રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ , વડોદરા ,સહિત મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા માં વહેલી સવાર થી વરસાદ ચાલુ છે અને સાર્વત્રિક વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશી ની લાગણી પ્રસરી ગઈ છે. કાઠીયાવાડ માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં બે કલાકમાં ૧૨ ઈંચ અને ૮ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ વરસી જતા ખંભાળીયા જળતરબોળ બની ગયું હતું. ગામમાં નીચાણવાસમાં પાણી ભરાયા હતા. અનેક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં કોડિનારમાં ૫ થી ૬ ઈંચ, તાલાલા, ઉના, મોટી પાનેલી, ખાંભા,…
Author: mohammed shaikh
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તૈયાર થઈ રહેલા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદીઓ એ તોડી પાડી ને કટ્ટર ધાર્મિકતા નું પ્રદર્શન કર્યું હતું મતલબ ત્યાં લઘુમતિ હિંદુઓ ની સ્થિતિ અત્યંત ખરાબ છે કારણ કે ત્યાં તેમનો પક્ષ લઈને રાજકારણ રમવા વાળા કોઈ નથી. ત્યાં લઘુમતિ હિન્દૂ ની છોકરીઓ ને બળજબરીથી ઉઠાવી જઇ ધર્મ પરિવર્તન કરાવવા માં આવી રહ્યું છે.જે મંદિર નો પાયો તોડી પડયો તે મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની…
સરહદ ઉપર યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામથાન કોવિંદ વચ્ચે તાત્કાલીક અસર થી ઓચિંતી બેઠક મળતા આ બેઠક ને નવાજૂની થવાના સંકેત માનવામાં આવી રહ્યા છે અને ગમેત્યારે ચાઈના ની કોઈપણ હરકત સામે લડી લેવા આદેશ અપાય તેવી અટકળો વહેતી થઈ છે. રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ બેઠક અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.ચીન સરહદ પર જઈને સ્થિતિ જાણ્યા બાદ અચાનક જ પીએમ મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે. કારણ કે , ભારતની ત્રણેય સેનાના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે અને યુદ્ધ…
વલસાડ માં દારૂની રેલમછેલ અને તેના એડ્રેસ અને નામ સત્યડે માં પ્રકાશિત કરાયા બાદ સંબંધિતો દોડતા થઇ ગયા હતા અને આ બધા વચ્ચે હમણાં હમણાં પાર્થ પટેલ નામનો ઈસમ દારૂ પ્રકરણ માં વલસાડ માં ભારે ચર્ચામાં રહ્યો છે અને તેનું નામ વિવાદ માં આવ્યું છે. નોંધનીય છે કે ગત તા.27મેના રોજ વલસાડ ના અબ્રામાં મણીબાગમાં રાધાકૃષ્ણ મંદિર સામે આવેલા એક મકાન માં LCB પોલીસે છાપો મારીને 74 બોટલ દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. LCBએ કુલ 97,925નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આ દારૂનો જથ્થો મુકનાર પાર્થ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ પાર્થ અમ્રતભાઈ પટેલના બંગલે પણ રેડ કરવામાં આવી…
આજે ગુરૂપૂર્ણિમાના પવન પર્વ નિમિતે 5 જુલાઈએ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે આજે આ ગ્રહણ પર ગજ કેસરી યોગની રચના હોવાથી ચંદ્ર અને ગુરુ ધનરાશિમાં રહેશે. જેના કારણે એક રાશિમાં બંને ગ્રહોનું સંયોજન ગજ કેસરી યોગ બને છે. ચંદ્રગ્રહણ દરમિયાન ગજ કેસરી બનતા આ યોગ કેટલાક જાતકો ને લાભ થવાના યોગ બને છે.આપને જણાવી દઈએ કે મિથુન, કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને ચંદ્રગ્રહણ પર ગજ કેસરી યોગનો વધુ લાભ મળવાનો છે આવો જોઈએ આ જાતકો ને શુ લાભ મળશે. મિથુન રાશિ આ રાશી ના જાતકો માટે ખાસ તો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે…
