ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 60 જેટલા યાત્રાળુઓ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે.
આ લોકોમાં 10 લોકો સુરતના છે. તો 50 લોકો વડોદરાના હોવાનું સામે આવ્યું છે.
પાણી પડતા ટેન્ટમાં રહેલો સમાન પણ પલળી જતા લોકોને હાલાકી પડી રહી છે.
યાત્રાળુઓના ગરમ વસ્ત્રો પણ પલળી જતાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. જેના કારણે બિમાર પડી રહ્યા છે. સાથે જ ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ આપવા પડી રહ્યા છે.
ત્યારે તમામ ગુજરાતી યાત્રીઓએ ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી છે.
વડોદરાથી ભંડારાની સેવા માટે વર્ષોથી જતા મહાશિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રા કેટલો સમય સ્થગિત કરાઈ છે તે જણાવાયું નથી પણ વડોદરાના કારેલીબાગમાંથી આવેલા 50 મુસાફરોને ભંડારામાં ચંદનવાડી ખાતે આશ્રય અપાયો છે.
છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રામાં ગયેલા યાત્રાળુઓ અટવાઇ ગયા છે, હાલમાં અમરનાથ યાત્રાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને કેમ્પમાં રોકાવવા માટે કહેવામાં આવ્યુ છે.
હવામાન પણ ખરાબ થઇ ગયુ છે. અટવાઇ ગયેલા યાત્રાળુઓ પાસે પહેરવા માટેના ગરમ કપડાં પણ પલળી ગયા છે, અને કેટલાક લોકો બિમાર પણ પડી રહ્યાં છે