ગુજરાતની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરીણામના આઠમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની લીડમાં ઘટાડો થયો છે, જેમાં 2000 મતનો ઘટાડો નોંધાયો છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પરીણામના જાહેરાચના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના કુંવરજી બાવળીયા લીડ મેળવી રહ્યા હતા. જેમાં સામે કોંગ્રેસના અવસર નાકિયાની લીડ ઓછી હતી. જો કે આઠમાં રાઉન્ડમાં કુવરજીની લીડ ઘટતા આ પરીણામ ખુબ રસાકસી વાળું જોવા મળી રહ્યું છે.
કવિ: Satya-Day
પ્રતિષ્ઠાનો જંગ બનેવી જસદણ વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. તો તેમાં બે રાઉન્ડ પુર્ણ થતા કુંવરજી બાવળીયા 1244 મતથી આગળ ચાલી રહ્યા છે. તો 6 રાઉન્ડ અવસર નાકિયા માટે ખુબ મહત્વનો છે, કારણકે તે તેનો વિસ્તાર છે. પહેલા રાઉન્ડમાં કુવરઝી 1200 મતથી આગળ હતા, બીજા રાઉન્ડમાં તેઓ 1800 મતથી અને 3 જા રાઉન્ડમાં કુંવરજી 2700 મતથી આગળ ચાલી રહ્યા છે. એક પછી એક રાઉન્ડમાં કુંવરજી આગળ વધી રહ્યા છે ્યારે અવસર નાકીયા માટે મુશ્કેલી વધી રહી છે.
જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી છે. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે અગાઉ જ કુંવરજી અને અવસર નાકીયાએ પોતાની જીતના દાવા કર્યા છે. અહીં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું જેમાં સરેરાશ 72 મતદાન થયું હતું. 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને…
ભારતની સૌથી જૂની બેંકોની યાદીમાં સામેલ ત્રણ સરકારી બેંકોનુ અસ્તિત્વ નવા વર્ષે સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ જશે. એવામાં આ બેંકોમાં જે લોકોનું ખાતુ છે, તેવા ખાતેદારોએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અમે બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકની વાત કરી રહ્યાં છે. ખરેખર, નાણાં મંત્રાલયે આ ત્રણેય બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ ત્રણ બેંકોના મર્જરથી એક નવી બેંક બનાવવામાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ તમારે વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારું એકાઉન્ટ બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં છે તો તમારે ફરીથી પોતાનુ ખાતુ ખોલાવવુ પડશે. ખાતુ ખોલવા…
આ વર્ષે ઘણા સેલેબ્સનાં લગ્ન થયાં. ક્યાંય દિપીકા-રણવીર, સોનમ કપુર-આનંદ અહુજા અને ઇશા અંબાણી-આનંદ પિરામલનાં લગ્ન બહુ ચર્ચામાં રહ્યા છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થયા. લગ્ન પછી પણ ઇશા અંબાણી ચર્ચામાં છે. તે હવે નવા ઘરમાં એન્ટ્રી કરશે. ઈશા-આનંદના નવા ધારના ફોટો સોશિયલ મીડિયા પર ખાસ્સા વાયરલ થયા છે. ઈશા હવે વર્લી સી- ફેસ બંગલામાં રહેવા જવાની છે. આ બંગલો 50 હજાર ચો.ફૂટનો વિસ્તાર ધરાવે છે અને આ બંગલાનું નામ ગુલીટા (Gulita) છે. મીડિયા અહેવાલો અનુસાર, 27 વર્ષીય ઇશા અને 33 વર્ષીય આનંદ ગુલીટામાં શિફ્ટ થવાના છે. 50 હજાર…
ગુજરાત ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણ વિધાનસભા માટે આવતીકાલે મતગણતરી થવાની છે. જસદણની પેટાચૂંટણીમાં ભાજપના સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે સીધી ફાઈટ છે. કોનું નસીબ જોર કરી રહ્યું છે તે આવતીકાલે મતગણતરી બાદ માલૂમ પડી જવાનું છે. જસદણની પેટાચૂંટણીમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો હતો. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટા ચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. આટલો મોટો કાફલા ઉપરાંત 35 સ્ટાર પ્રચારકો સાથે ભાજપનો ચૂંટણી પ્રચાર રહ્યો…
