ટ્રિપલ તલાકને ગુનો ગણાવનાર બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ગયા સપ્તાહે આ બિલ લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યું છે. મુસ્લિમ મહિલા બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સદનમાં રજૂ કરશે. લોકસભામાં સરળતાથી આ બિલ પસાર કરાવનાર સત્તા પક્ષને બહુમત ન હોવાના કારણે રાજ્યસભામાં મુશ્કેલી થઈ શકે છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પાર્લોમન્ટ્રી અફેર મિનિસ્ટર અનંત કુમારે કહ્યું- અમે ટ્રિપલ તલાક બિલ પર કોંગ્રેસ અને બાકી બીજી પાર્ટીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આશા રાખીએ કે રાજ્યસભામાં તેને પાસ કરાવવામાં મુશ્કેલી નહીં થાય. તેને કાલે રાજ્યસભામાં રજૂ કરી શકીએ છીએ.
Author: Dipal
નરેન્દ્ર મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા એફઆરડીઆઈ એટલે કે ફાઇનાન્શિયલ રિજોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલમાં બેલ-ઇન અંગે BJP માટે ૨૦૧૭નું વર્ષ ખુબ સારું રહ્યું અને આંકડા પર નજર નાંખશો તો ખ્યાલ આવશે કે વર્ષ ૨૦૧૮ પણ સારું રહેશે. કારણકે આ વર્ષે રાજયસભામાં ઘણા ફેરફાર જોવા મળશે. BJP આ વર્ષે ૨૪૫ બેઠકો ધરાવતી રાજયસભામાં પોતાની તાકાત મજબૂત કરતા ૬૭ બેઠકો સુધી પહોંચશે આ સાથે જ તે રાજયસભામાં સૌથી મોટી પાર્ટી બની જશે. જયારે બીજેપીના નેતૃત્વવાળી NDA પાસે આ વર્ષે ૯૮ બેઠકો થઈ જશે. BJPને ફાયદો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ૪૭ બેઠકો પર આવી જશે. BJPએ આ વર્ષે રાજયસભામાં ઉત્તર પ્રદેશ,…
26 જાન્યુ બપોરે 2 વાગે ગાંધીઆશ્રમ અમદાવાદથી ગાંધીનગર ખાતે બ્રહ્મ વિકાસ આયોગ આંદોલનું અાયોજન કરવામાં અાવ્યું છે.જેમાં સૌ પ્રથમ વાર આ આંદોલનમાં બ્રહ્મ ઋષિ , સંતો મહંતો જોડાશે.સૌ પ્રથમ વાર શહેરના, ગામના અલગ અલગ બ્રહ્મ સમાજના પ્રમુખ, મંત્રીશ્રીઓ, આગેવાનો,મહિલા આગેવાનો, યુવાઓ પોતાના સમાજ સાથે , ટિમ સાથે મોટી સંખ્યામાં ભુદેવો હાજર રહેશે. 21 ખુલ્લી જીપો, 40થી વધુ પીકઅપ જીપ, સંતો, મહંતો માટે ઓપન આયશર with સીટીંગ વ્યવસ્થા, હજ્જારો બાઇકો, 500 થી વધારે 4વ્હીલર, બસો,407, લગઝરી બસો સાથે 50000થી વધુ ભુદેવો જોડાશે, આ આંદોલનને સફળ બનાવવા સમિતિ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 18 ઝોન ઇન્ચાર્જ, 99 જિલ્લા ઈન્ચાર્જ,1092…
પદ્માવત ફિલ્મને લઇને રાજપૂત કરણી સેનાએ પોતાનું વલણ બદલ્યું નથી. તેમણે જણાવ્યુ કે કોઇ પણ સિનેમાહોલમાં ફિલ્મ લગાવશે તો તોડફોડ થશે. અને સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામડીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યુ કે પદ્માવત ફિલ્મ રાજપૂત અને હિંદુ સમાજના ઇતિહાસ સાથે ચેડાં કરી બદનામ કરવાની ફિલ્મ છે.
