Gandhinagar News today : ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ : કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોને ન્યાય અપાવવાના નારા સાથે વિધાનસભામાંથી વોકઆઉટ આજથી ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગૃહમાં ઉપાધ્યક્ષ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેઠાભાઈ આહિર ઉપાધ્યક્ષ બન્યાં છે. ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને નાયબ મુખ્ય દંડક બનાવવામાં આવ્યાં છે.ગૃહમાં નવ નિયુક્ત મહિલા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની નિમણૂંક અંગે મુખ્યમંત્રી, વિપક્ષી નેતા અને ત્યાર બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રતિભાવ આપી રહ્યાં હતાં ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગૃહમાં એન્ટ્રી થતાં ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના સભ્યોએ આવો.. નીતિન કાકા આવો.. તેવો…
કવિ: Zala Nileshsinh Editor
surat news : ચોર દરવાજે ચાલતો હતો ડ્રગનો કાળો કારોબાર : ગોળવાળા દંપતી દુકાનનું ખુલ્યું રહસ્ય અને મચ્યો ચકચાર surat news – ચોર દરવાજે ચાલતા ડ્રગના કાળા કારોબારનો દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુરત શહેર એસઓજીની ટીમને સાથે રાખી ઓનલાઇન એલએસડી ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. સુરતમાં ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણનું ગોળવાળા દંપતી પકડાયું હતુ.આ દંપતી પાસેથી એનસીબીની ટીમ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લઇ દંપતીને લઇ દિલ્હી જવા રવાના થઇ હતી. ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા…
ગુજરાતમાં શિયર ઝોન થયું સક્રિય : ગુજરાત માથે આકાશી આફત :: સાવચેતી જ આપણી સલામતીની છત્રી ગુજરાત પર આકાશી આફતનો કહેર વર્તી રહ્યો છે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની ભારે અસર રહેવાની છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 29 અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં શિયર ઝોન સક્રિય થયું છે.આ શિયર ઝોન મોટી તબાહી પણ સર્જી શકે છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી લઈને ભારે વરસાદ વરસી ગયો છે.ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લા વરસાદથી પ્રભાવિત છે અમદાવાદના સરખેજમાં નાળામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થઇ ગયું…
Mahant Narendra giri maharaj ના મૌત ના રહસ્ય ને ઉકેલવા રાજ્ય સરકારે સીબીઆઈ દ્વારા અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંબંધિત કેસની તપાસની ભલામણ કરી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મઠ ના મહંત નરેન્દ્ર ગિરીનું નિધન બાદ રાજ્ય સરકારે મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંબંધિત કેસની તપાસ માટે CBI ને ભલામણ કરી છે. આ માહિતી આપતા ગૃહ વિભાગે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આપને જણાવી દઈએ કે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી સોમવારે શંકાસ્પદ હાલતમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેનો મૃતદેહ બાંઘબરી મઠના એક રૂમમાં ફાંસી પર લટકતો જોવા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા મુલાકાત ખાસ કેમ છે? – મોદી અમેરિકાની મુલાકાત માટે રવાના વડાપ્રધાન મોદી આજે અમેરિકાની મુલાકાત માટે રવાના થયા. પહેલા થી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને 24 સપ્ટેમ્બરે મળવાના છે. વડાપ્રધાન અને બાયડન વચ્ચે આ મુલાકાત વોશિંગ્ટનમાં થવાની છે. આ વર્ષ જાન્યુઆરી માં જો બાઈડને અમેરિકાની સત્તા સંભાળ્યા પછી પહેલી જ વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થવાની છે. વડાપ્રધાન આજે આજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. આજે રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે…
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના અવસાન બાદ તેમના શિષ્ય આનંદ ગિરીનું નામ અચાનક ચર્ચામાં આવ્યું. મહંત નરેન્દ્ર ગીરીનું અવસાન થયું. પોલીસના જણાવ્યા અનુસાર તેમાં આનંદ ગિરી સહિત ઘણા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે પૂછપરછ બાદ સ્વામી આનંદ ગિરીની ધરપકડ કરી હતી. હકીકતમાં મહંતના શિષ્ય સ્વામી આનંદ ગિરીનું નામ હંમેશા વિવાદોમાં રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરી તેમના શિષ્ય આનંદ ગિરીની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.હકીકતમાં મહંતના શિષ્ય સ્વામી આનંદ ગિરીનું નામ હંમેશા વિવાદોમાં રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરી તેમના શિષ્ય આનંદ ગિરીની પ્રવૃત્તિઓ હકીકતમાં મહંતના…
Rajkot News today – ઘ ગ્રેટ ખલી રાજકોટ ની મુલાકાતે વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રવિવારે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે 8 વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે 60 નંગ પાણીપૂરી 25 નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ 500 એમએલની પાણીની 4 બોટલ પણ પીધી હતી. મહત્ત્વનું છે કે ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી. ખુલ્લી જીપમાં…
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની બે મહિના પહેલા અશ્લીલ ફિલ્મો સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ શિલ્પાને સોશિયલ મીડિયા પર ઘણી સમસ્યાઓ અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, શિલ્પા અને રાજ માટે એક સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટે રાજને જામીન આપ્યા છે. કોર્ટે કુન્દ્રાના સહાયક રાયન થોર્પેને પણ જામીન આપ્યા છે. તમને જણાવી દઈએ કે જુલાઈમાં કુંદ્રા સાથે થોર્પેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જામીન બાદ શિલ્પાએ પોસ્ટ શેર કરી બીજી બાજુ, સોમવારે રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ પણ શિલ્પાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.…
ચીક્કાર દારૂ ભરેલી કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઈ, હાઇવે પર બોટલોની મચી લૂંટ રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર એક અકસ્માત થતા ફરીથી દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. અકસ્માતમાં એક કારનો કચ્ચરઘાણ વળી ગયો. જોકે, આ કારની તપાસ કરવામાં આવતા અંદર દારૂ ભરેલો હતો. લોકોએ કારમાંથી દારૂની લૂંટ મચાવતા વરવા દૃશ્યો સામે આવ્યા હતા. રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુરના ગુંદાળા ગામ પાસે કાલે બપોરે એક કારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા GJ 03DG7119 કારનો ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જોકે, લોકો અન્ય કોઈ ઇજાગ્રસ્ત છે કે નહીં એવું ચકાસવા જતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ…