યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુનિવર્સિટી, કોલેજો સહિત અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કોર્સના ફાઈનર યરન કે સેમેસ્ટરની પરીક્ષાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. UGCની ગાઈડલાઈન્સ આવ્યા પહેલા એક તરફ ઉત્તર પ્રદેશ સરકાર આજે રાજ્યની યુનિવર્સિટી, કૉલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાઈનલ યર/સેમેસ્ટર વિશે નિર્ણય લઈ શકે છે. જ્યારે ગુજરાતમાં પણ ફાઈનલ યરની તમામ પરીક્ષાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. HRD મંત્રાલયના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે પટના વુમન્સ કૉલેજે 6 જૂલાઈથી સેમેસ્ટર 3 અને 5ના વર્ગ શરૂ કરવાનું નિર્ણય લીધો છે. આ વખતે કૉલેજના તમામ વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટરમાં પ્રમોટ કરી…
Author: Satya-Day
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે હવે વધુ ને વધુ અધિકારીઓને કોરોનાની કામગીરીમાં લગાવવામાં આવી રહ્યા છે. એ માટે ઘણા રિટાયર્ડ આઈ.એ.એસ. તેમજ આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓને કોરોનાની કામગીરીના સંકલન માટે તેમજ મોનિટરિંગ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. બુધવારે મનપા કમિશનર દ્વારા મનપાના રિટાયર્ડ અધિકારીઓને પણ કોરોનાની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. બુધવારે કરાયેલા ઓર્ડરમાં પુનિત નૈયર (આઈ.એ.એસ., ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ)એ કોવિડ ૧૯ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને સમરસની સંકલનની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ ક્ષીપ્રા આઈ.એ. સી.ઈ.ઓ.(સુડા)ને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ અંતર્ગત ડેઝિગ્નેટેડ થયેલા પ્રાઈવેટ હોસ્પિટલોના બેડ મેનેજમેન્ટ, એડમિશન અને ટ્રાન્સફરની તમામ કામગીરી,…
સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે ત્યારે સુરતમાં તાબડતોબ 1 હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈ આયોજન કરાયું છે. એમબીબીએસ ઇન્ટરસીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. ગુજરાતમાં 24 કલાકમાં 675 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 201 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ હવે અમદાવાદ કરતા પણ વધી રહ્યાં છે. સુરતમાં હવે કોરોનાના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત થઈ છે. સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ છે. ત્યારે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની…
મધ્ય પ્રદેશમાં આજે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલે રાજભવનમાં કુલ 28 નવા મંત્રીઓને શપથ અપાવ્યા હતા. કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં આવ્યા બાદ શિવરાજ સિંગે 23 માર્ચે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમયે કેટલાક જ મંત્રીઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.. જેમાં 20 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યમંત્રીઓ સામેલ છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતાઓ સામેલ છે. આ સિવાય સિંધિયા સમર્થનક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પહેલાથી જ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એપ્રિલમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.અગાઉ ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ…
કોરોનાની સૈથી વધુ અસર જૂન માસમાં જોવા મળી છે. આ સમય દરમ્યાન તાપ પણ શિખરે અને લોકડાઉન પણ ઉપાડ્યું. નિષ્ણાતો માને છે કે જુલાઈની જેમ જુલાઈ પણ સંવેદનશીલ બની શકે છે. જૂનમાં 3.48 લાખથી વધુ ચેપ લાગ્યાં છે. ડેટા નિષ્ણાંત દીપેન્દ્ર રાય કહે છે કે દર્દી અને મૃત્યુ બંને જૂનમાં સૌથી વધુ જોવા મળે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 31 મે સુધી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1,82,143 હતી અને 5,164 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. હવે બુધવારે, દર્દીઓની કુલ સંખ્યા વધીને 585,493 થઈ ગઈ છે. 17,400 લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળના વરિષ્ઠ ડેટા નિષ્ણાત જેમ્સ વિલ્સન માને છે કે જુલાઇમાં 5…
