કૃષ્ણનગરમાં માનસિક અસ્વસ્થ યુવતી પર અત્યાચારનો કેસ: આરોપીને આજીવન કેદ અને દંડ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

યુવતીની સ્થિતિનો લાભ લઈને દુરાચાર કરનાર આરોપી દોષીત સાબિત

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર થયેલા અત્યાચાર કેસમાં કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. એડિશનલ સેશન્સ જજ જે.આઈ. પટેલે આરોપી સુરેશ ઉર્ફે ગુડીયો ડાભીને આજીવન સજા અને 25 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. ચુકાદામાં સ્પષ્ટ નોંધાયું છે કે આરોપીએ યુવતીની નબળી સ્થિતિનો લાભ લઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો, જેના કારણે યુવતી સાડા ત્રણ માસના ગર્ભ સાથે મળી આવી હતી. કોર્ટના મત મુજબ આવા ગુનામાં કોઈપણ પ્રકારની રિયાયત શક્ય નથી.

સારવાર દરમિયાન ખુલ્યુ ગર્ભનું સત્ય અને શરૂ થઈ તપાસ

ફરિયાદી માતાએ જણાવ્યું કે તેમની 21 વર્ષીય દીકરી જન્મથી જ માનસિક અસ્થિર છે અને અવારનવાર ખેંચ આવતી હોવાથી તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ રહેતી હતી. 8 ડિસેમ્બર 2023ના રોજ દીકરીને અચાનક ઊલટી અને ખેંચ આવ્યા બાદ તપાસ દરમિયાન તેના ગૂપ્ત ભાગે રક્તસ્ત્રાવ જોવા મળ્યો. સારવાર માટે ખાનગી ડોક્ટર પાસે લઈ જતાં યુવતી ગર્ભવતી હોવાનો ખુલાસો થયો. માનસિક અસ્થિરતાને કારણે યુવતી કંઈ યાદ કરી શકતી ન હોવાથી પોલીસ ફરિયાદ માતાએ નોંધાવી.

krishnanagar rape case verdict 1.png

- Advertisement -

ડીએનએ અને સાક્ષીઓએ મજબૂત કરી પોલીસની કેસ ફાઈલ

કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરતાં સાક્ષીઓના નિવેદન, ડીએનએ સેમ્પલ અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે સુરેશ ડાભી વારંવાર યુવતીને તેના ઘર નજીકના બજાર વિસ્તારમાં લઈ જતો અને ભોંયરામાં તેની સાથે દુરાચાર કરતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ડીએનએ રિપોર્ટમાં સાબિત થયું કે ગર્ભનો બાયોલોજિકલ પિતા આરોપી જ હતો, જેના આધાર પર કેસ વધુ મજબૂત બન્યો.

krishnanagar rape case verdict 2.png

- Advertisement -

કોર્ટનું કડક વલણ અને વળતર અંગે મહત્વની નોંધ

સરકારી વકીલ દેવેન્દ્ર પઢીયારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું કે યુવતીની માનસિક પરિસ્થિતિનો ફાયદો લઈ આરોપીએ અનેક વખત ગુનો આચર્યો છે. સમાજમાં કાયદાનો ભય રહે તે માટે કડક સજા જરૂરી છે. કોર્ટએ આ બાબતને ગંભીરતાથી લઈને આજીવન કેદનો હુકમ કર્યો. સાથે જ ચુકાદામાં નોંધ્યું કે ભોગ બનનારને મળવાનું વળતર તેની પીડાને ઓછું કરી શકતું નથી, પરંતુ યોગ્ય સહાય મળે તે માટે કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવી યોગ્ય ગણાય છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.