કવિ: Satya-Day

સીબીઆઈમાં ચાલી રહેલા ડખામાં સરકારે ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દઈ નાગેશ્વર રાવને કમાન સોંપી દેતાં છંછેડાયેલા આલોક વર્માએ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આલોક વર્માએ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમા પડકારતા શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સરકારે બુધવારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આલોક વર્માની તમામ જવાબદારી તેમનાથી જૂનિયર અધિકારી નાગેશ્વર રાવને સુપરત કરી હતી. સરકારના આ નિર્ણયને આલોક વર્માએ સુપ્રીમમાં પડકાર્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પીટીશન દાખલ કરી 26મી ઓક્ટોબર એટલે કે શુક્રવારે સુનાવણી કરવાની તારીખ નક્કી કરી છે. આલોક વર્માએ સીબીઆઈના હંગામી ચીફ બનેલા રાવની નિમણૂંકને પણ પડકારી…

Read More

કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુની અદાવતનું મનદુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી 6ના સારવાર મળે તે પુર્વે મોત નીપજ્યા છે. જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે. મુન્દ્રા તાલુકાના છસરા ગામે અગાઉના ઝઘડાને લઈને બે જુથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો હતો. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો…

Read More

સીબીઆઈમાં ડાયેરક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલી તુમુલ લડાઈના પરિણામે સરકારે બન્ને અધિકારીઓને રજા પર ઉતારી દીધા છે અને સીબીઆઈની કમાન નાગેશ્વર રાવને સુપ્રત કરી દેવામાં આવી છે. નાગેશ્વર રાવ હાલ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર છે. આલોક વર્માના તમામ કાર્યો હવેથી રાવ જોશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચ લેવાનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અસ્થાનાએ લાંચની ફરીયાદને કોર્ટમાં ચેલેન્જ કરી છે અને 29મી તારીખ સુધીનો સ્ટે મેળવી લીધો છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યા છે કે અસ્થાનાની સામેની અપરાધિક કાર્યવાહીને યથાવત રાખવામાં આવે પણ…

Read More

સુરતમાં ઉપરાછાપરી રેપ અને જાતીય શોષણની ઘટનાઓ બની રહી છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી પર યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપ સાથે પોલીસ ફરીયાદ થતા પોલીસ કરણ સ્વરૂપદાસ નામના સ્વામીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 24 વર્ષીય યુવતીના માતા-પિતા બિમાર હોવાથી યુવતી મંદિરમાં પુજા અર્ચના કરવા આવતી હતી. મંદિરમાં દર્શન કરતી વેળા કરણ સ્વરૂપદાસ સાથે મુલાકાત થઈ હતી. સ્વામીને યુવતીએ માતા-પિતા માંદા હોવાની વાત કહેતા કારણપુર સ્વામીએ તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. મદદ કરવાના બહાને યુવતીને બોલાવી મંદિરના રેસ્ટ રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કરણ સ્વરૂપદાસે યુવતીનો નંબર મેળવી થોડા દિવસ પછી રૂપિયા આપવાની ખાતરી આપ હતી.…

Read More

પ્રખ્યાત એવી બે ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોનને આજે નોટિસ ફટકારવામાં આવી છે.  દેશની અૌષધિ નિયંત્રક એટલેકે DCGI  એ દેશ વિદેશના કેટલાય પ્રખ્યાત કોસ્મેટિક ઉત્પાદનોના નામે નકલી અને ભેળસેળ વાળો સામાન વેચવવાના આરોપમાં ફ્લિપકાર્ટ અને અમેઝોનને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં પણ આ સાથે તેમને 10 દિવસમાં બંને કંપનીઓ તરફથી પોતાનો જવાબ રજૂ કરવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે. જો આમાં કોઈ ગડબડ તશે તો તેના પરિણામ રૂપે દંડાત્મક પગલા લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ અૌષધિ નિરિક્ષકોએ 5-6 ઓક્ટોબરના રોજ પણ દેશની કેટલીક પ્રતિષ્ઠિત કંપનીઓ પર રેડ પાડી હતી. આ પછી ભારતીય નિયંત્રક એટલે કે એ…

Read More

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી દ્વારા 24 વર્ષીય યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરીયાદ દાખલ થયા બાદ કતારગામ પોલીસે સ્વામીની ધરપકડ કરી હતી.  આ મંદિર ડભોલીમાં  જ આવેલું છે. પોલીસ સૂત્રો મુજબ યુવતીની માતા માંદી હોવાથી સ્વામીએ સારવારના રૂપિયાની લાલચ આપી હતી.યુવતી સાથે બે વખત શારિરીક શોષણ કર્યું હતું અને શરીર સંબંઘ બાંધ્યા હતા. પીડીતાએ પોલીસ સમક્ષ આવી પોતાની વેદના રજૂ કરતા સ્વામી વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરી મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. યુવતી અને સ્વામીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.  