ડો.જયંતી રવિએ શહેરના ડોક્ટરો સાથે બેઠક કરી હતી. તેમજ બુધવારે તેઓએ કોરોનાના હોટસ્પોટ વિસ્તાર કતારગામ ઝોનની પણ વિઝિટ કરી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી. જેમાં આરોગ્ય સચિવે દર્દીઓ માટે સુવિધા વધારવા સૂચન કર્યાં હતાં. તેમજ સાંજે શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક થઈ હોવાનું જાણવામાં આવ્યું છે. સુરત શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા કેસોને લઈ રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ ગઈકાલે શહેરમાં આવ્યાં હતાં અને સાત દિવસ સુધી શહેરમાં કોરોનાની કામગીરીમાં પર નજર રાખશે. અને કોરોનાને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે વ્યૂહરચના બનાવવા પર ફોકસ કરાશે. ગઈકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ…
કેન્દ્ર રેલવે મંત્રાલય દ્વારા ખાનગી કંપનીઓ પાસે પેસેન્જર ટ્રેનના સંચાલન માટે રિક્વેસ્ટ ફોર ક્વૉલિફિકેશન (RFQ) માંગવામાં આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં રેલ નેટવર્કને 12 ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં 109 જોડી ખાનગી ટ્રેનો દોડાવવામાં આવશે. આ યોજનામાં અંદાજે 30 હજાર કરોડ રૂપિયાનું ખાનગી સેક્ટરનું રોકાણ રહેશે સરકારની આ પહેલનો હેતુ મોર્ડન ટેક્નોલોજી રોલિંગ સ્ટોકને રેલવે નેટવર્કમાં રજૂ કરવાની સાથે જ ઓછો ખર્ચ, વધુ ઝડપ, રોજગારીનું સર્જન કરવુ, વધારે સુરક્ષા પૂરી પાડવા અને મુસાફરનો વિશ્વસ્તરીય સુવિધા પૂરી પાડવાની છે. સરકારના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, દરેક ખાનગી ટ્રેનોમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે. આ ટ્રેન મહત્તમ 160 કિમીની ઝડપે દોડશે.…
દેશભરમાં એકબાજુ કોરોના મહામારી દિવસે દિવસે ફેલાઈ રહી છે ત્યારે ગોવાએ પ્રવાસીઓ માટે ગુરુવારથી પ્રવાસીઓ માટે ખોલવાની જાહેરાત કરી દીધી છે અને ત્યાં ૨૫૦ હોટલોએ ગુરૂવારથી ખોલવાનો નિર્ણય લીધો છે. ગોવામાં ફરવા માટે આવનારા દરેક પ્રવાસીઓએ તેમની સાથે નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે. ગોવાના પર્યટન મંત્રી એમ અજગાંવનકરે જણાવ્યું હતું કે, ગુરૂવારથી ગોવા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે અને આ સાથે જ ૨૫૦ હોટલને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ગોવામાં પ્રવેશ કરનારા દરેક પ્રવાસીઓએ ૪૮ કલાકની અંદરના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈને આવવાનો રહેશે અથવા તો અનિવાર્ય રૂપે કોરોનાનું ટેસ્ટિંગ ત્યાં કરાવવું પડશે. એક સમયે ગોવા દેશનું પહેલું કોરોના મુક્ત…
સુરત હવે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર ઓસર્યા પછી હવે કોરોનાએ સુરતને ભરડામાં લીધું છે. સુરતમાં મૃચ્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં પ્રથમ મોત 22 માર્ચના રોજ નોંધાયું હતું. ત્યારથી 83 દિવસ બાદ 12 જુને મૃતાંક 99 પર પહોંચી ગયો હતો. હવે માત્ર 19 જ દિવસમાં મૃતકોની સંખ્યા બમણી થઈ છે અને મૃતાંક બસોના આંકડાને પાર કરી 201 થયો છે. મૃતકોમાં મોટા ભાગના દર્દીઓ કોમોર્બીડ કન્ડીંશન ધરાવતા તેમજ વયસ્ક દર્દીઓ હતા. જેથી ડાયાબિટીસ, બ્લડ પ્રેસર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા વ્યક્તિઓ તેમજ વયસ્ક વ્યક્તિઓ કોરોનાથી બચવા માટે ખાસ કાળજી રાખે…
ભારતમાં બુધવારે કોવિડ-19ના એક જ દિવસમાં વિક્રમી સર્વાધિક 507 મોત નોંધાયા છે અને તેની સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસમાંથી લગભગ 4 લાખ જેટલા કેસ એક જ મહિનામાં નોંધાવાની સાથે જૂન મહિનો સૌથી ખરાબ સાબિત થયો છે. દેશમાં કોરોનાના કારણે થયેલા કુલ 17,400નાં મરણાંકમાંથી મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીની 70 ટકા ભાગીદારી રહી છે. બુધવારે સવારે 8.00 વાગ્યે અપાયેલા અપડેટમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,635 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો વધીને 5,85,493 પર પહોંચી ગયો છે. તેની સાથે જ દેશમાં રિકવરી રેટ પણ સુધરીને 60 ટકાની પાસે પહોંચી ગયો છે. આ સતત પાંચમો દિવસ રહ્યો છે કે જેમાં એક…