મહાલ-બરડીપાડા પર માર્ગ પર આજે 50 વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડીમાં ખાબકતા હાહાકાર મચી જવા પામ્યો છે. બસ 300 ફૂટ નીચે ખાડીમાં ખાબકતા દોડધામ મચી જવા પામી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, ફાયરવિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચ્યો છે. બસમાં સવાર વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના છે. મહત્વનું છે કે, આસપાસના લોકો બચાવ કામગીરી માટે પહોંચ્યા છે. આ બસમાં અમરેલી જિલ્લાના 50 વિદ્યાર્થીઓ હતા. ત્યારે ક્યા કારણોસર બસ ખાડીમાં ખાબકી તે જાણી શકાયું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બસ ખીણમાં ખાબકતા કેટલાક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, 108 એમ્બ્યુલન્સો…
વોટ્સએપ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી મેસેજીંગ એપ્લિકેશન્સમાંથી એક છે. યૂઝર્સની સગવડતાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં નવા-નવા ફિચર્સ ઉમેરાતા રહ્યા છે. જો કે, વોટ્સએપના કેટલાક યુઝર્સ માટે ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ બાદ કેટલીક જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં સપોર્ટ કરતું બંધ થઈ જશે. નોકિયાના જૂના ઓપરેટિંગ સિસ્ટમના યૂઝર્સ 31 ડિસેમ્બરથી પોતાના ફોનમાં વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. આ ઓપરેટિંગ સિસ્ટમ છે Nokia S40, આ ઓપરેટિંગ સિસ્ટમમાં ૩૧ ડિસેમ્બર બાદ વોટ્સએપ નહીં ચલાવી શકાય. આ ઓપરેટિંગ સિસ્ટમ પર વોટ્સએપ નહીં ચાલી શકવાનું કારણ છે કે, મેસેજીંગ એપ વોટ્સએપ હવે આ પ્લેટફોર્મ માટે ફીચર ડેવલપ નથી કરતું. Nokia S40 ઓપરેટિંગ…
જીએસટીનાં માળખામાં ભારે હોબાળો થયા બાદ જીએસટી કાઉન્સિલની મહત્વની મીટીંગ પુરી થયા બાદ સામાન્ય જનને રાહત આપવાના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આજની બેઠકમાં સામાન્ય માણસને રાહત આપવા માટે રોજિંદા વસ્તુઓ પરનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની મોસમ માથા પર છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાછલા બારણે કોંગ્રેસના જીએસટીને લાગૂ કરાવામાં આવી રહ્યો છે. ઘટાડે છે. ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મોદી સરકાર ક્યાંક ખેડૂતોની લોન માફ કરવામાં આવે છે, તો ક્યાંક સામાન્ય જનતાને રાહત આપવામાં આવે છે. સરકારે આજે મોટા નિર્ણય લેતા 33 વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 7 વસ્તુઓ પર દર…
ગઈ રાત્રે સુરતના પોશ એરિયા પીપલોદની ઓઈસ્ટર હોટલમાંથી 21 બેવડી મહિલાઓને પોલીસે રેડ કરી ઝડપી પાડી તો સુરતના વધુ એક વિસ્તારમાંથી મહિલાઓ સાથે પુરુષો દારુની પાર્ટી માણતા ઝડપાઈ જવા પામ્યા છે. સુરતના સગરામપુરા વિસ્તારમાંથી 6 મહિલા અને 8 પુરુષોને પોલીસે દારુની પાર્ટી માણતા ઝડપી પાડ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે. વિગતો મુજબ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉજવવા માટે સુરતમાં ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ વખતે થર્ટી ફર્સ્ટને દારુની મહેફીલ સાથે ઉજવવામાં આવી રહી હોવાનું જણાઈ આવી રહ્યું છે. પીપલોદની હોટલમાંથી 21 મહિલાઓ બેવડી બની મહાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો તમામને પકડી પાડી હતી. જ્યારે આજે સવારે સગરામપુરા વિસ્તારમાં…