Read More

CBIના બે ડાયરેકટર વચ્ચે ઉભા થયેલા ડખામાં હવે નવો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા અંગે CBI ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાના વિરુદ્વ કાર્યવાહી કરવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી છે. સમગ્ર મામલો સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં પહોંચ્યો છે. રાકેશ અસ્થાનાને ગુજરાત પરત મોકલી આપવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વિશ્વસનીય માહિતી મળી રહી છે. CBI તેના સ્પે. ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમનો લાંબા સમયથી ડાયરેકટર આલોક વર્મા સાથે ઝઘડો ચાલી રહ્યો છે. CBIના એક અધિકારીએ કહ્યું હતું કે, ડાયરેકટર ગઇકાલે જ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેનો સત્તાવાર પ્રસ્તાવ પસાર…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ડિજીટલ ગુજરાતના બણગાં ફૂંકતી ગુજરાત સરકારની ગુજરાત વિધાનસભાની વેબસાઈટ પર ધારાસભ્યોની યાદીને અપડેટ કરવામાં આવી નથી. આજે પણ કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલ અબડાસાના ધારાસભ્ય હોવાનું ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ દર્શાવી રહી છે. ગુજરાત સરકારનાં ડિજીટલ પ્રોજેક્ટનું મોનીટરીંગ કરતી એજન્સી પાસે સમય નથી કે શું? મુખ્યમંત્રી અન મંત્રીઓના પોર્ટફોલિયો સહિતની માહિતી અપડેટ કરી દેવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી છે એ પણ અપડેટ છે. 182 ધારાસભ્યોને હજુ પણ વેબસાઈટ પરથી દુર જ રાખવામાં આવ્યા છે. ગુજરાતના સરકાર એકમોને ડિજીટલાઈઝ્ડ કરવાની કામગીરી પ્રાઈવેટ એજન્સીને…

Read More

સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંગડીયા પેઢીઓનો કારભાર પથરાયેલો છે. ખાસ કરીને સુરતમાંથી આંગડીયા દ્વારા રૂપિયાની ડિલીવરી કરવામાં આવે છે. નોટબંધી અને જીએસટી બાદ આંગડીયાના વેપાર પર ફટકો પડ્યો છે. સુરતમાં આંગડીયા પેઢીની રૂપિયા ભરેલી કાર અનેક વખત લૂંટાઈ છે. જેને પગલે સુરત પોલીસે રાતની ટ્રેનમાં રૂપિયાની ડિલીવરી કરતી કારને ખાસ રીતે પોલીસ સુરક્ષા આપેલી છે અને પાયલોટીંગ કરતી પોલીસ વાન તૈનાત રાખી છે. પણ બે દિવસ પહેલા એવી ઘટના ઘટી કે સુરતના મહિધરપુર પોલીસ મથકના તાબે આવતી આંગડીયા પેઢીની કારોને પોલીસ પાયલોટીંગ જોવા મળ્યું નહી. મહિધરપુર પોલીસ મથકના પીઆઈ રોહલ પટેલ રાત્રી પેટ્રોલીંગમાં હતા અને અને તેમણે આંગડીયા પેઢીની કાર…

Read More

વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનારા પ્રવીણ તોગડિયા રામ મંદિર આંદોલનને વેગ આપવા માટે મંગળવારે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. સોમવારે તેમણે અયોધ્યામાં આ અંગેના સંકેત આપ્યા હતા. તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે કે ‘અબ કી બાર હિન્દુ સરકાર’. તેમણે ‘મંદિર નહીં તો વોટ નહીં’નો નારો આપતા જણાવ્યું હતું કે, આગામી સરકાર ‘હિન્દુ સરકાર’ હશે. જોકે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણના માર્ગ સાફ કરશે અને ભાજપને ભીસમાં મૂકશે એવી ગણતરી કરવામાં આવી રહી છે. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ ‘રામ મંદિર નહીં તો વોટ નહીં’ આંદોલને સમાપ્ત નહીં કરે. આ વખતે હિન્દુઓની…

Read More