ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4: તેલ અવીવમાં ઈરાનનો વિનાશક પ્રહાર, નેતન્યાહુની સ્થિતિ રહસ્યમય!
મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના સૌથી ભયાનક તબક્કે પહોંચી ગયું હોય તેમ લાગે છે. સોમવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસ અને ઈઝરાયેલ એરફોર્સના કમાન્ડરના મુખ્ય મથક પર બેલેસ્ટિક મિસાઈલો વડે સીધો હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઈરાની મીડિયા અને IRGC એ દાવો કર્યો છે કે ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુની સ્થિતિ હાલમાં ‘અસ્પષ્ટ’ છે, જેના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. જો આ સમાચારમાં સત્યતા હશે, તો તે મિડિલ ઈસ્ટના ઈતિહાસની સૌથી મોટી અને વિનાશક ઘટના સાબિત થઈ શકે છે.
ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4: ઈરાનનો દસમો હુમલો
ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમ (Tasnim) ના અહેવાલ મુજબ, IRGC એ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4’ (True Promise 4) ના દસમા તબક્કાની જાહેરાત કરી છે. ઈરાનનો દાવો છે કે આ એક ‘સરપ્રાઈઝ’ હુમલો હતો જેમાં તેલ અવીવમાં આવેલા ઈઝરાયેલના સરકારી સંકુલ અને પૂર્વ અલ-કુદ્સ (જેરૂસલેમ) માં આવેલા મહત્વપૂર્ણ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનનું કહેવું છે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા અગાઉના હુમલાઓનો જડબાતોડ જવાબ છે.
BREAKING: IRGC announces possible assassination attempt on Netanyahu
IRGC Public Relations says:
The office of the criminal Israeli PM, Netanyahu & the location of the regime’s Air Force commander were struck in targeted and surprise attacks by Kheybar Shekan ballistic missiles… pic.twitter.com/WHNZuRvq7G
— Moazzam Ali Siddiqui (@MoazzamTweet) March 2, 2026
ઈરાની ન્યૂઝ એજન્સી ફાર્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઝિઓનિસ્ટ શાસનના ગુનેગાર વડાપ્રધાનની ઓફિસ અને શાસનના એરફોર્સ કમાન્ડરના હેડક્વાર્ટર પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે.” આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે કે શું નેતન્યાહુ સુરક્ષિત છે કે કેમ? જોકે, ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ઈરાનનો આ દાવો મનોવૈજ્ઞાનિક યુદ્ધનો ભાગ પણ હોઈ શકે છે.
નેતન્યાહુની સુરક્ષા અને ઈઝરાયેલમાં અફરાતફરી
આ હુમલાના સમાચાર આવતાની સાથે જ સમગ્ર ઈઝરાયેલમાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. તેલ અવીવ અને જેરૂસલેમમાં સાયરન ગુંજી ઉઠ્યા હતા અને લોકોને બંકરોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. ઈઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન ડોમ’ અને ‘એરો’ મિસાઈલોને તોડી પાડવા માટે સક્રિય થઈ હતી, પરંતુ ઈરાનનો દાવો છે કે તેની મિસાઈલો રક્ષણાત્મક કવચને તોડીને લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી છે.
ઈઝરાયેલના વડાપ્રધાનની ઓફિસ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે અને તે હંમેશા એન્ટી-મિસાઈલ સિસ્ટમથી સુરક્ષિત હોય છે. જો ઈરાનની મિસાઈલ ખરેખર ત્યાં સુધી પહોંચી હોય, તો તે ઈઝરાયેલની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી દર્શાવે છે. આ ઘટના બાદ અમેરિકા પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વ્હાઇટ હાઉસ આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, કારણ કે જો નેતન્યાહુને કંઈ પણ થાય છે, તો ઈઝરાયેલ તરફથી ઈરાન પર એવો વળતો પ્રહાર થઈ શકે છે જે પરમાણુ યુદ્ધની શરૂઆત બની શકે છે.
વૈશ્વિક અસરો અને યુદ્ધની ભયાનકતા
આ સમાચાર માત્ર મિલિટરી એક્શન પૂરતા મર્યાદિત નથી. જે ક્ષણે ઈરાને નેતન્યાહુની ઓફિસ પર હુમલાનો દાવો કર્યો, તે જ ક્ષણે વૈશ્વિક બજારોમાં કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તેલના ભાવ અસ્થિર બન્યા છે. વિશ્વના દેશો અત્યારે બે જૂથમાં વહેંચાઈ ગયા છે. રશિયા અને ચીન આ સ્થિતિ પર મૌન સેવી રહ્યા છે, જ્યારે યુરોપિયન દેશોએ સંયમ રાખવાની અપીલ કરી છે.
ભારત માટે પણ આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મિડિલ ઈસ્ટમાં લાખો ભારતીયો વસે છે અને જો આ હુમલા બાદ વળતો પ્રહાર થાય છે, તો આ ભારતીયોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. ભારતે પણ પોતાના નાગરિકોને ઈઝરાયેલ અને ઈરાનનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. નેતન્યાહુનું ભવિષ્ય અત્યારે રહસ્યના પડદા પાછળ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ હવે એવી સીમાઓ વટાવી ચૂક્યું છે જ્યાંથી પરત ફરવું મુશ્કેલ છે.