રથયાત્રાના અષાઢી બીજના દિવસે વરસાદના અમી છાંટણા ના થવાથી ભક્તોમાં નિરાશા જોવા મળી હતી. રાજ્યમાં અષાઢી બીજના અવસરથી ચોમાસાની શરૂઆત સાથે હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા અને મહીસાગરમાં ભારે વરસાદની વકી હોવાનું જણાવ્યું છે. અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે અમી છાંટણા થાય તો આવનારૂ વર્ષ ખેડૂતો અને પ્રજા માટે ફળદાયી નીવડે તેવી લોક વાયકા છે. જો કે, આજની રથયાત્રામાં વરસાદના અમી છાંટણા થયા ન હતા. તેથી ભક્તોમાં નિરાશા વ્યાપી હતી. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા ઓછી છે. જ્યારે આવતીકાલે રાજ્યના…
Author: Satya-Day
ભારતે પાકિસ્તાનને તેના અહીં સ્થિત દૂતાવાસમાં કર્મચારીઓની સંખ્યા સાત દિવસમાં અડધી કરવા કહ્યું છે સાથે જ જાહેર કર્યું હતું કે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તે કર્મચારીઓની સંખ્યા ઘટાડશે, આ ઘટાનક્રમ દર્શાવે છે કે ભારત પાકિસ્તાન સાથે કૂટનીતિક સંબધો ઘટાડી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન ઉચ્ચાયોગના પ્રભારીને સમન આપવામાં આવ્યા હતા અને આ નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી, કથિત રીતે પાકિસ્તાની અધિકારીઓ જાસૂસીના કાર્યોમાં સંડોવાયા હોવાના અને ત્રાસવાદી સંગઠનો સાથે કાર્ય કરવાના બનાવો બન્યા હતા જેના આધારે આ નિર્ણય લેવાયો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં હાલમાં જ ઈસ્લામાબાદમાં પાકિસ્તાની સંસ્થાઓ દ્વારા 2 ભારતીય અધિકારીઓનું અપહરણ અને તેમની…
રેલવે મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનને લીધે કેન્સલ થઇ ગયેલી રેગ્યુલર ટાઇમ ટેબલની ટ્રેનો માટે 14 એપ્રિલ કે તે પહેલાં બુક કરાયેલી તમામ ટિકિટના પુરા નાણા પ્રવાસીઓને પરત કરવાનો મંત્રાલયે નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ 14 એપ્રિલ કે તે પહેલાં બુક કરાયેલી ટિકિટ્સનું પુરે પુરું રિફંડ ચુકવી દેશે. આ ટ્રેનો 22 માર્ચથી 80 જૂન રવાના થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે તે રદ કરવી પડી હતી. મંગળવારે રેલવે મંત્રાલયે આ અંગેની જાહેરાત કરી હતી. ભારતીય રેલવેએ અગાઉ પ્રવાસીઓને કેન્સલ ટિકિટના બદલે રૂપિયા 1885 કરોડનું રિફન્ડ આપી દીધુ છે. આ ટિકિટ 21 માર્ચથી 31 મે દરમિયાન ઓનલાઇન બુકિંગ થઇ હતી.…
ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે ગાંધીનગરમાં મહેસુલ કમિશ્નર હર્ષદ પટેલ તથા ડે. કલેકટર તૃપ્તિ વ્યાસની ઉપસ્થિતિમાં ઝૂમ કલાઉડ સોફટવેરની મદદ વડે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.જેમાં રાજયમાં ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબિનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આજે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ગોંડલમાં 54 મીમી એટલે કે 2 ઈંચ વરસાદ થયો હતો. જયારે એકંદરે રાજયમાં…
ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવની સંખ્યા વધતાં મેયર ડો. જગદીશ પટેલ અને પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ આવતી કાલે બુધવારે ટેક્સટાઇલ ઉદ્યોગના જુદા જુદા સંગઠનોની બેઠક યોજી છે. હીરા ઉદ્યોગ પછી કાપડ ઉદ્યોગમાં ગઇકાલે એક જ દિવસે 27 પોઝિટિવ કેસ મળી આવ્યા પછી આ બેઠક યોજાવા જઇ રહી છે. પાલિકા કમિશ્નરનું તેડું આવતા ટેક્સટાઇલ ઉદ્યોગકારોના જીવ તાળવે ચોંટયા છે. કારણ કે માંડ માંડ 30 ટકા કામદારોની હાજરીમાં એક પાળી પ્રોડકશન વિવિંગ અને પ્રોસેસીંગ એકમોમાં ચાલી રહ્યું છે. તેવી સ્થિતિમાં હવે જો કાપડના કારખાના બંધ થશે તો જે 30 ટકા કામદારો રહ્યા છે તે પણ વતને ભાગી જવાનો ભય સતાવી રહ્યો…
