રાજ્યમાં હાલ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલના સમાચાર ભારે ચર્ચામાં રહયા છે અને હાર્દિક પટેલનું અગલનું શુ સ્ટેન્ડ હશે તે અટકળો વચ્ચે રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મળેલી બેઠક ઉપર સૌની નજર મંડાયેલી રહી છે,રાજકીય વર્તૂળોમાં આ બેઠક ખુબજ મહત્વની ગણાય રહી છે અને બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો વહેતી થઈ છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિકે અગાઉ જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું હતુ. પરંતુ ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસથી કેટલાક મુદ્દે નારાજગી હોવાનું સામે આવ્યુ છે અને સ્થિતિ બદલાઈ છે ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી અન્ય પક્ષમાં જોડાવા મામલે કે પછી સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા થઈ હશે તે બહાર આવ્યું નથી પરંતુ રાજકીય દ્રષ્ટિએ આ બેઠક સૂચક મનાઈ રહી છે.
Saturday, May 18