કવિ: Satya-Day

આજે જસદણની પેટા ચૂંટણી પર દરેકની નજર મંડાયેલી છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ સમાતો નથી. આ તમામ વાતાવરણ વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન શરૂ થાય તે પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે ‘ જસદણમાં કોંગ્રેસની જીત નક્કી જ છે’. તેમણે જણાવ્યું હતું કે જસદણના મતદાતાઓ કોંગ્રેસની સાથે જ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ગુરુ કરતા ચેલો સવાયો નિકળશે”.

Read More

જસદણ વિધાનસભા બેઠકની ઐતહાસિક કહી શકાય એવી પેટા ચૂંટણી માટે છેલ્લા દસ દિવસથી પ્રચાર યુધ્ધ ચાલી રહ્યા છે જેનો હવે અંત આવ્યો છે. હવે મતદાન માટેની ઘડી આવી ગઈ છે. આજ રોજ ચુંટણી જંગમાં 262 બુથ પર મતદાન યોજાશે, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવી ઈ.વી.એમ માં કેદ થશે અને 23 મી એ ભારે રોંમાંચ સાથે મત ગણતરી થશે. હાલ અર્ધલશ્કરી છ પ્લાટૂન સાથે 1100 સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. માત્ર ગુજરાત જ નહીં દિલ્હીના રાજનેતાઓની નજર પણ અહીં મંડાઈ છે. આજ રોજ 2,32,116 મતદારો જસદણ -વીંછીંયા તાલુકા સહિતના વિધાનસભા વિસ્તારના ભવિષ્યનો નિર્ણય મતદાન દ્વારા કરશે. 18 વર્ષની વય…

Read More

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ થયા તેના ગણતરીના કલાકો પહેલાં પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની પોલીસે પૂછપરછ કરી હતી. લલિત કગથરાની પૂછપરછને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉચાટ જન્મી ગયો હતો. વિગતો મુજબ ધારાસભ્ય લલિત કગથરાની રાજકોટ રૂરલ પોલીસ દ્વારા મોડી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી.ચૂંટણી પંચની આચરસંહિતાનો નિયમ છે જે  વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી હોય અને તે મત વિસ્તારનો મતદાર કે વ્યક્તિ ન હોય તેમણે મતદાનનાં  48 કલાક પહેલા તે વિસ્તારને છોડી દેવાનો હોય છે. લલિત કગથરાએ ચૂંટણી પંચના આદેશનો ભંગ કર્યો હોવાથી તેમને પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા. જો કોઈ રાજકીય વ્યક્તિ હોય તો તેને ચૂંટણી પંચના આદેશ પ્રમાણે…

Read More

આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા કોઈ પણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડ માંગવામાં આવતુ હતુ. પરંતુ હવે આ નિર્ણય બાદ બેન્કમાં ખાતુ ખોલવવા માટે કે સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવુ ફરજીયાત રહેશે નહી. કેન્દ્ર સરકારના આ નિયમ બાદ આધાર કાર્ડ આપવા માટે દબાણ કરનાર કંપનીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઈ શકે છે. તથા 1 કરોડ રુપિયનો દંડ પણ ફટકારવામાં આવશે. કોઈ પણ સંસ્થા આધાર કાર્ડના વપરાશ માટે દબાણ કરી શકશે નહી. બેન્કના કામમાં કે સિમકાર્ડ મેળવવા માટે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટનો…

Read More

પંચમહાલના હાલોલમાં ચોકાવનારી ઘટના બની છે. હડબેટીયા ગામ જવાના રસ્તાની બાજુમાંથી માનવ કંકાલ મળી આવ્યા છે. માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળ્યા છે. 2 માનવ ખોપરી સહિત આસપાસના વિસ્તારોમાંથી અન્ય અંગો પણ મળી આવ્યા છે.આ ઘટનાસ્થળેથી મહિલા તેમજ બાળકના કપડાં અને ચંપલ પણ મળી આવ્યા છે. ઘટનાસ્થળે કુલ 3 વ્યકિતઓના માનવ કંકાલ હોવાની શક્યતા છે. કંકાલ જોતા લાગે છે કે કંકાલ બે માસ પૂર્વે મોત થયું હોય તેવી આશંકા છે. FSL સહિત હાલોલ અને પંચમહાલની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.

