ઉના ના તડ ગામે આઠ વર્ષ ની બાળા ઉપર 65 વર્ષ ના વૃદ્ધે પાશવી બળાત્કાર કરવાની ઘટના બાદ ભારે હોબાળો થતા વૃદ્ધે આપઘાત કરી લેવાની વાત સામે આવી રહી છે આ ઘટના ને દબાવી દેવાતાં અનેક તર્કવિતર્ક થઈ રહયા છે.
ઉના તાલુકાના તડ ગામે આઠ વર્ષની માસૂમ બાળા ઉપર 65 વર્ષના વૃદ્ધે બળાત્કાર કરતા ગામમાં આ વાત વાયુવેગે પ્રસરી જતાં વૃદ્ધે આપઘાત કરી લીધો હોવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે. જોકે, આ મામલે ગુનો નોંધાવાને બદલે મામલો રફેદફે કરી દેવાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉના તાલુકાનાં તડ ગામે 13 જાન્યુઆરી ના રોજ ખરખરો કરવા ગયેલા એક પરિવાર ની આઠ વર્ષ ની બાળકી ઉપર સાંજ ના અરસા માં 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હોવાનાં ગંભીર આક્ષેપ સાથે ભોગ બનનાર બાળકી નો પરિવાર સરકારી હોસ્પિટલમાં ગયા અને રાત્રે 10 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા ત્યારે તબીબે નવાબંદર મરીન પોલીસને ટેલીફોનીક જાણ કરતા સામેથી કહેવાયું બધું પતી ગયું છે તેને જવાદો. ત્યાર બાદ એક ખાનગી કાર આવી અને પિડીતા અને તેનાં પરીવારજનોને બેસાડીને હોસ્પિટલમાંથી લઈ ગઇ હોવાની વાતો વચ્ચે ગામલોકોમાં એવી ચર્ચા પણ ઊઠી છે કે, રાજકીય નેતાઓએ પોતાના ગામને કાલી ટીલી ન લાગે તે માટે એક સાથે બે ગંભીર ઘટનાને દબાવી દીધી હોવાનું કહેવાય રહ્યું છે.