રાજયના ૯૨ લાખ વીજ ગ્રાહકોને લોકડાઉનના સમય ગાળા દરમિયાન ૧૦૦ યુનિટનાં વીજ વપરાશમાં માફી આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યા બાદ આજસુધી પરીપત્ર જાહેર કરવામાં નહી આવતા દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની એક સાથે ચાર મહિનાના બિલ ફટકારવામાં આવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. દરમિયાન આજે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારનાં 32 લાખ વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવાનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અલબત હજુ વાણિજય વીજ જોડાણો માટે આપવાની રાહતનો કોઈ પરીપત્ર જાહેર થયો નથી. કેવી રીતે વીજબિલમાં રાહત મળશે રાજયનાં લોકડાઉનના સમયગાળા ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ રહેણાંક વિસ્તારના વીજ જોડાણ ધરાવતા જે ગ્રાહકોનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ…
સુરત શહેર બાદ સુરતના જિલ્લાઓમાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જૂન મહિનામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ જૂનના 22 દિવસમાં 223 નોંધાયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 28 કેસ નોંધાયા હતાં. મે મહિનામાં તે ત્રણ ઘણા એટલે કે 90 કેસનો વધારો થઈ 118 થયો હતો. જ્યારે જૂન મહિનાના 22 દિવસમાં જ 223 કેસનો વધારો થયો છે. એટલે હાલ જિલ્લામાં 341 કેસ નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી, ઓલપાડ અને કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે. રાજ્યની પોલીસે લોકડાઉન ખુલતાની સાથે જ છેલ્લા 14 દિવસમાં 3 કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ અને અન્ય મુદ્દામાલની કિંમત 10 કરોડથી પણ વધારે થાય છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉન ખુલ્યાના બે દિવસ પહેલા આખા રાજ્યમાં લિકર ડ્રાઇવ શરૂ કરી હતી. 29 મેથી 12 જૂન સુધી ચાલેલી આ ડ્રાઇવમાં રાજ્યની પોલીસે કુલ 10 કરોડથી પણ વધારે કિંમતનો દારૂ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ કિંમત રૂપિયા 2 કરોડ 95 લાખ 74 હજાર 410નો દારૂ અને તેની સાથે કબ્જે કરવામાં આવેલો 9 કરોડ 46…
કોરોનાનો કહેર શહેરભરમાં ફેલાયેલો છે. ત્યારે આજે સુરતમાં વધુ 5 દર્દીઓના મોત નીપજયા છે. તમામ મૃતકોની ઉંમર પંચાવન વર્ષ કે તેથી વધારે હોવાની વિગત જાણવા મળી છે. વરાછા એ. કે. રોડ પર રહેતા 70 વર્ષિય પુરુષ ગત તારીખ 31 મેના રોજ પોઝિટિવ કેસ સાથે સિવિલમાં(Civil) દાખલ થયા હતા. જયારે બેગમપુરાના 70 વર્ષના પુરુષ ગત તારીખ 19 જુનના રોજ પોઝિટિવ કેસ સાથે ખાનગી હોસ્પિટલમાં(Hospital) દાખલ થયા હતા. ડાયાબિટીસની બિમારી ધરાવતા 57 વર્ષના પુરુષ પણ 14મી તારીખે અને કતારગામ બાપા સીતારામ ચોકમાં રહેતા 55 વર્ષિય પુરુષ તથા સરસાણા ગામના 70 વર્ષિય પુરુષ પણ ગત તારીખ 15મી જુનના રોજ સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ કેસ…
શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા માત્ર બે જ દિવસમાં શહેરમાં કોરોનાના ૨૬૪ કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી છે. ભવિષ્યમાં કેસની(Cases) સંખ્યા વધવાની સંભાવનાને પગલે પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટરને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવવાની કામગીરી સુરત મહાનગર પાલિકાએ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૩૩૭૭ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૨૩૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ ૧ હજારથી વધુ એક્ટિવ દર્દીઓ છે. હાલમાં વધી રહેલા કેસને જોતાં આગામી દિવસમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ(Hospital) દર્દીઓથી ઉભરાઇ જાય એવી સ્થિતિ છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગમાં ૫૪૦…