દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદી આજે 72 વર્ષના થયા. ચાલો જાણીએ વડાપ્રધાન પાસે કેટલી સંપત્તિ છે? તેનું ઘર ક્યાં છે? તેણે કઈ વસ્તુઓમાં રોકાણ કર્યું છે? હાલમાં જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પોતાને દેશના વડાપ્રધાન ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની કુલ સંપત્તિ 2.23 કરોડ (2,23,82,504) છે. આ જાણકારી પીએમ ઓફિસ દ્વારા આપવામાં આવી છે. આ માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં પીએમની સંપત્તિમાં લગભગ 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. PMOના ડેટા અનુસાર, PM પાસે હાજર 2.23 કરોડ રૂપિયામાંથી મોટાભાગની રકમ તેમના અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા છે. તાજેતરની માહિતી અનુસાર, પીએમ…
કવિ: Halima shaikh
ભારતીય વાયુસેનાના જબાંજ અને એક્યુરેટ ચિનૂક હેલિકોપ્ટરને પ્રથમ વખત બે મહિલા પાઇલોટ દ્વારા ઉડતી જોવા મળશે. આ પ્રથમ વખત છે જ્યારે વાયુસેનાએ તેના ફ્રન્ટલાઈન ચિનૂક હેલિકોપ્ટર યુનિટને બે મહિલા ફાઈટર પાઈલટને સોંપી છે. આ બંને ચિનૂક એકમો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સૈનિકોને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સ્ક્વોડ્રન લીડર પારુલ ભારદ્વાજ અને સ્વાતિ રાઠોડ અત્યારસુધી રશિયન બનાવટનું Mi-17V5 હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા જેઓને હવે આસામમાં ચંદીગઢ અને મોહનબારી ખાતેના CH-47F ચિનૂક યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સ્ક્વોડ્રન લીડર પારુલ ભારદ્વાજે 2019માં Mi-17V5ની પ્રથમ ફ્લાઇટને કમાન્ડ કરી હતી. બરાબર બે વર્ષ પછી, સ્વાતિ રાઠોડ ફરજ પાથ…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ 1267 સમક્ષ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અમેરિકાએ મીરના માથા પર $5 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે. જોકે,ચીન આતંકવાદ પર પોતાનો મત બદલવા તૈયાર નથી અને આતંકીના સમર્થક તરીકે રહે છે. હવે મુંબઈ પર 26/11ના હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં અવરોધ ઊભો કર્યો છે. અમેરિકાએ UN સુરક્ષા પરિષદમાં મીરને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભારતે તેનું સમર્થન કર્યું હતું. પરંતુ ચીને વીટો કર્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ 1267 સમક્ષ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ…
રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડતાં તંત્ર સાબધું બન્યું છે ઉમરગામ,ધરમપુર,કપરાડા,વાપી સહિત વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડમાં વ્યાપક વરસાદથી જનજીવનને અસર પહોંચી છે, ઔરંગા નદીમાં જળસપાટીમાં વધારો થયો છે, મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીઓ બેકાંઠે વહી રહી હતી પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં જિલ્લા કલેક્ટરે રજાની જાહેર કરી લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે. વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ટ્વિટ કરી જણાવ્યું કે,…
જમાનો બદલાઈ રહ્યો છે અને હવે આધુનિક ટેકનોલોજીનો યુગ સતત અપડેટ થઈ રહ્યો છે,આગામીવર્ષ 2030 સુધીમાં ભારતમાં 70% વાહનો ઓટોમેટિક હશે, માણસ કારમાં આરામથી બેઠો હશે અને મગજ ચલાવવું નહી પડે અને કાર પોતેજ ડ્રાઇવર વગરજ ઓટોમેટિક ચાલશે એટલુંજ નહિ પણ ભવિષ્યમાં કાર ભાડે આપતી કંપનીઓ અને ટ્રક પણ ડ્રાઇવર રહિત હશે. આ તરફ પ્રયાણ કરવા માટે ઓટોમેટિક કાર મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે શરૂઆત થઈ ચૂકી છે. કાર મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ સોફ્ટવેર બનાવતી સિલિકોન વેલીની કંપનીઓ સાથે ટાઇઅપ શરૂ કર્યું છે, વડોદરા એફજીઆઈ બિલ્ડિંગ ખાતે યોજાયેલા સેમિનારમાં યુનિવર્સિટી ઓફ એલએબામાના રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત પ્રો. બાલા સુબ્રમણ્યન દ્વારા ઉદ્યોગ જગતના ઉપસ્થિત અગ્રણીઓને આ…
