જામનગરના રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું નિધન થતા રાજવી પરિવાર માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે.
જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટાબહેન હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ અવસાન થતા રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. રાજવી પરિવારના હર્ષદકુંવરીબા ઘણા લાંબા સમયથી બિમાર હતા. પ્રથમ તેમને જામનગરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઇ જવાયા હતા
મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
તેઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ સક્રિયા હતા અને ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વરસોથી સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સત્યસાઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આ માટે તેઓ સતત ચિંતિત રહેતા હતા.