બેંક ડિપોઝિટર્સમાં જે ભયનો માહોલ બન્યો હતો, તે એચએનઆઈમાં પણ પ્રસરી ગયો છે. અને તેથી અમીર રોકાણકારો સુરક્ષિત કાનૂની વિકલ્પ શોધવા લાગ્યા છે. કેટલાક મની મેનેજર્સ અને વકીલો સાથે વાતચીત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને કોર્પોરેટ સીઈઓ અને એનઆરઆઈ પૂછી રહ્યા છે કે, શું તેમણે તેમની ફિકસ્ડ ડિપોઝિટ બંધ કરાવી દેવી જોઈએ? બેંકોનું કહેવું છે કે, લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, પરંતુ એફડી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડ થઈ રહ્યો નથી. આ પ્રકારની બાબતો જોઈ રહેલા એક વકીલ કહે છે કે, ‘આવી જાણકારી માટે અમારી પાસે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટર્સ અને હાઈ નેટવર્થ…
સોમવારે પુણેની પાસે ભીમા-કોંરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારપછી મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર જેવા 18 શહેરો સુધી આ હિંસા ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ભારિપ, બહુજન મહાસંઘ, મહારાષ્ટ્ર ડેમોક્રેટિક ફ્રંટ, મહારાષ્ટ્ર લેફ્ટ ફ્રંટ સહિત 250થી વધારે દલિત સંગઠનોએ બુધવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. બંધના પગલે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડમાં પણ તેની અસર વર્તાઇ છે. અને સાવચેતીના ભાગ રૂપે વલસાડ એસટી ડીવિઝને મહારાષ્ટ્ર તરફ જતી ૧૦થી ૧૨ રૂટની બસ કેન્સલ કરી દીધી છે. વલસાડમા વલસાડ અને વાપી બસ સ્ટેશનથી મહારાષ્ટ્રમા નાસીક, ઓરંગાબાદ, ધુલીયા, બોરીવલીની રેગ્યુલર ટ્રીપ રદ કરી…
ગુજરાતમાં વિધાનસભામાં વિપક્ષના નેતા મુદે કોંગ્રેસની અાજે બેઠક યોજાશે.કોંગ્રેસનું મોવડીમંડળ આગામી દિવસોમાં ચૂંટાયેલા ૭૭ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. આ બેઠક બાદ મોવડીમંડળ દ્વારા વિરોધપક્ષના નેતા અને ગુજરાતમાં પક્ષના દંડક (ચીફ વ્હીપ)ના નામ નક્કી કરવામાં આવશે. અાપને જણાવીએ કે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે મુખ્ય ત્રણ હોદ્દા રહેશે. જેમાં પહેલું અને મહત્વનું પદ વિરોધ પક્ષના નેતા તરીકેનું છે, જયારે બીજા ક્રમે વિરોધ પક્ષના ઉપનેતા અને દંડક તથા ત્રીજા ક્રમે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ના ચેરમેનના પદનો સમાવેશ થાય છે.પાર્ટીના મોવડીમંડળના નેતાઓ આગામી સપ્તાહે ગુજરાત આવનાર છે. તેઓ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ હોદ્દાઓ અંગે અભિપ્રાય મેળવીને તેની બહુમતિ માંગશે. આ પછી…
મહારાષ્ટ્રના પુણેમાં બસો વરસ જૂના યુદ્ધની વરસીને લઇને વકરેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનુ એલાન અપાયુ છે. બંધના એલાનને બાદ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિની અપીલ કરી છે. બંધના પગલે 40 હજાર સ્કુલ બસના પૈડા થંભી ગયા છે. મુંબઈના વર્લીમાં બે બસમાં તોડફોડ કરવામાં આવી છે. તો થાણેમાં રેલ માર્ગ પર આંદોલનકારીઓ ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. મુંબઈમાં ડબ્બા વાળાઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેથી બે લાખ ટિફિન સેવા પ્રભાવિત થવાની છે. પૂણેમાં થયેલી હિંસાના પગલે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ અસર જોવા મળી. મંગળવારે મુંબઇ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસ ઉપર પથ્થરમારો થયો. બીડ,…
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ અેક પછી અેક વિવાદ સામે અાવ્યા છે.ખાતા ફાળવણીની ભારે ખેંચતાણ બાદ નિતીન પટેલની નારાજગી દૂર થઇ ત્યાંજ ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાની નારાજગી જાહેર કરી છે. રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્યથી ચૂંટાઇને આવતા નેતા છે.પરસોત્તમ સોલંકીને માત્ર મત્સ્ય ઊદ્યોગ ખાતું ફાળવતા પોતાની નારાજગી ખૂલીને વ્યક્ત કરી છે. પરસોત્તમ સોલંકી કોળી સમાજના નેતા છે. તેમણે ખાતા ફાળવણીને લઇને પોતાની નારાજગી મુખ્યમંત્રીને મળવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. તેમ છતા જો વધુ ખાતા નહી ફાળવાય તો સમાજ કહેશે તેમ કરીશ તેવું તેમણે જણાવ્યું હતું.પરસોત્તમ સોલંકી નારાજ નથી પણ કોળી સમાજ નારાજ છે.…
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત તો મળી ગઈ સરકાર પણ બની ગઈ પરંતુ ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ દેખાયો હતો સૂત્રો પાસે થી મળી રહેલી માહિતી મુજબ 2017માં તમામ પાર્ટીઓએ પોતાના પ્રચારમાં કસર બાકીના રાખી તો કેટલીક જગ્યાએ સ્થાનિક ઉમેદવારોને લઈ વિરોધનો સુર ઉઠ્યો હતો પરંતુ પાર્ટીએ ક્યાંકને ક્યાંક એ નારાજગી દૂર કરી હતી તો કેટલીક જગ્યાએ વિરોધનાવંટોળને પાર્ટી દ્વારા ડામવામાં પણ આવ્યો હતો પરંતુ કેટલાક વિધ્નસંતોષીઓએ સ્થાનિક ઉમેદવારો ને હરાવવા પોતાની સાખ સુધી જીકી દીધી હતી ખાસ કરી ને વાત કરીએ વલસાડ જિલ્લામાં ઇલેક્સન ના સમયે વિધ્નસંતોષીઓનો રાફડો ફાટ્યો હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં આવો વાવર રહ્યો હતો ત્યારે…