ભગવાસ્થળી કૌરવોની માતા ગાંધારીના શ્રાપના કારણે કૃષ્ણના સમયે સોમનાથ પાસે યાદવો અંદરો અંદર કપાઈ મર્યા હતા. તેથી તેને યાદવાસ્થળી રહેવામાં આવે છે. આજે પણ જૂથવાદ માટે યાદવાસ્થળી શબ્દ વપરાય છે. પણ હવે સત્તાધારી પક્ષના રંગરૂપ જોઈને તે શબ્દના બદલે ભગવાસ્થળી યોગ્ય છે. કારણ કે દ્વારકાના રાજા કૃષ્ણની રાજનીતિ કરતાં ગાંધીનગરના રાજા ભાજપની ભગવા નીતિ વધારે ખતરનાક છે. ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં સત્તાની ચાવી માત્ર પાટીલના હાથમાં છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત…
Author: દિલીપ પટેલ
કચરો હતો 80 લાખ પણ 95 લાખ મેટ્રિક ટન કચરો કઈ રીતે ઉપાડાયો? 1988થી ભાજપનું અમદાવાદ પર રાજ કર્યું અને કચરાનો ડુંગર ખડકી દીધો, પીરાણા ડુંગરથી હજારો લોકો અજાણતા જ રોગના ભોગ બની મોતને ભેટ્યા તેની જવાબદારી કોની? લોક-જંગ : અમદાવાદવાના પિરાણાના કચરાના ડુંગર હટાવાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પિરાણા કચરા ઠાલવવાની જગ્યા પરથી 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. ₹ 2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં કચરાનું રાજકારણ શરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા…
વિધાનસભામાં જો 50 ટકા અનામત હોય તો 91 અને 33 ટકા હોય તો 61 ધારાસભ્યો ચૂટાય. પણ હાલ તો વિધાનસભામાં સરેરાશ 16 મહિલાઓ ચૂંટાઈ છે. લોકસભાની ચૂંટણીમાં 33 મહિલાઓની અનામત બેઠકો રાખવા માટે ખરડો રજૂ કરાયો છે. જે કાયદો બનતા ગુજરાત વિધાનસભા અને સંસદોની બેઠક માટે 33 ટકા અમલ થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં નેતીઓ માટે કેવી સ્થિતી છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ 500 જેટલાં પૂર્વ ધારાસભ્યો હોવાનો અંદાજ છે. કુલ 1390 ધારાસભ્યો ગુજરાતમાં આજ સુધીમાં ચૂંટાયા છે. મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોની જેમાં ગણતરી નથી. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. પછી મહિલાઓ ઓછા થતાં…
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત વન વિભાગે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા વૈજ્ઞાનિક અભ્યાસના તારણોની અવગણના કરી હતી. ભલામણોને ધ્યાને લીધી નથી. જેમાં રાજ્યના સંભવિત વન્યજીવન કોરિડોરમાં વસવાટ સુધારણાની ભલામણ કરવામાં આવી હતી. કેગના ‘ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યના સંરક્ષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપનનું પ્રદર્શન ઓડિટ’ જણાવે છે કે ઈસરોએ 2014 અને 2017માં તેના અભ્યાસમાં 12 વન્યજીવ કોરિડોરનો સમાવેશ કર્યો હતો. તેને ઓળખી કાઢ્યો હતો અને તેને વન સાથે શેર કર્યો હતો. સંભવિત કોરિડોરમાં રહેઠાણ સુધારણા માટેની ભલામણો સાથે વિભાગ. વન વિભાગે ન તો ચોક્કસ કોરિડોરને ઓળખવા…
લોક-જંગ :લોકસભાની ચૂંટણી આવી છે. સાથે ભારતને દેવાદાર બનાવવાની ક્ષણતા પણ લાવી રહી છે. આપણને દરેકને દેવાદાર બનાવીને દેશને દેવામાં ડૂબાડીને લોકસભાની ચૂંટણી આવી છે. નરેન્દ્ર મોદીએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે તેમના પહેલા દેશના 14 વડાપ્રધાનો કરી શક્યા નથી. 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં માત્ર 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. હંમેશા રેસમાં આગળ રહેવા માંગતા નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતનું દેવું સાડા ત્ર્રણ ગણું વધાર્યું. તેણે માત્ર નવ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. 2024 સુધીમાં મોદીની લોન 115 લાખ કરોડ થઈ જશે. માથાદીઠ દેવું ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર…
