ઉત્તરાખંડઃ કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે બીજેપી સરકાર કોરોનાને નાથવા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો વિપક્ષ પાર્ટીઓ કરી રહી છે. આવી સ્થિતિ વચ્ચે બીજેપીના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે કોરના વાયરસને પણ જીવવાનો અધિકાર છે. આપણે તેની પાછળ પડ્યા છીએ અને તે બચવા માટે રૂપ બદલી રહ્યો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિવેદનનો વીડિયો શેર કરતાં જ ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તંજ કસ્યો અને કહ્યું કે કોરોના એક પ્રાણી છે તો તેનું આધાર કાર્ડ અને રાશન કાર્ડ પણ હશે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઉત્તરાખંડા પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર…
Author: સત્ય ડે દૈનિક ડેસ્ક
ચીનમાં એક એજીબોગરીબ ઘટના સામે અવી છે. એક મહિલાના સામાનના એક્સ-રે સ્કેનની તસવીરો લઇ તેને ગ્રુપ ચેટમાં શેર કરવા બદલ સિક્યુરિટી ગાર્ડને ગ્વાન્ગઝૂ મેટ્રો દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આ ઘટના 7 મેના રોજ સામે આવી હતી. જેમાં એક વેઇબો યુઝરે ગ્રુપ ચેટના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જેમાં દેખાતું હતું કે ગાર્ડ્સે કમ્યૂટર બેગના એક્સ-રે સ્કેનનાં ફોટા પોસ્ટ કર્યા હતા. ગ્વાન્ગઝૂ-ફોશાન મેટ્રોમાં નિયુક્ત ગાર્ડને તેની સાથે કહ્યું હતું કે, તેને એક્સ-રે સ્કેન કરતી વખતે તેને મહિલાની થેલીમાં ભારે ધાતુની વસ્તુઓ મળી, તેથી તેણે તેને બેગ ખોલવા વિનંતી કરી હતી. ત્યારે માલુમ થયું કે બેગની અંદર એક ચાબુક, એક સેક્સ…
રેસિપીઃ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે લોકો કોઈના કોઈ ડ્રિંગ્સ બનાવીને રોગપ્રતિકારક શક્તી વધારી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધનો ઉલ્લેખ છે. જેનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને અનેક પ્રકારના વાયરસ તથા રોગથી વ્યક્તિ પોતાને બચાવી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરીરમાં થાક પણ દૂર થાય છે. આ સાથે જ દૂધ શરીરમાં જવાથી ઉર્જાનો સંચાર થાય છે. તો ચાલો આજે આ દૂધ પીવાના ફાયદા અને તે બનાવવાનો સરળ રીત અંગે ચર્ચા કરીએ. આયુર્વેદીક દૂધના ફાયદા – શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. – મેમરી વધારે. પરિણામે શીખવાની ક્ષમતામાં વધારો થાય છે.…
નવી દિલ્હીઃ કોરોનાની બીજી ઘાતક લહેર સામે બચવા માટે લોકો કોરોના વેક્સીન લગાવી રહ્યા છે ત્યારે અત્યારે કોરોના વેક્સીનની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં સારા સમાચાર આવી રહ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ છે કે ડિસેમ્બર સુધી દેશના તમામ નાગરિકોને રસી લગાવવા માટે પૂરતી રસી ઉપલબ્ધ હશે. ગુરુવારે તેમણે કહ્યુ કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. પૉલે કહ્યુ કે, આ રીતે જોતા દરેક ભારતીયને રસીનો ડોઝ લગાવ્યા બાદ પણ રસીનો વધારાનો પર્યાપ્ત જથ્થો હશે. ગુરુવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન ડૉક્ટર વી.કે. પૉલે કહ્યુ કે, “ભારત અને ભારતીયો માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી કુલ મળીને…
અમદાવાદઃ અત્યારે કોરોના વાયરસની બીજી અને ઘાતક લહેર ચાલી રહી છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા તો લોકો ઘરે બેઠા સારવાર કરાવવા માટે મજબૂર બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કટેલાક લાલચું ડોક્ટરોને મોકળું મેદના મળી જાય છે. અમદાવાદમાં એક ચેતવણરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક નકલી ડોક્ટરે પરિવારને ઘરે જઈને સારવાર કરીને દોઢ લાખ રૂપિયા ખંખેર્યા હતા. મળતી માહિતી પ્રમાણે શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. તાજેતરમાં તેઓના પતિ ને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો…
