પુલવામા હુમલાને લઇને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. પુલવામા હુમલાને લઇને પુરાવા વગર અમારા પર આરોપ લગાવામાં આવી રહ્યો છે. ભારતે અમારા પર ખોટો આરોપ લગાવ્યો છે. આતંકવાદનો સામનો પાકિસ્તાન પણ કરી રહ્યું છે. પાકિસ્તાન સ્થિરતા ઇચ્છી રહ્યું છે. જો ભારત હુમલા મામલે પુરતા પુરવા આપે તો અમે એકશન લઇશું. ભારત પાસે પુરાવા હોય તો મને આપો અમે કડક પગલા લઇશું. જ્યારે પણ ભારતની સાથે ચર્ચાની વાત કરીએ છીએ ત્યારે આતંકવાદની વાત કરે છે. અમે આતંકવાદ પર ચર્ચા કરવા તૈયારી છીએ. આતંકવાદથી અમને 100 અરબ ડોલરનું નુકસાન થયું છે. કાશ્મીર અંગે ચર્ચા કરવા અમે તૈયાર છે. કાશ્મીરના યુવાનો…
Author: Satya-Day
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ગુજરાતને અન્યાયની થપ્પડ મારી છે. તેના પડઘા લોકસભામાં પડે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના ઉત્તરોમાં આ વિગતો બહાર આવી છે. શું છે અન્યાયની થપ્પડ ? 1 – અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર…
સુરતમાં આજ રોજ કરમચેદ થાયર ગૃપની કોર્પોરેટ સોસઇયલ રિસપોન્સિબિલિટી શાખા કેસિટી ગૃપ દ્વારા ફક્ત એક જ વર્ષમાં તેની ત્રીજી અતિઆધુનિક કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓફ લર્નિંગ , લાઈવલીફુડ એન્ડ રિસર્ચ લેબોરેટરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જશચરઉછેરના સ્થાયી વિકાસ માટે હંમેશાથી કટીબદ્ધ રહેનારી આ લેબ જળચરોનો ઉછેર કરનારા ખેડૂતો માટે અનુકુળ વાતાવરણ રચવાની મથામણ તરફ કેસીટી ગૃપની પહેલ છે. વર્ષ 2018 માં હસ્તાક્ષર કરવામાં આવેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ મારફતે કેસીટી ગૃપ ટ્રસ્ટ અને આઈસીએઆર-સીઆઈબીએ ખારા પાણીમાં જળચરોના ઉછેર માટેના સહયોગી નોલેજ પ્રોગ્રામ માટે હાથ મિલાવ્યો હતો. આઈસીએઆર-સીઆઈબી એ દેશમાં ખારા પાણીમાં જળચરોનો ઉછેર કરવા માટેની નોડલ એજન્સી હોવાથી આ સહભાગીદારી એક સમર્પિત એક્વેટિક એનિમલ…
ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મિરમાં મૃત્યુ પામેલા બીએસએફ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરાપણ હિંમત હારવાની નથી. શહીદો પર દેશને ગર્વ થાય છે. જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત આવી રહી છે. શહીદોની સહાદત એળે નહીં જાય. દેશનો દરેક નાગરિક આજ સૈન્યની સાથે છે. દેશના જવાનોની હિંમત વધારી રહ્યા છે ત્યારે દેશના નાગરિકોએ સેના પર, સરકાર પર ભરોસો રાખવાનો છે. પણ ગુજરાતમા રહેતાં પૂર્વ સૈનિકોને વિજય રૂપાણીની સરકાર જે રીતે અન્યાય કરી રહી…
કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બીજા કેટલાંક સેક્સ રેકેટમાં ભાનુશાળી સામે આંગળી ચિંધાઈ હતી. છબીલ પટેલ કોંગ્રેસમાં હતા. તેમને ભાજપમાં લાવનાર તે સમયના મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભાનુશાળીની હત્યા, સેક્સ, રાજકારણની સીલસીલાબંધ વિગતો ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા…
ભારતીય સૈનિકો પર થયેલા હુમલાને પગલે દેશભરમાં વિવિધ પ્રકારે પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાની હેકરોએ તેમની કાયરતાપૂર્ણ પ્રદર્શન કરતા ગુજરાતની અંદર સાયબર એટેક કરે છે અને ડઝનબંધ સંસ્થાઓ અને નામી વ્યક્તિઓની ની વેબસાઈટો હેક કરી છે. જોકે ભારતીય મોનીટરીંગ એજન્સીઓ દ્વારા આ સાયબર એટેકને નિષ્ફળ બનાવાયો છે. રાજકોટની ઇન્ફોર્મેટિક્સ કંપનીના કલ્પિત સંઘવી જેમને રાજ્યમાં ઘણી નામી સંસ્થા અને વ્યક્તિ ઓ માટે વેબસાઈટ બનાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આઈકેડી આરસી(કિડની હોસ્પિટલ), નવજીવન ટ્રસ્ટ, સહીત ની ઘણી સંસ્થાઓ ની વેબસાઇટ પાકિસ્તાની હેકરોએ હેક કર્યાનું જાણવા મળ્યું છે. કલ્પિત સંઘવી કહે છે કે, પાકિસ્તાન તો તે ભારતીય જે પ્રકારે રોષ…
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં જે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેનું એક ઉદાહરણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના બસોથી પણ વધુ જેટલા રેલવે અને લક્ઝરી બસના ટ્રાવેલ એજન્ટોએ પોતાના તમામ ટૂર પેકેજીસ માંથી કાશ્મીર ટુર પેકેજ કાઢી અને આવનારા પાંચ વર્ષ માટે કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારત સરકારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પાડી દેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. સૌરાષ્ટ્રમાં લકઝરી બસ ટ્રાવેલ્સ અને રેલવેના એજન્ટોએ ગઈકાલે યોજાયેલી મિટિંગમાં ભેગા મળી અને કાશ્મીર ટુરનો બહિષ્કાર કર્યો હોવાનું નક્કી કર્યું છે રેલવેના ૭૦ જેટલા અને લક્ઝરી બસના ૧૭૦ જેટલા ભેગા મળી અને આવનારા…
પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને બીકાનેર જિલ્લાના કલેકટર કુમારપાલ ગૌતમએ બીકાનેર જીલ્લામાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર જિલ્લો છોડી જવા કહ્યું છે. જીલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જીલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે, જેના આધારે જો કોઈ પાકિસ્તાની નાગરિક જિલ્લાની સિમા મર્યાદામાં હાજર હોય તો તેને પોતે જ જિલ્લામાંથી બહાર જવું પડશે. આ પછી તેમની વિરુદ્ધ કડક પગલાં લઈને ધક્કા મારીને જિલ્લામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બીકાનેરમાં પાકિસ્તાની માણસોનો આકડો 111,278 છે રવિવારની મધ્યરાત્રિએ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના પિંગલિન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન એક મેજર સહિતના 4 જવાનો…
રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે. પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકિકત બહાર આવશે કે, કયા કારણથી આટલી…
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે. હવે ફિલ્મ ઉદ્યોગમાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ રીત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનારા પાકિસ્તાની એક્ટર અને એકટ્રેસ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, પ્રતિબંધ બાદ પણ કોઇ સંગઠન પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો તેને એઆઇસીડબ્લયુએ સસ્પેન્ડ કરશે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય પત્રમાં પુલવામા આતંકી હુમલાની પણ નિંદા કરવામાં આવી છે જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આના પગલા સ્વરૂપે અજય દેવગણે…