નામિબિયાથી ખાસ પ્લેનમાં આઠ ચિત્તા ભારતમાં પહોંચી ચૂક્યા છે. જે ચિત્તાનું પેઇટિંગ ધરાવતું ખાસ પ્લેન ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. હવે અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવારવાના થઈ ગયા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે ત્રણ બોક્સ ખોલશે અને ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડશે. આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. મોદી કુનોમાં અડધો કલાક રોકાશે. આ દરમિયાન તે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે વાત કરશે. શાળાના બાળકોને પણ પાર્કમાં બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સવારે 9.30 વાગ્યે કુનો નેશનલ પાર્ક પહોંચશે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર શુક્રવારે…
રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ તેડાગર બહેનોના પગારમાં 1500 તો આંગણવાળીની બહેનોના પગારમાં 2000નો વધારો કરવામાં આવ્યો છે,જીતુભાઇ વાઘણી એ ટ્વીટ કરી જાણકારી આપી છે. તેડાગરના માનદ વેતનમાં વધારો કરવા સહિત 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આંગણવાડી કાર્યકરને રૂ.10હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 વેતન અપાશે. આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 વેતન અપાતું હતું તેમાં રૂ. 2200નો વધારો કરીને રૂ 10,000 ચૂકવાશે, એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ 3950 વેતન ચૂકવાતું હતું એમાં રૂ. 1550નો વધારો થતાં હવે તેડાગરને 5500 પગાર…
રાજ્ય સરકારે સરકારી દવાખાનાઓમાં રવિવારે ઓપીડી ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. તેમજ સાંજની ઓપીડીનો સમય લંબાવવાની પણ જાહેરાત કરી છે. સરકાર દ્વારા થયેલા આ દેશમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ આપ જમવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ અને સીએસઆર પ્રવૃતિ દ્વારા કરાવવાની રહેશ. સરકારના આદેશ બાદ વડોદરામાં સયાજી હોસ્પિટલ, સહિતની હોસ્પિટલોમાં પણ સુવિધાઓ ચાલુ થશે. હોસ્પિટલમાં સોમવારથી રવિવાર સવારે ઓપીડી 9થી 1 અને સાંજની ઓપીડી 4થી 8 સુધીની રહેશે. રવિવારે પણ સવારે ઓપીડી કાર્યરત રહેશે. રજાના દિવસોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની પણ સુવિધા ચાલુ રાખવાની રહેશે, પરિણામે…
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કરી દેવાનો મોટો નિર્ણય લીધો છે. વિગતો મુજબ મહારાષ્ટ્રના પુણે અને નાસિકમાં લેવાયેલા પાવડરના નમૂનાઓ સરકાર દ્વારા પ્રમાણભૂત ગુણવત્તાના ન હોવાનું જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. બેબી પાવડર બનાવતી કંપની જોન્સન એન્ડ જોન્સને ઓગસ્ટ 2022માં જણાવ્યું હતું કે તે 2023થી ટેલ્કમ પાવડરનું ઉત્પાદન બંધ કરશે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે ટેલ્કમ પાઉડરના ઉત્પાદનને કારણે તે મુકદ્દમાઓથી પરેશાન છે, તેથી તેણે આ નિર્ણય લીધો છે. કંપનીએ અમેરિકા અને કેનેડામાં ટેલ્કમ પાવડરનું ઉત્પાદન પહેલાથી જ બંધ કરી દીધું છે. છેલ્લા કેટલાક…
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધારમાં નોંધપાત્ર ફેરફારો કરશે,જે અંતર્ગત લોકોએ 10 વર્ષમાં આધાર અપડેટ કરાવવો પડશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પાંચ અને 15 વર્ષ પછીના બાળકોએ આધાર માટે તેમના બાયોમેટ્રિક્સને અપડેટ અથવા અપડેટ કરવું જરૂરી છે. UIDAI લોકોને દર 10 વર્ષમાં એકવાર તેમના બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફિક્સ વગેરે અપડેટ કરવા જણાવશે, જોકે, કોઈ વ્યક્તિની ચોક્કસ ઉંમરથી વધુ થઈ જાય, ઉદાહરણ તરીકે 70 વર્ષ, તેની જરૂર રહેશે નહીં. UIDAIએ જણાવ્યું હતું કે મેઘાલય, નાગાલેન્ડ અને લદ્દાખ વસ્તીના અમુક ટકા સિવાય દેશના લગભગ તમામ પુખ્ત વયના લોકો માટે આધાર બની ગયા છે. તેમણે કહ્યું કે NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ)ના…