આજે ગુરુ પૂર્ણિમા ના દીને ગૌરી વ્રત ના અંતિમ દીને આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાંથી 26…
મુંબઇ માં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ નથી આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકામાં 1 ઇંચ,વાપી પોણા 2 ઇંચ અને ઉમરગામ તાલુકામાં પોણા 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.જ્યારે ધરમપુર અને પારડી તાલુકામાં પણ અડધા ઇંચની સરેરાશ સાથે વરસાદ થતાં ખેડૂતો માં રાહતની લાગણી જોવા મળી હતી. વલસાડ ના 5 તાલુકામાં સરેરાશ 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ થયા ના અહેવાલ છે આમતો દર વર્ષે 16 જૂનથી ચોમાસા નો પ્રારંભ થાય છે પરંતુ ચાલુ વર્ષે જૂનના પ્રારંભમાં નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ 3 જૂન આસપાસ વરસાદ…
એક મહત્વ ના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદ મનપા ના વિકાસ ખાતા દ્વારા આજે પરિપત્ર બહાર પાડી અમદાવાદ ની જૂની સોસાયટીના રિ-ડેવલપમેન્ટની સરળ પ્રક્રિયા જાહેર કરતા ઇમારતો પડવાની ઘટનાઓ માં ઘટાડો થશે. પરિપત્ર માં જણાવ્યા મુજબ રિ-ડેવલપમેન્ટમાં આવતી સોસાયટીના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો રિ-ડેવલપમેન્ટની સમંતિ આપેલી હોય અને સોસાયટી ૨૫ વર્ષથી જુની હોય અથવા સક્ષમ સત્તા દ્વારા તેને ભયજનક ઘોષિત કરવામાં આવેલી હોય તો રિ-ડેવલપમેન્ટની મંજુરી મળી શકશે. હવે સોસાયટીના ૧૦૦ ટકા સભ્યોની સમંતિનો આગ્રહ રાખ્યા વિના ૭૫ ટકા કે તેથી વધુ સભ્યો સમંત હશે તો રિ-ડેવલપમેન્ટને મંજુરી મળી શકશે. આ નિર્ણયથી અમદાવાદ શહેરમાં આવેલી ૨૫…
હાલ કોરોના ની હાડમારી ના કારણે અને લોકડાઉન માં ધંધા રોજગાર અને નોકરીઓ ને અસર થતા લોકો બેરોજગાર થઈ ગયા છે અને પૈસા ની તંગી છે બીજી તરફ સ્કૂલો પણ બંધ છે અને ઓનલાઇન સ્ટડી ચાલુ થયું છે ત્યારે લોકો ને ફી ભરવાના પણ ફાંફા છે ત્યારે ઘણી સ્કૂલો ફી માફ કરી રહી છે તેવા સમયે વલસાડ માં પણ એક સ્કૂલે ફી માફ કરી છે. વલસાડ તાલુકાના ઊંટડી વિભાગ કેળવણી મંડળે કે.જી અને ધો.1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની જૂનથી શરૂ થતાં નવા સત્રની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ દ્વારા ફી માફ કરવાનો નિર્ણય કરતાં વાલીઓને મોટી રાહત ની…
વલસાડ માં કોરોના ની સ્થિતિ વકરી છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા દીને તિથલ સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની કોરોના ના નિયમો ને ધ્યાને લઇ સાદગી સાથે ઉજવણી શરૂ થઈ છે. હરિ ભક્તોને સ્વામિનારાયણ મંદિરે સરકારના તમામ નિર્ણયનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ગુરૂના આશીર્વાદ મેળવી રહ્યા છે. હરિ ભક્તો સવારે 8થી 11 અને સાંજે 4થી 7 સુધી ભક્તો દર્શન ઠાકોરજીના અને ગુરૂના આશીર્વાદનો લાભ લઇ શકશે. જોકે,અગાઉ દર વર્ષે ગુરૂપૂર્ણિમા પ્રસંગે સંતવાણી, ગુરૂ પૂજાના વગેરે ધામધૂમ થી ઉત્સવ ઉજવવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોના ની હાડ મારી વચ્ચે આ ઉત્સવ ની સાદગી થી ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. એટલુંજ નહિ સાંજે…