ડાયરેક્ટરોરેટ ઓફ જનરલ સિવિલ એવિએશન(DGCA) દ્વારા ભારતીય એરલાઈન્સ કંપનીઓને બોઈંગ વિમાનો અંગે તત્કાલ આદેશ આપવામાં આવ્યા છે. DGCAએ બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. DGCAએ મંગળવારે મોડી સાંજે ટવિટ કરી આ જાણકારી આપી કહ્યું કે આ વિમાન ત્યાં સુધી ઉડાન ભરી ન શકે કે જ્યાં સુધી સુરક્ષા અને સલમાતી અંગે સંપૂર્ણ ખાતરી ન થઈ જાય. DGCAએ લખ્યું કે મુસાફરોની સલામતી પ્રાથમિકતા રહી છે. સલમાતી અંગે દુનિયાભરની એવિએશન કંપનીઓ સાથે સતત સંપર્ક ચાલી રહ્યો છે. રવિવારો ઈથોપિયન એરલાઈન્સનું વિમાન અદીસ અબાબા ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને તેમાં 6 ગુજરાતીઓ સહિત 157 લોકો મોતને ભેટ્યા…
Author: Satya Day News
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ અડાલજ પાસે ત્રિમંદીર નજીક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગરમી છે, દોઢ કલાક મોડો શરૂ થયો છે. હું તમારા માફી માગું છું. વર્ષો પછી ગુજરાતમાં એટલે માટે કાર્યકારીણીની બેઠક કરી છે કારણ કે કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે. બન્ને વિચારધારા ગુજરાતમાં જોવા મળશે. એક બાજુ મહાત્મા ગાંધીએ આ દેશને બનાવવા પોતાની જીંદગી પાછળ લગાવી દીધી હતી. મહાત્મા ગાંધી અને ગુજરાતે આ દેશને બનાવ્યો છે. હવે બીજી લડાઈ લડવાની છે. દેશ કમજોર બનાવવામાં આવે છે બીજી શક્તિ આ દેશને કમજોર કરવામાં લાગી છે. ઈતિહાસમાં પહેલી વખત સર્વોચ્ચ અદાતના 4 ન્યાયમૂર્તિ પત્રકારો પાસે જઈને…
2015નો મે મહિનો ગુજરાતના રાજકારણમાં એક ભૂકંપ આણનારો મહિનો બની રહ્યો હતો. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું રણશિંગું ફૂંકયું હતું. 2015થી લઈ આજે સાડા ત્રણ વર્ષના સમયગાળા બાદ હાર્દિક રાજકારણની નવી ઈનિંગ્સ શરૂ કરી છે. ભાજપના નેતાઓ અને ગુજરાતભરના રાજકારણીઓ માથું ખંજવાળતા રહી ગયા હતા અને હાર્દિક પટેલ રાતોરાત લોકોના દિલોમાં રાજ કરતો થઈ ગયો હતો. લોકોએ હાર્દિકનો પાટીદાર પાવર જોયો છે. ભાજપના નેતાઓએ હાર્દિકને પછાડવા અનેક હરકતો કરી પરંતુ ફાવટ આવી નહીં. હવે હાર્દિકે કોંગ્રેસ જોઈન કરીને નવી ઈનિંગ્સ શરૂ કરી છે ત્યારે હાર્દિક પટેલની પાંચ મોટી સિદ્વિઓ પર એક નજર માંડીએ. હાર્દિકે અનેક સંઘર્ષનો સામનો કર્યો પરંતુ યુવાઓએ…
લોકસભા ચૂંટણીમાં જોરદાર જંગને નિહાળીને ભાજપે દાવ બદલ્યા છે. હવે ભાજપ વધુને વધુ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા જઈ રહ્યું છે અને પાર્ટીઓ સાથે નરમ વલણ પણ અપનાવાઈ રહ્યું છે. 2014માં ભાજપે 16 પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને હવે 2019માં આ આંકડો 29 પર પહોંચી ગયો છે. પાછલી ચૂંટણીમાં બિહારમાં ભાજપ 40 સીટમાંથી 22 બેઠક પર જીત હાંસલ કરી હતી છતાં આ વખતે માત્ર 17 બેઠક પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે. આ ઉપરાંત ભાજપે ગઠબંધનમાં જીતેલી સીટો પણ છોડી દીધી છે. જ્યારે હારેલી સીટો પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. દાખલા તરીકે બિહરામાં નવાદાની…
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ જોઈન કર્યા બાદ ગુજરાતના અમદાવાદ ખાતે સર્વ પ્રથમ જાહેરસભાને સંબોધન કર્યું હતું. પ્રિયંકાએ સભાને સંબોધન કરતાં કહ્યું કે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના કારણે તેઓ દુખી ચે. મોદી સરકારે યુવાનોને નોકરી આપવાનો વાયદો પૂર્ણ કર્યો નથી. લોકોને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. નફરત ફેલાવવામાં આવી રહી છે અને સાચા મુદ્દાની વાત સરકાર કરતી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મનમાં વિચાર્યું હતું કે આજે મને ભાષણ આપવાની જરૂર પડશે નહીં. પરંતુ હું ભાષણ નહીં આપું, બે શબ્દો કહેવા માંગુ છું જે મારા દિલમાં છે. પ્રથમ વખત ગુજરાત આવી છું…
