ગુજરાત માં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે અને વડોદરા માં બપોર બાદ કોરોના એ ઉથલો મારતા સ્થિતિ ગંભીર બની છે.
વડોદરાના નાગરવાડાના સૈયદપુરમાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93નવા પોઝિટિવ કેસો સાથે જ કોરોનાના કુલ 279દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં અમદાવાદ સહિત 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોર બાદ પાટણમાં 7, અમદાવાદમાં વધુ 8, વડોદરામાં 21અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સવારે 50 બાદ વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142કોરોનાના દર્દી થઈ ગયા છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે.હાલ 215 સારવાર હેઠળ છે જેમાં212ની હાલત સ્થિર અને
3 દર્દી વેન્ટીલેટર પર છે.છેલ્લા 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 358 રિપોર્ટ પેન્ડિગ છે.ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા અંગેની માહિતી આપી હતી. આમ કોરોના નું સંકટ વધતા હવે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું છે અને જ્યાં જ્યાં કોરોના ની સ્થિતિ ગંભીર છે તેવા વિસ્તારો સીલ કરી ને કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે.
