રાજકોટ મહાનગપાલિકા હાલ ખૂજ જ ચર્ચામાં છે. જેમું મુખ્ય કારણ છે મનપાનું વાલ્વ કૌભાંડ આ કૌભાંડ બીજા કોઇ નહીં પરંતુ મનપાના કર્મચારીઓ દ્વારા જ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ કૌભાંડ મુદ્દે મનપાના અધિકારીઓ અને પદાઅધિકારીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે પણ સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરીયાદ કરવાની તજવીજ હાથધરી છે.
હાલ તો આ સમગ્ર મામલો સામે આવતા મનપા કમિશ્નર દ્વારા તાત્કાલિક ધોરણે એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ આ કૌભાંડ માત્ર એક જકર્મચારીની સંડોવણી હોય તેવું પ્રથમ દષ્ટિએ લાગતું નથી. પરંતુ મનપાના પદાઅધિકારી એવા મેયર આ મુદ્દે પોતે ભેદી મૌન સેવી રહ્યા હોય તેવું ક્યાંકને ક્યાંક દેખાઇ રહ્યું છે.