રાજકોટ માં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ને કોરોના નો ચેપ લાગ્યો છે તેઓ ને સારવાર અપાઈ રહી છે હજુ 2 દિવસ અગાઉ તેઓ એ રસીનો બુસ્ટર ડોઝ પણ લીધો હતો તેમછતાં તેઓ કોરોના સંક્રમિત બન્યા છે.
રાજકોટ માં કોરોના ના કેસો વધી રહયા છે અને આ બધા વચ્ચે પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ને કોરોના સંક્રમિત બન્યા છે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
વજુભાઇ વાળા એ હજુ 2 દિવસ પહેલા જ રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો તેમછતાં તેઓ કોરોના સંક્રમિત બન્યા છે.
હાલ આરોગ્યની વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી છે.
અત્યારસુધીમાં ભાજપના 5 નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના 3 તબીબો પણ સંક્રમિત થયા છે. સિવિલમાં અત્યારસુધીમાં કુલ 13 તબીબો અને નર્સિંગ સ્ટાફ કોરોનાની ઝપટે ચડી ગયો છે. શહેરમાં આજે બપોર સુધીમાં 91 કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 45647 સંક્રમિતો નોંધાઈ ચુક્યા છે. હાલ 1987 એક્ટિવ કેસ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા છે. જયારે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.