પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને યુવા નેતા અલ્પેશ કથીરીયા વિરુદ્વ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ પાર્ટના ગુનામાં જામીન રદ્દ કરવાની અરજી છઠ્ઠી માર્ચે અરજી દાખલ કરવામાં આવી હતી. 2017માં નોંધાયેલા ગુનામાં અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. તે પૂર્વે અલ્પેશના રાજદ્રોહના કેસમાં જામીન રદ્દ કરવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરીયાના વકીલ યશવંત વાળાએ માહિતી આપી કે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજી નં 226/2017થી કેસ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં ઈપીકો કલમ 307,143.148,149ની કલમ લગાડવામાં આવી હતી. સરકાર દ્વારા આ કેસમાં જામીન રદ્ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં આજે લાજપોર જેલમાંથી અલ્પેશ કથીરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…
Author: Satya Day News
કોંગ્રેસ વર્કીંગ કમીટીના મેમ્બર તારીક હમીદ કર્રાને ગુજરાતમાં અમદાવાદના એરપોર્ટ પર માઠો અનુભવ થયો હતો. મોડી રાત્રે તારીક કર્રા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા પરંતુ એક પણ કોંગ્રેસી તેમને સત્કારવા હાજર રહેલો દેખાયો ન હતો. જોકે, બાદમાં ખુલાસો કરવામાં આવ્યો કે તારીક કર્રાને કોંગ્રેસીઓ ઓળખતા ન હોવાથી તેમને તેડવા ગયેલા કોંગ્રેસીઓને તેઓ મળ્યા ન હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે મામલા પર ઢાંકપિછોડો કરતાં એવું કહ્યું કે તારીક કર્રા આવ્યા તે સમયે કોંગ્રેસીઓ પણ એરપોર્ટ પર હાજર હતા પરંતુ તેમને ઓળખતા ન હોવાથી કોંગ્રેસના કાર્યકરો તેમને ઓળખી શકયા નહીં. આ ઉપરાંત શૈલેષ પરમારે મીડિયાને પણ…
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોએ કોંગ્રેસ માંથી રાજીનામા આપ્યા હતા.હવે 2019ની ચૂંટણી નજીક છે ત્યારે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે રાજીનામું આપતાં ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે .2019ની લોકસભાની ચૂંટણી નજીક આવતા તોડ-જોડ અને પક્ષ પલ્ટાનું રાજકારણ ગરમ થયું છે.જો કે ડો.આશા પટેલનું રાજીનામુ કોંગ્રેસ માટે નવી વાત નથી.2002થી 2019 સુધીમાં કોંગ્રેસના…
અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સનું વિમાન બોઇંગ 737 ગઈકાલે ક્રેશ થઇ ગયું હતું. વિમાન કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહ્યું હતુ. વિમાનમાં કુલ 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાં બેસેલા તમામ મુસાફરોના મોત થયા છે. જેમાં સુરતનું આખ્ખું પરિવાર પણ કરુણ રીતે મોતને ભેટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ પાછલા 18 વર્ષથી કેનેડામાં સેટલ થયેલા પ્રેરિત દિક્ષીત પોતાની પત્ની ઉષા દિક્ષીત અને પુત્રી આશકા (16) અને નાની દિકરી અનુષ્કા (13) સાથે ફરવા માટે આફ્રિકા જઈ રહ્યા હતા. તેઓ ટોરેન્ટોથી બેઠાં હતા અને ઈથોપિયા પહોંચીને ત્યાંથી નૈરોબી જવા માંગતા હતા પરંતુ કાળમુખી ફ્લાઈટ ઉડાન ભરતાંની સાથે જ…
ઝઘડીયા જીઆઇડીસી દ્વારા સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી, સપ્તાહ દરમિયાન કંપની દ્વારા સેફ્ટીને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, ડીસીએમ કંપની દ્વારા સેલોદ ગામે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સેફ્ટી બાબતે અસરકારક આયોજન થાય તેવા આશયથી માર્ગદર્શન, માહિતી આપવામાં આવી હતી, તા. ૪.૩.૧૯ થી ૧૦.૩.૧૯ દરમિયાન સેફ્ટી વીક ની ઉજવણી અલગ અલગ પ્રકારે ઝગડીયા જીઆઈડીસીમાં કરવામાં આવી હતી, સેફ્ટીને લગતા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા, ઝગડીયા જીઆઇડીસીની ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ દ્વારા સેફ્ટી વીક ની વિશેષ ઉજવણી કરાઈ હતી, સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે કંપનીના કાર્યકરો, વિદ્યાર્થીઓ, કોન્ટ્રક્ટર્સ અને જનસમુદાય ને સાથે રાખી રેલી, પ્રદર્શની, પ્રશ્નોત્તરી, રમતો, ચિત્ર…
ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવતા ભગવાન બારડે સ્પીકર ત્રિવેદીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન ભરવાડને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવતા ભગવાન બારડે સ્પીકર ત્રિવેદીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. ભગવાન બારડે તાલાલાની પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણયને…
વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈકો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામના બહુમાળી મકાન પાછળ રહેતા જયેશભાઇ રામસીંગ વસાવા પોતાના મિત્ર જીગ્નેશ જગદીશભાઈ વસાવાની ઈક્કો કાર માં સવાર થઈ અન્ય બે મિત્રો સાથે વાલિયાના તુણા ગામે કામ અર્થે જઈ રહ્યા હતા તે વેળા તુણા ગામ તરફ જવાના નાળા પાસે કાર ચાલકનો સ્ટીયરીંગ પર કાબુ ન રહેતા કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જયેશભાઇ વસાવા કાર નીચે દબાઈ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે કાર…
રાત્રી દરમ્યાન સફાઈ કરતા કામદારો દ્વારા કાયમી કરવાની માંગ સાથે સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર સફાઈ કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને કાયમી કરવા માંગ કરી હતી. અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મનપા કચેરી બહાર પહોચ્યા હતા અને મનપા કચેરી બહાર જ ધરણા પર બેસી વિરોધ નોંધવામાં આવ્યો હતો તેઓની માંગ છે કે રાત્રી દરમ્યાન સફાઈ કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને આ માંગ સાથે તેઓએ અગાઉ રજુઆતો પણ કરી હતી પરંતુ કોઈ નિવેડો નહિ આવતા આજરોજ તેઓ મનપા કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો રણજિતભાઈએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં સફાઈ…
સુરત પોલીસે વરાછા વિસ્તારમાં કૂટણખાના પર દરોડો પાડી લલનાઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. વરાછાના મારૂતિનગર વિસ્તારમાં પોલીસે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે મારૂતિ નગર ચોક વિસ્તારમાં કેટલાક લોકો સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચલાવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને આજે દરોડો પાડ્યો હતો. વરાછા પોલીસે પાડેલા દરોડા દરમિયાન 6 બાંગ્લાદેશી યુવતીઓ અને સંચાલક સહિત દેહવેપારમાં દલાલીનો ધંધો કરતા વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે તમામની સામે આઈપીસીની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વનું એ છે કે બાંગ્લાદેશી યુવતીઓને દેહ વેપારના ધંધામાં સપડાવી રૂપિયા કમાવી કમાતા તમામ તત્વો પર પોલીસ સિકંજો કસ્યો છે. અગાઉ પણ પોલીસે…
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હવે રાજકારણી બનવા જઈ રહેલા યુવા હૃદય સમ્રાટ હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. 12મી તારીખે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસ જોઈન કરીને નવી ઈનિંગ્સનો પ્રારંભ કરશે. હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાના નિર્ણય અંગ માહિતગાર કરતા કહ્યું કે દેશ અને સમાજની રક્ષા કરવા માટે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી લડવા અંગે હાર્દિકે કહ્યું કે પાર્ટીના નિર્ણયને અનુસરીશું અને જો કોઈ કાયદાકીય ગૂંચવણ નહીં આવે તો ચૂંટણી લડીશું. હાર્દિક પટેલ 2015થી પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યા છે અને પાટીદારો માટે અનામતની માંગ કરી આંદોલન કર્યા હતા.…