નવી દિલ્હી: આજે શુક્રવારે અક્ષય તૃતિયા છે ત્યારે આજના દિવસે સોના સહિત પીળી ધાતુ ખરીદવી શુભ માનવામાં આવે છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં કડક લોકડાઉન તો કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અને રાજ્યમાં કડક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. કોરોનાને પગલે તમામ જ્વેલરી શૉપ બંધ છે. જોકે, તમે ઘરે બેઠાં બેઠાં સોનાની ખરીદી કરીને અખાત્રીજ નિમિત્તે શગુન કરી શકો છો. તમે ઘરે બેઠાં બેઠાં જ 24 કેરેટ શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો. અખાત્રીજના દિવસે અનેક જ્વેલર્સ ઑફર્સપણ આપી રહ્યા છે. તો જાણી લો ઘરે બેઠાં બેઠાં કેવી રીતે સોનું ખરીદી…
અજબ ગજબઃ દશ અને દુનિયામાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જે વિજ્ઞાન માટે અવિશ્વસનિય ગણી શકાય. આવા અનેક મામલાઓ મેડિકલ સાયન્સ સામે આવતા હોય છે. જે ડોક્ટરો (doctors) અને લોકોને પણ હેરાન કરી દે. આ સમાચાર આવી જ એક ઘટની છે. અહીં જે યુવતીની વાત થઈ રહી છે તે માત્ર 15 વર્ષની હતી. જે હોસ્પિટલ ગઈ હતી અને તેણે જણાવ્યું કે તેના પેટમાં બે યુવકોએ ચપ્પુ માર્યું છે અને તેમાંથી એક તેનો બોયફ્રેન્ડ છે. અને એક જૂનો બોયફ્રેન્ડ હતો. તેને એ ન્હોતી ખબર કે ચપ્પુ કોણે માર્યું પરંતુ આ પહેલા ત્રણે વચ્ચે નાની લડાઈ થઈ હતી. યુવતીના ડાબા હાથે…
આજના સમયમાં ટ્યુટોરિયલ વીડિયોએ લૉકડાઉન થયા પછી લોકોને ખૂબ મદદ કરી પરંતુ ઓનલાઇન ઉપલબ્ધ દરેક વીડિયો તમારા ઉપયોગમાં આવતા નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતી 21 વર્ષીય ટિલી વ્હાઇટફેલ્ડે બ્યૂટી ટ્રિટમેન્ટનો એક ટ્યુટોરિયલ વીડિયો જોયો હતો. એક ઓસ્ટ્રેલિયન સેલિબ્રિટીને ઓનલાઇન બ્યુટી વીડિયો જોઇને કોપી કરવું મોંઘું પડ્યું. બ્યૂટી ટ્રીટમેંટથી મહિલા પર રિએક્શન આવ્યું છે. જે બાદ તે થોડા સમય માટે અંધ બની ગઈ અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. વીડિઓ જોયા પછી તેની નકલ કર્યા પછી, મહિલાનો ચહેરો બળી ગયો હતો અને રિએક્શન પછી, ટિલી થોડા સમય માટે અંધ બની ગઇ હતી. ટિલીએ લોકોને જાગૃત કરવા માટે તેની સ્ટોરી શેર કરી છે.…
નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપેલી જાણકારી મુજબ આગામી જુલાઇ માસમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. જોકે એ દરમ્યાન ટીમ ઇન્ડીયાની બીજી ટીમ શ્રીલંકા પહોંચશે, કારણ કે ટેસ્ટ ટીમ ઇંગ્લેંડમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી ને લઇને રોકાયેલી હશે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ભારત એ 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ 5 જુલાઇ એ શ્રીલંકા પહોંચવાની સંભાવના છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. જે અંગેના સંકેત SLCના ચેરમેન અર્જૂન ડિ સિલ્વા એ પ્રસારણ સંસ્થા સાથે ની વાતચીતમાં આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યુ હતુ…
સુરતઃ અત્યારના સમયમાં આડા સંબંધો સામાન્ય બની ગયા છે ત્યારે આવા અનૈતિક સંબંધોનો ક્યારેક કરુણ અંજામ આવતો હોય છે. સુરતમાં એક યુવકને અનૈતિક સંબંધો રાખનાર એક યુવકને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. અહીં પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચી ગયા હતો. આ દરમિયાન પરિણીતાનો પતિ ઘરે આવી ગયો હતો. જેથી પકડાઈ જવાના ડરે યુવકે ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. ગંભીર ઈજા પહોંચતા યુવકનું હૉસ્પિટલ પહોંચે તા દરમિયાન મોત થયું હતું. યુવક પરિણીતા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ખાતે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. આ પ્રેમ પ્રકરણમાં ભાંડો ફૂટી…