ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ને કો-ઓપરેટિવ બેંકને મર્જ કરવા તરફ ઈશારો કર્યો હતો. આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે તે વિવિધ શરતોને આધિન જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો (ડીસીસીબી)ને રાજ્ય સહકારી (એસટીસીબી) બેંકો સાથે મર્જ કરવા પર વિચારણા કરે છે. રાજ્ય સરકારની બાજુથી આ સંબંધે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સ્ટેટ કોઓપરેટિવ બેંકો અને જિલ્લા કેન્દ્રીય કો ઓપરેટિવ બેંકોને કેન્દ્રીય બેંક આરબીઆઈના અંડરમાં લાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાવ્યા હતા. આ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 2020 ને કો ઓપરેટિવ બેંકો માટે 1 એપ્રિલ, 2021 થી લાગુ કરવામાં આવ્યું. આવી બેંકોના મર્જર માટે ભારતીય રિઝર્વ બેંકની મંજૂરીની આવશ્યકતા છે. આરબીઆઈની માર્ગદર્શિકાઓ…
કવિ: Dharmistha Nayka
ગુજરાતમાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરવી મોંઘું બન્યુ છે. સરકારે કોરોનાની સારવારના દર નક્કી કર્યાં હોવા છતાંય ખાનગી હોસ્પિટલો જાણે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.દર્દીઓ પાસેથી મનફાવે તે રીતે ફી વસૂલી રહી છે. અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલે કોરોનાના એક દર્દી પાસેથી 22 દિવસની સારવાર માટે રૂા.10 લાખનુ બિલ ધરી દીધુ હતુ તેમાં ય માત્ર ડોક્ટરની વિઝીટ ફી પેટે જ રૂા.4.40 લાખ વસૂલ્યા હતાં જેના પગલે વિવાદ જન્મયો છે. ગુજરાતમાં કોરોનાના કેસો હવે માંડ માંડ ઘટી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ છે. સરકારી હોસ્પિટલોમાં બેડ ન મળતાં દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવુ…
અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી અપાય તે આવશ્યક છે. તેમને ફ્રન્ટલાઈન કર્મી માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કોરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા. મહામારી દરમિયાન ટાર્ગેટ ડિલિવરી ટાઈમ અંતર્ગત કારણ બતાવો નોટિસ મોકલવાનું બંધ કરવામાં આવે. સીમિત જનશક્તિ સાથે…
યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે. અહીંનું કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે જાય છે. જો કે અન્ય એક બાબતે પણ આ દેશ હવે ચર્ચામાં આવ્યો છે અને તે છે દેશની ખાલી પડી રહેલી જેલો. નેધરલેન્ડમાં ક્રાઈમ રેટ એટલો ઝડપથી ઘટી રહ્યો છે કે, દેશની સંખ્યાબંધ જેલો ખાલી પડી છે અને કેટલીક જેલોને તો બંધ કરી દેવી પડી છે. 2013થી જેલોને તાળા મારવાનો સીલસીલો ચાલી રહ્યો છે.2019માં પણ કેટલીક જેલોને અહીંયા બંધ કરી દેવામાં આવી હતી તો કેટલીક જેલોને શરણાર્થીઓ માટેના રેફ્યુજી કેમ્પમાં ફેરવી નાંખવામાં આવી છે. નેધરલેન્ડમાં જેલના કેદીઓ સાથે જે વલણ અપનાવાય…
કોરોના મહામારીમાં અનેક કપલના વેડિંગ પ્લાન પર પાણી ફરી વળ્યાં છે. મહિનાઓથી મેરેજની તૈયારી કરી રહેલાં કપલને તેમના મેરેજ સિમ્પલ રીતે કે પછી પોસ્ટપોન કરવા પડ્યાં છે. આ કપરા સમયમાં પણ અનેક દુલ્હા-દુલ્હન જુગાડ કરીને લગ્નના તાંતણે બંધાઈ રહ્યાં છે. હાલ તામિલનાડુના એક કપલના મેરેજના ફોટો વાઈરલ થતાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દુલ્હા-દુલ્હને 23 મેના રોજ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્લેનમાં લગ્ન કર્યા છે. 130 મહેમાનનો RT-PCR ટેસ્ટ કર્યા પછી જ પ્લેનમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. રાકેશ અને દિક્ષના મદુરાઈનાં રહેવાસી છે. તેમણે મદુરાઈથી થુઠુકુડી જવા માટે ચાર્ટર ફ્લાઈટ ભાડે બુક કરાવી હતી. રાકેશ અને દિક્ષનાના…
ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિને ટીવી કે કોઈ પણ OTT પ્લેટફોર્મ ગમતા નથી. 47 વર્ષીય જેક હેટકોટના ઘરે ટીવી નથી, ટીવી જગ્યાએ મનોરંજન માટે તેણે પોતાના વિશાળ ઘરને માછલીઘરમાં ફેરવી દીધું છે. જેકના ઘરે 400 માછલીઓ છે. લોકો સોફા પર બેસીને જેમ ટીવી જોતા જોય તેમ જેક સોફામાં બેસીને માછલીઓને જોયા રાખે છે. જેક 10 વર્ષનો હતો ત્યારે તે એક એક્વેરિયમમાં ગયો હતો, ત્યાં તેણે ગોલ્ડ ફિશ જોઈ હતી. એ દિવસથી લઈને અત્યાર સુધી તેને માછલીઓ ઘણી ગમે છે. તે આખો દિવસ માછલીઓને જોવામાં પસાર કરે છે. તે ટીવી જોવાને બદલે 400 માછલીઓ આમ-તેમ ફરતી હોય તે જોવાનું પસંદ કરે છે.પોતાના આ…
અમદાવાદ જીલ્લા વિસ્તારમાં પહેલેથી કોરોના કાબુમાં રાખવામાં જીલ્લા વહીવટી તંત્ર સફળ રહ્યું હતું. તેની પાછળ અલગ અલગ માધ્યમથી કોરોના કેસ કાબુમાં રાખવા વેક્સિનેશન અને સારવાર સહિતની બાબતમાં કાળજી સાથે કામગીરી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ યોજના ચલાવવામાં આવી હતી તે માધ્યમથી અનેક લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ વાવાઝોડાની સર્વેની કામગીરી ચાલી રહી છે બીજી તરફ કોરોના વકરે નહિ સાથે જ મ્યુકરમાઈકોસીસના કેસ પણ વધે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે.રાજ્યમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હતો એવામાં ગ્રામિણ વિસ્તારમાં લોકો કેસ કાબુમાં લેવા માટે સરકારે મારું ગામ…
antigen અને RTPCR જેવી પદ્ધતિઓ દ્વારા કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય જુદા જુદા અહેવાલોમાં સંક્રમણને ઘણી રીતે શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન, એક નવું અધ્યયન બહાર આવ્યું છે, જે મુજબ તાલીમ પામેલા કૂતરાઓ સૂંઘીને કોરોના સંક્રમણ શોધી શકે છે. ફ્રાન્સમાં, કૂતરાઓની ક્ષમતા પરના એક અભ્યાસમાં આ માહિતી બહાર આવી છે.અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના સંક્ર્મણ માટે કરવામાં આવતા ઝડપી પરીક્ષણો કરતા કુતરાઓ દ્વારા ઓળખાયેલા કેસોમાં વધુ ચોકસાઈ જોવા મળી છે. અભ્યાસ મુજબ ચેપને ઓળખવા માટે કૂતરાઓની ચોકસાઈ 97 ટકા નોંધાઇ હતી. ફ્રાન્સમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 335 લોકો અને 9 કૂતરાઓએ…
કોરોના સામે લડાઈમાં ભવિષ્યના હથિયાર તરીકે અસરકારક વેક્સિનનો ત્રીજો ડોઝ પણ ટૂંક સમયમાં આવી જશે. ભારત બાયોટેક તરફથી દેશમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે AIIMS નવી દિલ્હીમાં સોમવારથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 8 અન્ય જગ્યાઓ છે જ્યાં તે લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે જેમણે વેક્સિનના પહેલા 2 ડોઝ લીધેલા છે. જેના પરિણામો 6 મહિનામાં સામે આવશે.AIIMSમાં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના હેડ અને કોવેક્સિનના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડૉ. સંજય રાયે જણાવ્યું કે બૂસ્ટર ડોઝનું ટ્રાયલ એ જાણવાનું માધ્યમ છે કે કોઈ વ્યક્તિના શરીરમાં કેટલા દિવસ સુધી એન્ટિબોડીઝ બની રહે છે. વૈજ્ઞાનિક તારણો માટે આ ટ્રાયલ…
અનેક લોકોના કોરોના ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહીં થતા મોંઘવારીનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે.. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં અનેક કેસ સામે આવ્યા છે. જેમાં કંપનીઓ દ્વારા અલગ અલગ કારણ આપી ક્લેમ કેન્સલ કર્યા છે અથવા રકમ ઘટાડી દીધી છે. અનેક લોકોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદી કરી કન્ઝ્યુમર એકટ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.કારણકે કોરોના કેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નહોતા એવામાં લોકોને ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે હવે ઇન્સ્યોરન્સ કંપની કલેઇમ પાસ કરવામાં ઠાગા ઠૈયા કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ છે જયંતી ભાઈ પટેલ તેમના પૌત્રને કોરોના થતા…