રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્નાયના 34 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈની તાબડતોડ બદલીઓ કરવાના આદેશ આપ્યા છે. શુક્રવારે પોલીસ ઇસ્પેક્ટરોની આંતરજિલ્લા બદલીના ઓર્ડરો જાહેર કર્યા હતા. જેના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત એ છે કે પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 5 પીઆઈની કચ્છ બહાર બદલી કરાઈ હતી તો, અન્ય જિલ્લામાંથી બે પીઆઇને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે. એક સાથે 34 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીમાં જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.રાઠોડની ગાંધીનગર, જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટની ખેડા, મુંદરા પીઆઈ પી.કે.પટેલની અમદાવાદ શહેર, લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી.આર.ડાંગરની રાજકોટ અને નલિયા સર્કલ…
Author: Satya-Day
અમદાવાદ બાદ હવે સુરત કોરોનાનું નવું હોટસ્પોટ બનીને ઉભરી રહ્યું છે. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અધિકારીઓ આજે સુરતની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આજે મહત્વની બેઠક યોજશે. જેમાં મુખ્ય સચિવ, સુરતના મેયર, કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ પણ સામેલ થશે. આ બેઠકમાં કોરોના પર કાબૂ કરવા સંદર્ભે અને આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ થોડા દિવસોથી…
કરોનાની મહામારી વચ્ચે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ઓક્સિજન બંધ થવાને કારણે બે દર્દીઓનાં મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકાએ કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ બંધ રાખવા માટેની સૂચના આપી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીઓના સગાએ હોસ્પિટલની બેદકારી હોવાના આક્ષેપો કર્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 59 વર્ષીય વ્યક્તિ અને અન્ય એક દર્દી નરસીભાઈ માગરોળિયાનું મોત ઓક્સિજન ન મળવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. સાંજના સમયે ઓક્સિજન બંધ થતાં બંનેનાં મોત થયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. તેમાંથી…
સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ચોમાસું અસ્સલ રંગ પકડી રહ્યું છે. શુક્રવારે સવારથી જ બપોર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના કોડીનારમાં 6 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે તાલાલા (Talala) ગીરમાં પણ 3 ઇંચ (3 Inch) વરસાદ નોંધાયો હતો. તો ગીર સોમનાથના વેરાવળ, સૂત્રપાડા, ઉના અને ગીર ગઢડા કોરાધાકોર રહ્યા હતા. બીજી તરફ જૂનાગઢ પંથકના કેશોદ અને માણાવદરમાં મેઘરાજા મહેરબાન થતાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. દેશના ઉત્તર ભાગમાં લો-પ્રેશર બન્યું હતું. અને તે છત્તીસગઢથી મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મધ્યપ્રદેશથી યુપી (UP) તરફ આગળ વધ્યું છે. વરસાદ માટે લો-પ્રેશર અને અપરએર…
શહેરમાં કોરોનાનો પ્રકોપ ઓછું થવાનો નામ લઈ રહ્યો નથી. શહેરમાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસના આંકમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. જેના પગલે મનપા કમિશનરે વરાછા અને કતારગામ ઝોનમાં તમામ પાનના ગલ્લા અને લારીઓ 7 દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપ્યો છે. તેમજ જેઓ પણ આ આદેશનો અનાદર કરશે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સંક્રમણ ઓછુ થવાને બદલે વધી જ રહ્યું છે. દરરોજ નોંધાતા કેસમાં રાજ્યમાં હવે અમદાવાદ…