Read More

આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે, જ્યારે મુખ્યમંત્રીનો કાફલો રસ્તા પર નીકળે છે, ત્યારે બધો ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે, જેમાં એમ્બ્યુલન્સને પણ અટકાવી દેવામાં આવે છે. આ વાતને ધ્યાને રાખતા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાની સુરક્ષાનો રિવ્યૂ કરતા નિર્ણય કર્યો છે કે રાજધાની કે સમગ્ર રાજ્યમાં કોઇપણ જગ્યાએ તેમના પ્રવાસ વખતે મુખ્યમંત્રીના કોન્વોયને કારણે કોઇપણ એમ્બ્યુલન્સને રોકવામાં ન આવે. આવી કોઇપણ ઘટના સામે આવશે તો જે તે જવાબદાર અધિકારી પર એક્શન લેવામાં આવશે. આ સાથે જ CM બઘેલે સુરક્ષા કાફલામાં 4 ગાડી ઓછી કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમના આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે…

Read More

અમેરિકાના જેમ જ હવે ભારતમાં પણ એક એવી પાર્ટી બની ગઈ છે જે માત્ર મહિલાઓ માટેની રાજકીય પાર્ટી હશે. આ પાર્ટી મહિલાઓનાં અધિકારો માટે કાર્ય કરશે. દિલ્હીમાં મળેલી સભામાં આ પાર્ટીનું નામ નેશનલ વુમન્સ પાર્ટી રાખવામાં આવ્યું છે. અમેરિકામાં એક દાયકા જૂની નેશનલ વુમન્સ પાર્ટીથી પ્રેરિત થઈને 36 વર્ષીય ડોક્ટર અને સામાજિક કાર્યકરે સંસદમાં મહિલા અનામત અને ઓફીસોમાં મહિલાઓની જાતીય સતામણીનાં હેતુથી દિલ્હીથી પાર્ટીની શરૂઆત કરી છે. નવરચિત નેશનલ વુમન્સ પાર્ટી(NWP)નું નેતૃત્વ શ્વેતા શેટ્ટી કરશે. તેમણે કહ્યું કે 2012માં આ પાર્ટી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. NWPનો હેતુ સમાજમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને મહિલાઓને નહીં મળતા…

Read More

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો બનતાંની સાથે જ ખેડુતોના દેવા માફ કરવાની જાહેરાત કરવાના ચૂંટણીમાં વાયદાને પૂર્ણ કરવા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી લીધી છે. મોદી સરકાર પર સવાલ ઉભા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓને જગાડી દીધા છે પરંતુ વડાપ્રધાન મોદી હજુ પણ ઊંધી રહ્યા છ. શિમલાનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે રજા માણવા આવેલા રાહુલ ગાંધીએ બુધવારે બપોરે ટવિટ કરીને આ વાત કહી હતી, હકીકતમાં ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓ દ્વારા ખેડુતોને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અને આસામમાં ભાજપની સરકારો છે અને પાછલા કેટલાય સમયથી ખેડુતો દેવ…

Read More

સુરત પાસે આવેલા વલથાણ-કોસમાડી નહેર પાસે કાર નહેરમાં ખાબકી હોવાની ઘટના બની છે. ટેમ્પોને બચાવવા જતાં કાર નહેરમાં પડી હતી. પાણીમાં ડૂબતી કારનો કાચ તોડીને કારમાંથી બે લોકો બહાર આવ્યા હતા. મુંબઇ સિદ્ધિ વિનાયકના દર્શન કરીને પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા મળતી માહિતી પ્રમાણે સુરતના રહેવાસીઓ કાર લઇને મુંબઇ સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે ગયા હતા. જેઓ આજે બુધવારે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાની કાર લઇને વલથાણ-કોસમાડી નહેર પરથી પસાર થતા હતા. રસ્તામાં આવેલા શાકભાજીના ટેમ્પોને બચાવવા જતાં કાર ચાલકે કાબુ ગુમાવતા…

Read More

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા માટે રાજકીય ગરમા-ગરમી ચાલી રહી છે. 2019ની વ્યૂહ રચના તૈયાર કરવામાં પાર્ટીઓ લાગી ગઈ છે ત્યારે યુપીમાં વિધાનસભાની પાછલી જીતોનાં કારણે ઉત્સાહિત થયેલી વિપક્ષની પાર્ટીઓ ભાજપનાં સમીકરણોને બગાડવા માટે લાગી ગઈ છે અને એકજૂટ થઇને લડવા માટે તૈયાર હોવાનું જણાઈ આવી રહ્યું છે. યુપીમાં સપા, બસપા ઉપરાંત આરએલડી વચ્ચે ગઠબંધનની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં નહીં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. આમ તો કોંગ્રેસના ત્રણ રાજ્યોનાં મુખ્યમંત્રીઓની શપથવિધિમાં અખિલેશ અને માયાવતીએ હાજરી નહીં આપીને મહાગઠબંધનની રાજનીતિ પર પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે.…

Read More