ગુજરાતના પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અમદાવાદ ખાતે જનસંકલ્પ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસની કંઠી બાંધી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડશે એવી અટકળો ચાલી રહી છે. જોકે, કોંગ્રેસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે હાર્દિક ચૂંટણી લડશે કે કેમ? લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ હાર્દિકે કહ્યું હતું કે 12મી તારીખે કોંગ્રેસમાં જોડાઈ જઈશ. હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરતાં કોંગ્રેસને પાટીદાર વોટમાં ફાયદો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. તડકાના કારણે પાછળની લાઈનમાં બેઠેલા સોનિયા ગાંધીની બરાબર આગળની સીટ પર હાર્દિક…
દાયકાઓ પછી ગુજરાતમાં કોંગ્રેસની સેન્ટ્રલ વર્કીંગ કમીટીની મીટીંગ મળી છે. સોનિગાંધી, મનમોહનસિંઘ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે, શકિતસિંહ ગોહિલ, ગુલાબ નબી આઝાદ, અર્જુન મોઢવાડીયા વગેરે નેતાઓ સાબરમતી ખાતે ગાંધી આશ્રમની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. રાહુલ, સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ આશ્રમની મુલાકાત લઈને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ…
શિક્ષણ માટે કામ કરતી વિમલાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હતા. જેમાં કેટલાંક કેસ ચાલી રહ્યાં છે. તેમાં કોઈ ટ્રસ્ટી પણ નથી. એવા ટ્રસ્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ચડોતરમાં આવેલાં આ ટ્રસ્ટમાં શિક્ષણ આપવા માટે વિમલાબેને કરોડો રૂપિયાનું દાન આપેલું છે. જેમાં ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવા માટે ગુજરાતના ચેરીટી કમિશનર વાય. એમ. શુક્લાએ 20 ફેબ્રુઆરી 2019માં એક આદેશ કર્યો છે. બીજા ટ્રસ્ટી નિયુક્ત કરવા માટે 28 માર્ચ 2019માં હીયરીંગ રાખેલું છે. આનંદીબેનને કેમ પસંદ કરવામાં આવ્યા તે એક રહસ્ય છે.
મોદીભાઈ અને અમીતભાઈએ ભાજપના નેતાઓની કરિયર પુરી કરી દીધી હોય તેવા ભાજપના નેતાઓના નામ અહીં આપવામાં આવ્યા છે. જો આ નેતાઓને ભાજપે સાચવ્યા હોત તો લોકસભાની હારેલી બાજી સુધારવાં કોંગ્રેસના કોઈ ધારાસભ્યોને સત્તાની લાલચ કે કાયદાનો ડર બતાવી કે પ્રલોભનથી લાવવાની ભાજપને જરૂર પડત નહીં. એક સમયના ભાજપના દિગ્ગજ નેતાઓની બુરી હાલત કરી છે. જે નીચે પ્રમાણે છે. નાથાકાકા સુરેન્દ્રકાકા જયન્તી બારોટ સુરેશ મહેતા ડો. એ. કે. પટેલ કેશુભાઈ પટેલ કાશીરામ રાણા હરેન પંડયા સંજય જોશી મુકુંદ રાવજી દેવભાનકર- આરએસએસ લાલજીભાઈ પટેલ(કિસાન સંઘ) ડો. માયાબેન કોડનાની દત્તા ચિરંદાસ વજુભાઈ વાળા નલીન ભટ્ટ શંકરસિંહ વાઘેલા ગોરધન ઝડફિયા આનંદીબેન પટેલ સુર્યકાંત આચાર્ય…
આશા પટેલથી શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આશા પટેલ, જવાહર ચાવડા, પરષોત્તમ સાબરીયા બાદ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસની પાંચમી વિકેટ પડી છે. વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી જ સીધું રાજીનામું આપી દીધું છે. ગુજરાતના રાજકારણમાં હાલ ઊથલપાથલ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યે પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ મામલે બોલતા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ‘ભાજપ સામ, દામ, દંડનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષમાં લઈ જઈ રહ્યો છે.’ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, “વલ્લભ ધારવિયાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તેમણે કોઈ લોભ…