રાજસ્થાનની 15મી વિધાનસભા માટે રચાયેલ 199 ધારાસભ્યો પૈકી 158 કરોડપતિ છે. વર્ષ 2013માં આ આંકડો 145 હતો. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મની રિપોર્ટ મુજબ કોંગ્રેસના 99માંથી 82 ધારાસભ્યો, બીજેપીના 73માંથી 58 ધારાસભ્યો, બીએસપીના 6માંથી 5 અને અપક્ષના 13 ધારાસભ્યોમાંથી 11 ધારાસભ્યો એવા છે જેમની સંપત્તિનું મૂલ્ય એક કરોડથી વધારે છે. આવકવેરામાં પોતાની કુલ સંપત્તિ જાહેર કરનાર તંવગર ધારાસભ્યોમાં પરસરામ મોરદિયા (172 કરોડ રૂપિયા), ઉદયલ આંજના (107 કરોડ રૂપિયા) અને રામકેશ (39 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ 59 ધારાસભ્યોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મું ધોરણ પાસ હોવાને બદલે 12 ધોરણ પાસ દર્શાવી હતી, જ્યારે 129 ધારાસભ્યોએ સ્નાતક અને તેનાથી ઉપરની યોગ્યતા…
કવિ: Satya-Day
બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ હાલમાં જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. તેની ઑફિશ્યલી ત્રણ મહિલા પહેલા શરૂ થયેલા રિલેશનશિપનો અંત આવી ગયો છે. નેહા કક્કડ પોતાનાથી એક વર્ષ નાના બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલીને ડેટ કરી રહી હતી પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ કપલે એકબીજાને સોશ્યલ મીડિયા પરથી અનફૉલો કરી દીધા છે. આ સિવાય બંનેએ સોશ્યલ મીડિયા પરથી એકબીજાના ફોટોઝ પણ ડિલીટ કરી દીધા છે. તાજેતરમાં જ નેહા ધૂપિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પછી પોસ્ટ કરી હતી અને પોતાનું દર્દ વ્યકત કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ કે, ”મેં મારું બધું જ આપી દીધું અને મને…
પશ્ચિમ બંગાળ સરકારે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહની પ્રસ્તાવિત રથ યાત્રાને અનુતિ આપવાની સ્પષ્ટપણે ના કહી દીધી છે. મમતા સરકારનું કહેવું છે કે જે દરમ્યાન રથયાત્રાની પરવાનગી માંગવામાં આવી છે તે જ સમયે અનેક ઉત્સવો અને તહેવારો છે. જેથી રથયાત્રા નીકાળવાથી વધારે ટ્રાફિક જામ થઇ શકે છે. જેનાંથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેથી આ જ કારણોસર રથયાત્રાની અનુમતિ આપવામાં નથી આવી. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવેલ છે કે જે સમયગાળામાં રથયાત્રાની પરવાનગી માંગવામાં આવી છે તેવાં જ સમયે અનેક મોટા તહેવારો પણ આવે છે. સાથે સાથે અનેક એવાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે કે જેમાં…
ઝઘડીયા જીઆઈડીસીમાં પાણીની ટાંકી અચાનક કડડડભૂસ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે બેને ઈજા પહોંચી હત. આ ઘટના જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં બની હતી. લેબર કોલોનીમાં આવેલી પાણીની ટાંકી નજીક સીડી ધોવા ગયેલા કામદારો પર મોત ત્રાટક્યું હતું. વિગતો મુજબ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલા યુપીએલ-5માં એચરેક એન્જિનિયરીંગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. પતરાના શેડની લેબર કોલોનીમાં રહેતા પાંચ કામદારો નામે ધરમવીર પાસવાન, જયપાલ યાદવ, સુરન્દ્ર કુમાર, બાબુ મંડલ અ હરાધન મેટે ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં નોકરી પરથી પરત થઈ લેબર કોલોનીમાં આવ્યા હતા. લેબર કોલોની ખાતે આવી નહાવા-ધોવા માટે બનાવેલા ઈંટોનું ચણતર…
થોડા દિવસ પહેલા જ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો. આ સ્થિતિ વચ્ચે વિજય માલ્યાએ હવે કહ્યું છે કે ભારતને માત્ર માલ્યા પરત આવે તેમાં જ રસ છે નહીં કે પૈસા પરત મેળવવામાં. કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ વિજય માલ્યાનો બચાવ કર્યો હતો તે બાદ એનડીટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં માલ્યાએ વિવિધ મુદ્દે પોતાની વાત રજુ કરી હતી. તેણે જણાવ્યું હતું કે હું મારી વિરુદ્ધ આવેલા ચુકાદાને અપીલ કોર્ટમાં પડકારીશ અને આ અંગેની વાતચીત હાલ મારી લિગલ ટીમ સાથે ચાલી રહી છે. માલ્યાએ અગાઉ કહ્યું હતું કે હું બેંકો પાસેથી જેટલી પણ લોન લીધી છે તેને પરત આપવા…
ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ બોલાવીની ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. નવસારીમાં ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. નવસારીના ભાઠલા ગામે ડાયરામાં રૂપિયા અને અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો. આ ડાયરો એમ્બ્યુલન્સ અને બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો. આ ડાયરામાં નવસારી ભાજપના MLA દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એનઆરઆઈની સંખ્યા વધુ હોવાથી રૂપિયાની સાથે ડોલરોનો પણ વરસાદ થયો હતો. નવસારીના ડાયરામાં પ્રથમવાર ડોલરનો વરસાદ થયાની ઘટના સામે આવી છે. આ ડાયરો એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર…
સાબરમતી નદી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. AMC, કલેક્ટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે AMCએ રૂપિયા 3 કરોડના ખર્ચે નવું મશીન ખરીદ્યુ છે. આ સફાઈ અભિયાન માટે AMC દ્વારા રુપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે 500 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. જેની મદદથી ગટર અને ઉદ્યોગના પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી નદીની સફાઇ માટે AMC દ્વારા આહ્વાન કરવામાં આવશે. જો કે, એએમસી અને સ્થાનિક સંસ્થા દ્વારા હાલ નદીના શુદ્ધિકરણ માટે કામગીરી હાથ ધરી છે. ઇન્દિરાબ્રિજથી માંડીને સુભાષબ્રિજ સુધીના 5 કિ.મીના…
ફેસબુકમાં આવેલા એક ‘બગ’ના કારણે 68 લાખ ફેસબુક વપરાશકર્તાઓના ખાતાઓને અસર થઈ છે. ફેસબુકનું કહેવું છે કે આ ‘બગ’ 12થી 13 સપ્ટેમ્બર સુધી રહ્યું હતું. જેને 25 સપ્ટેમ્બરના રોજ ઉકેલી દેવામાં આવ્યું હતું. ફેસબુકે તે બગ માટે માફી માંગી છે. આ બગથી ફેસબુક યુઝર્સના એવા ફોટોઝ પણ સામે આવી શકતા હતા જેને તેમણે ક્યારેય ફેસબુક પર શેર નથી કર્યાં. આ બગથી થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા 12 દિવસમાં 68 લાખ લોકોના અકાઉન્ટ અસરગ્રસ્ત થયા છે. ફેસબુકે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી એપ્લિકેશનને યુઝર્સ ફોટો સુધી પહોંચવાની મંજૂરી આપતી વખતે આ ભૂલ 13 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે થઈ. એન્જિનિયર ડાયરેક્ટર ટોમર બારે…
ચેમ્બર ઓફ કોમર્સ દ્નારા સુરતના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી માટેના સ્પાર્કલ એક્ઝિબિશન-2018મું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું પરંતુ એક્ઝિબિશનમાં ચોરીનો બનાવ બનતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે. સીસીટીવીમાં કેદ ચોરીની આ ઘટનામાં હાઈપ્રોફાઈલ ચોરી પોતે ડાયમંડ સ્ટોલ પર આવીને ઉભો રહે છે. શાંતિથી બેસે છે અને પછી બધાની નજર ચૂકવીને આરામથી કાચના ટેબલના ખાનામાંથી હીરા જડિત દાગીના ઉઠાવી જાય છે. ચોરની હરકત પર આટલા બધા કર્મચારીઓ હાજર હોવા છતાં કોઈની નજર પડતી નથી એ નવાઈની વાત છે. એવું પણ નથી કે સ્ટોલ પર ગ્રાહકોનો ધસારો છે અને કર્મચારીઓનું ધ્યાન ચોર…
પાટીદાર અનામત આંદોલનની કમાન અલ્પેશ કથીરીયાને સોંપી દીધા બાદ હાર્દિક પટેલે ખેડુતોને હક અને અધિકાર માટેની લડત શરૂ કરી છે. હાર્દિક પટેલે પદયાત્રા કાઢવાનું એલાન કર્યું છે. ચાર દિવસ સુધી આ પદયાત્રા સૌરાષ્ટ્રના ગામોમાં ફરશે અને ખેડુતોને ન્યાય આપવાની માંગ કરશે તથા તેમની વેદનાને વાચા આપવાનું કામ કરશે. હાર્દિક પટેલવી ખેડુત વેદના પદયાત્રા 20મી તારીખથી અમરેલીના ફતેપુરથી નીકળશે. અને ત્યાર બાદ ચાપાથ, ગોખરવાળા, લાપળીયા જેવા અમરેલની ગામોમા ફરશે. અમરેલી બાદ પદયાત્રા સીદી સાવરકુંડલાના ઓળીયા, કરજાળા અને નેસડીમાં પહોંચશે. 21મી તારીખે આ પદયાત્રા ધારીના ચલાલા, ગોપાલગ્રામ, હાલરીયા જેવા ગામોમાં ખેડુતોમાં ખેત પેદાશોના ભાવને લઈ જાગૃતિ આણવાનું કામ કરશે. જ્યારે 22મી તારીખે…