ડોક્ટરનો ખુલાસો: આ 2 કારણોથી દવા ખાવા છતાં શરીરમાં વિટામિન ડી શોષાતું નથી

3 Min Read

તડકો લેવા અને દવા ખાવા છતાં વિટામિન D કેમ ઓછું રહે છે? નિષ્ણાતોએ જણાવ્યું આ 2 મુખ્ય કારણો

આજના સમયમાં વિટામિન Dની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આપણામાંથી ઘણા લોકો વિટામિન D વધારવા માટે સવારનો તડકો લે છે, સપ્લિમેન્ટ્સ ખાય છે અને સારો ખોરાક પણ લે છે, તેમ છતાં રિપોર્ટમાં વિટામિન D હંમેશા ઓછું જ આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો તમારે તેના મૂળ કારણને સમજવાની જરૂર છે.

ન્યુટ્રિશનિસ્ટ નેહા રંગલાનીએ આ અંગે મહત્ત્વની જાણકારી શેર કરતા જણાવ્યું છે કે, માત્ર વિટામિન D લેવું પૂરતું નથી, પરંતુ શરીર તેનો ઉપયોગ કરી શકે તે માટે ‘બાઈલ ફ્લો’ (Bile Flow) અને ‘માનસિક તણાવ’ (Stress) પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

- Advertisement -

strees.jpg

૧. બાઈલ ફ્લો (Bile Flow) ઓછો હોવો

વિટામિન D એ ‘ફેટ સોલ્યુબલ’ (ચરબીમાં ઓગળતું) વિટામિન છે. આનો અર્થ એ છે કે શરીરને વિટામિન D શોષવા માટે ચરબી અને બાઈલ (પિત્ત)ની જરૂર પડે છે. લિવર બાઈલ બનાવે છે જે પિત્તાશયમાં જમા થાય છે. બાઈલનું મુખ્ય કામ ખોરાકની ચરબીને તોડવાનું છે, જેથી શરીર વિટામિન A, D, E અને K ને સારી રીતે શોષી શકે.

- Advertisement -

જો તમારો બાઈલ ફ્લો બરાબર ન હોય, તો તમે ગમે તેટલો તડકો લો કે મોંઘી દવાઓ ખાઓ, શરીર તેને શોષી શકતું નથી અને વિટામિન D લો (Low) જ રહે છે.

બાઈલ ફ્લો સુધારવા માટે શું કરવું?

  • ખોરાકમાં કડવી શાકભાજી જેવી કે કારેલા, મેથી અને મૂળાનો સમાવેશ કરો.
  • હેલ્ધી ફેટ્સ લો, જેમ કે ઓલિવ ઓઈલ, બદામ, અખરોટ અને બીજ (Seeds).
  • ખૂબ જ ‘લો ફેટ ડાયટ’ લેવાનું ટાળો, કારણ કે ચરબી વગર વિટામિન D શોષાશે નહીં.
  • લિવરને સ્વસ્થ રાખવા માટે આખા અનાજનું સેવન કરો અને જમ્યા પછી વોક (Walk) કરો.

૨. લાંબા સમય સુધી માનસિક તણાવ (Stress)

આપણું શરીર કોલેસ્ટ્રોલનો ઉપયોગ કરીને ‘કોર્ટિસોલ’ (સ્ટ્રેસ હોર્મોન) અને વિટામિન D બનાવે છે. જ્યારે તમે સતત તણાવમાં હોવ છો, ત્યારે શરીર અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ પડતો કોર્ટિસોલ હોર્મોન બનાવવા લાગે છે. આ પ્રક્રિયામાં વિટામિન D નું ઉત્પાદન ઘટી જાય છે.

- Advertisement -

વધુમાં, તણાવને કારણે શરીરમાં સોજો વધે છે, જેના કારણે શરીરને સામાન્ય કરતા વધુ વિટામિન Dની જરૂર પડે છે. આથી જ સપ્લિમેન્ટ્સ લેવા છતાં શરીરમાં તેની અછત વર્તાય છે.

તણાવ ઓછો કરવાના ઉપાયો:

  • પૂરતી અને સારી ઊંઘ લો.
  • દરરોજ સવારે ૧૫-૨૦ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો.
  • પ્રાણાયામ, ઊંડા શ્વાસ લેવાની કસરત અને મેડિટેશન કરો.
  • પ્રકૃતિ સાથે સમય વિતાવો અને શારીરિક રીતે સક્રિય રહો.
Share This Article