લોક-જંગ,ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 કાયદો બનાવાયો છે. અન્ય પછાત વર્ગ – OBCને 27 ટકા અનામત લાવી દેવામાં આવી છે. કુલ રાજકિય અનામત 50 ટકા થઈ ગઈ છે. રાજ્યના લગભગ 11 જિલ્લાઓમાં ઓબીસીની સંખ્યા ઘણી વધારે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને સીધો રાજકીય ખૂબ મોટો ફાયદો થશે, એવું મનાય છે. ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલે છે. ભાજપ સરકાર ઓબીસી માટેની અનામત વધારાઈએ મુદ્દાનો પૂરજોરમાં પ્રચાર કરી રહી છે. તેને પ્રભાવ ઊભો કરી રહી છે. નવી અનામત પ્રથા લાવવા માટે ચૂંટણીઓ રોકી રાખી છે. નવા અનામતના ધોરણો લાગુ થયાં બાદ અહીં ચૂંટણીઓ થશે. તેથી ભાજપને…
Ahmedabad. સિટી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં 500 મોંઘી કારની ચોરીમાં સંડોવાયેલી એક શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી ચોરીની 10 કાર કબજે કરીને આ ગેંગના બે મુખ્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઈરફાન ઉર્ફે પિન્ટુ હસન (34) અને અશરફ સુલતાન ગદ્દી (32)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી મોંઘી કારની કિંમત 1.32 કરોડ રૂપિયા છે. આ ગેંગના 20-25 સભ્યો દિલ્હી-એનસીઆરમાં રહે છે. તેઓ એટલા હોશિયાર અને ટેક્નોલોજીથી સજ્જ છે કે તેઓ લેપટોપની મદદથી હાઈ સિક્યોરિટી કોડ તોડીને કારની ચોરી કરતા હતા. તેઓ કારની ચોરી કરનાર વ્યક્તિને 30-35 હજાર રૂપિયા આપતા…
દિલીપ પટેલ દ્વારા અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023 નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ઝીંગા ખેડૂતોનું સંમેલન 14 સપ્ટેમ્બર 2023માં બોલાવાયું હતું. તેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ઝીંગા ખેતીમાં રોગ આવે કે નાશ પામે તો વીમા પોલીસી જાહેર કરી હતી. મોબાઈળ ફોન એપ્લીકેશન ખુલ્લી મૂકીને ઝીંગા ખેડૂતોના તમામ પ્રશ્નો ઉકેલવા કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં 1 લાખ હેકટર જગ્યામાં ઝીંગાની ખેતી માટે અવકાશ છે. ઝીંગાના તળાવોને કારણે દરિયાના પાણીના ભરાવા મુદ્દે લોકોનો ભારે વિરોધ છે. તેનું સંશોધન કરી ઝીંગાના ખેડૂતો અને ગ્રામજનો વચ્ચે સુમેળ જાળવવા કહ્યું હતું. તેમણે પાટીલની વાત માની હતી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા છે. તેઓ ગુજરાતના અમરેલીના છે. તેઓ જ્યારથી…
અમદાવાદ 14 સપ્ટેમ્બર 2023 માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મિત્રતા દેખાઈ આવી હતી. જે રીતે અહમદ પટેલની દોસ્તી મોદી સાથે જાહેરમાં ન હતી પણ ખાનગી હતી. પણ ગેહલોતની બે રીતે દોસ્તી છે. એક જાહેર અને બીજી ખાનગી દોસ્તી. અશોક ગેહલોતના વખાણ નરેન્દ્ર મોદી વારંવાર કરી રહ્યાં હતા ત્યારે ગેહલોતના હરિફ સચિન પાયલટે કોંગ્રેસ નેતૃત્વને જાહેરમાં કહ્યું હતું કે, બન્નેની મિત્રતાને હળવાશથી લીધા જેવી નથી. ગુજરાતના નેતાઓ અને મોદી સાથે અંગત સંબંધો છે. મોદી ધાર્યું નિશાન પાર પાડવા માટે રાજસ્થાન અને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. તે પણ કોંગ્રેસના નેતાઓના કારણે. ગુજરાતમાં જે…
દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. એફ આઈ આર નોધાયા બાદ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયાના 11 મહિના બાદ ધરપકડ થઈ હતી. આશા ઠાકોર પોતાના ખેતરમાં છૂપાયા હતા. આશાબેનને વડનગર PSI જે.ટી.પંડ્યાએ પકડયા હતા. આશાબેન ચેરમેનના સમય દરમિયાન કાયમી ચેરમેનની ઓફિસમાં બેસતાં ન હતાં અને ચેરમેનની ઓફિસની બાજુની ઓફિસમાં બેસતાં હતાં. જ્યારે કાયમી ચેરમેનની ઓફિસમાં વિપુલ ચૌધરી બેસતા હતા. વિપુલ ચૌધરી અત્યારે વિદેશના પ્રવાસે છે. તેમની પર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ હતો. કૌભાંડમાં વાઇસ ચેરમેન આશાબેન ઠાકોરની વતન કહીપુરથી ધરપકડ કરી હતી. 7 જુલાઈ 2021ના રોજ…