દેશમાં કોરોના વાયરસ(Covid-19)ની મહામારી વચ્ચે દેશમાં હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની કોવેક્સીન(COVACCINE) રસી 15મી ઓગસ્ટે લોન્ચ(Launch) કરી શકાય છે. આ કંપની(Company) ભારત બાયોટેક(Bharat biotech) કોવાક્સિન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. ICMR (ભારતીય તબીબી સંશોધન પરિષદ) એ બધી કાર્યવાહી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ વેક્સિન બે ભાગીદાર કંપનીઓ ઈન્ડિયા બોયોટીક અને આઈ.સી.એમ.આરએ તૈયાર કરી છે. કંપનીએ કોરોના વાયરસને હરાવવા જે રસી તૈયાર કરી છે તેને હ્યુમન ટ્રાયલ કરવા થોડાક દિવસો પહેલાં જ પરવાનગી મળી હતી. ICMRનાં ડાયરેક્ટર જનરલ ડો. બલારામ ભાર્ગવાએ એક પત્ર દ્વારા જણાવ્યું…
રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ્સએ આદે તેના વીડિયો કોન્ફ્રેસિંગ એપ JioMeet લોન્ચ કર્યું છે. આ વીડિયો કોલ એપની ખાસિયત છે કે તેની ક્લોલિટી HD હશે અને એક સાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકે છે. JioMeet આગામી એક મહિના સુધી યૂઝર્સના ફોનમાં બીટા વર્જન પર ચાલશે આ એપ ગૂગલ પ્લે અને આઇફોન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.. આજે તેને એન્ડ્રોય અને એપલ બન્ને માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ પર એકસાથે 100 લોકો કોન્ફરન્સ કરી શખે છે તેમા કોલ શરૂ કરવા માટે કોઇ કોડ કે ઇનવાઇટ્સની જરૂરત નથી જે લોકો ડેસ્કટોપથી આ એપનો ઉપયોગ કરવા માંગે છે તેમણે JioMeetના ઇનવાઇટ…
શહેરમાં કોરાનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ગંભીર રીતે વધી રહી છે. શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાની દહેશત છે. ખાનગી હોસ્પિટલો ન્યૂમોનિયા કે પછી શંકાસ્પદ કોરોનાનાં દર્દીઓ ઉભરાઇ રહી છે. સુરત શહેરમાં સંભવત કયારેય નહીં જોયેલી ગંભીર પરિસ્થિતિ કોવિડ મામલે જોવામાં આવી રહી છે. રાજય સરકાર આ મામલે ખડે પગે તૈયાર છે પરંતુ આવતા દિવસોમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા બમણી કરવી પડે તેવી વિકટ પરિસ્થિતી સર્જાઇ છે. આજે શહેરમાં 191 જેટલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કપરી હાલતમાં સુરત મહાનગર પાલિકા સિવિલ-સ્મીમેરની સાથે સાથે ખાનગી હોસ્પિટલોની પણ મદદ લઇ રહી છે. સુરત મનપા દ્વારા શહેરની 41 હોસ્પિટલો સાથે કરાર કરી કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમાં…
સૌરાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં ૭૨ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૧૦ કેસ વધ્યા, તો ધોરાજીમાં ૯ સહિત રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬ ઉમેરાયા છે. એ જ રીતે, જામનગર શહેર – જિલ્લામાં ૧૧, સુરેન્દ્રનગરમાં ૧૩, જૂનાગઢમાં ૮ અમરેલીમાં ૬, મોરબી અને સોમનાથ જિલ્લામાં ૩-૩ તથા પોરબંદરમાં ૧ કેસ ઉમેરાયા છે. વિશેષ ચિંતાની બાબત એ બની છે કે હવે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા પણ અનકે દર્દી આવી રહ્યાં હોવાથી સ્થાનિક સંક્રમણ વધ્યાનું ફલિત થયું છે, જ્યારે રાજકોટ સિવિલનાં બીછાને આજે શહેરના એમ અને જેતપુરના એક એમ કુલ ચાર બુઝૂર્ગોના મોત નિપજયાં છે. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાનાં હરણસા, ટોબરા…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કોરોના વાયરસનું વર્ણન કર્યું છે જે ચીનથી ગયા વર્ષના અંતમાં ચાઇનીઝ પ્લેગમાં ફેલાય છે. આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અગાઉ ચીન પર નિશાન સાધતા સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું હતું કે “આ (કોરોના વાયરસ) ચીનનો ઉપદ્રવ છે, તેવું ન થવું જોઈએ, પરંતુ ચીને તેને થવા દીધું.” અમે નવા વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા, તેની શાહી બહુ સૂકી નહોતી કે તે (કોરોના) આવી. બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કાયલે મેકકેનીએ કહ્યું હતું કે, ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનો અસલ ચહેરો…