પાણી પીધા પછી વાંદરાએ કર્યું એવું કામ કે માણસો પણ વિચારતા થઈ ગયા, લોકો બોલ્યા- “હવે પ્રાણીઓ પાસેથી શીખવાની જરૂર છે”
સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક આપણને હસાવે છે તો કેટલાક નવાઈ પમાડે છે. પરંતુ હાલમાં એક વાંદરાનો જે વીડિયો સામે આવ્યો છે, તે માત્ર આશ્ચર્યજનક નથી પણ માણસજાત માટે એક મોટો બોધપાઠ છે. એક તરસ્યા વાંદરાએ પાણી પીધા પછી જે સમજદારી બતાવી, તેને જોઈને લોકો કહી રહ્યા છે કે જે કામ કરવામાં ક્યારેક મનુષ્યો આળસ કરે છે, તે આ પ્રાણીએ ખૂબ જ સહજતાથી કરી બતાવ્યું.
નળ ખોલ્યો, પાણી પીધું અને પછી જે કર્યું તેણે દિલ જીતી લીધું
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો કૂદતો-કૂદતો નળ પાસે પહોંચે છે. તેને ખૂબ તરસ લાગી હોય છે. તે પોતાની સમજદારીથી નળ ખોલે છે અને ધરાઈને પાણી પીવે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પ્રાણીઓ પાણી પીધા પછી ત્યાંથી ચાલ્યા જાય છે, પણ અહીં દ્રશ્ય કંઈક અલગ હતું. પાણી પીધા પછી આ વાંદરાએ તરત જ નળ વ્યવસ્થિત રીતે બંધ કરી દીધો. આશ્ચર્યની વાત તો એ છે કે તેણે આ પ્રક્રિયા બે વાર કરી. જેનાથી એ સાબિત થાય છે કે આ કોઈ અકસ્માત નહોતો, પણ વાંદરાની પોતાની સમજદારી હતી.
માણસોની બેદરકારી સામે એક મોટો સવાલ
આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર પાણીનું એક-એક ટીપું કેટલું કિંમતી છે. તેમ છતાં, ઘણીવાર આપણે ઘરોમાં કે જાહેર સ્થળોએ નળ ખુલ્લા મૂકી દઈએ છીએ અથવા ટાંકી ભરાઈ ગયા પછી પણ મોટર ચાલુ રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે પાણીની ખેંચ વર્તાય છે, ત્યારે જ આપણને તેની કિંમત સમજાય છે. બીજી તરફ, આ વાંદરાએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પાણીનો બગાડ અટકાવ્યો. તેની આ ક્રિયા એવા લોકો માટે લપડાક સમાન છે જેઓ પાણીની કદર નથી કરતા.
શું આ માત્ર નકલ છે કે સમજદારી?
વાંદરાઓ હંમેશા માણસોની નકલ કરવા માટે જાણીતા છે. કદાચ આ વાંદરાએ પણ કોઈ માણસને નળ ખોલતા અને બંધ કરતા જોયો હશે. પરંતુ નકલની સાથે સાથે તેણે એ સંસ્કાર પણ ઝીલ્યા કે જરૂર પૂરી થયા પછી સંસાધનનો બગાડ ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, “આજકાલ માણસો પશુ જેવા થઈ રહ્યા છે અને પશુઓ માણસ જેવી સમજદારી બતાવી રહ્યા છે.”
View this post on Instagram
ગર્ભવતી હોવાની ચર્ચા અને સંવેદનશીલતા
વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે આ માદા વાંદરો કદાચ ગર્ભવતી હોઈ શકે છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પણ લોકો તેની સંવેદનશીલતા અને શાંત સ્વભાવના વખાણ કરી રહ્યા છે. જે રીતે તેણે ધીરજથી નળ બંધ કર્યો, તે ખરેખર શીખવા જેવું છે.
