કરનારા દર્દીઓ (જેમાં એચ.આય.વી, ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર, કેન્સર થેરેપી સામેલ છે)ને હોમ આઇસોલેશન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદય રોગ, ક્રોનિક ફેફસાં / યકૃત / કિડની રોગ અને અન્ય લોકોમાં સેરેબ્રો-વેસ્ક્યુલર રોગ જેવી સહ-રોગની સ્થિતિ ધરાવતા દર્દીઓને સારવારના તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ ઘરના આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે. હોમ આઇસોલેશન હેઠળના…